GUJARATI PAGE 133

ਚਰਨ ਸੇਵ ਸੰਤ ਸਾਧ ਕੇ ਸਗਲ ਮਨੋਰਥ ਪੂਰੇ ॥੩॥
ગુરુના ચરણોની સેવા કરવાથી ગુરુના ઓટલે આવવાથી મનુષ્યના મનની બધી જરૂરીયાતો પુરી થઇ જાય છે ।।૩।।

ਘਟਿ ਘਟਿ ਏਕੁ ਵਰਤਦਾ ਜਲਿ ਥਲਿ ਮਹੀਅਲਿ ਪੂਰੇ ॥੪॥
આ નિશ્ચય બની જાય છે કે દરેક શરીરમાં પરમાત્મા જ વસી રહ્યો છે. પાણીમાં ધરતીમાં આકાશમાં પરમાત્મા જ વ્યાપક છે ।।૪।।

ਪਾਪ ਬਿਨਾਸਨੁ ਸੇਵਿਆ ਪਵਿਤ੍ਰ ਸੰਤਨ ਕੀ ਧੂਰੇ ॥੫॥
જે મનુષ્ય સંતોની ચરણ ધૂળ લઈને બધા પાપોનો નાશ કરનાર પરમાત્માને સ્મરણ કરે છે. તે સ્વચ્છ જીવનવાળો બની જાય છે ।।૫।।

ਸਭ ਛਡਾਈ ਖਸਮਿ ਆਪਿ ਹਰਿ ਜਪਿ ਭਈ ਠਰੂਰੇ ॥੬॥
પરમાત્માનું નામ જપીને આખી સૃષ્ટિ શીતળ-મન થઇ જાય છે. આખી સૃષ્ટિને પતિ પ્રભુએ વિકારોની તપશથી બચાવી લીધી છે ।।૬।।

ਕਰਤੈ ਕੀਆ ਤਪਾਵਸੋ ਦੁਸਟ ਮੁਏ ਹੋਇ ਮੂਰੇ ॥੭॥
ઈશ્વરે આ યોગ્ય ન્યાય કર્યો છે કે વિકારી મનુષ્ય જોવા માટે જીવિત દેખાય છે પરંતુ વાસ્તવમાં આધ્યાત્મિક મૃત્યુથી મરેલા હોય છે ।।૭।।

ਨਾਨਕ ਰਤਾ ਸਚਿ ਨਾਇ ਹਰਿ ਵੇਖੈ ਸਦਾ ਹਜੂਰੇ ॥੮॥੫॥੩੯॥੧॥੩੨॥੧॥੫॥੩੯॥
હે નાનક! જે મનુષ્ય હંમેશા સ્થિર પ્રભુના નામમાં લીન હોય છે. તે તેને હંમેશા પોતાની આસપાસ વસતો જુએ છે ।।૮।।૫।।૩૯।।

ਬਾਰਹ ਮਾਹਾ ਮਾਂਝ ਮਹਲਾ ਘਰੁ
બાર મહિના, માઝ મહેલ ૫ ઘર ૪।।

ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ
૧ઓમકારએક શાશ્વત પરમાત્મા છે સતગુરુની પ્રસાદીજે સદગુરૂની કૃપાથી મળે છે ।।

ਕਿਰਤਿ ਕਰਮ ਕੇ ਵੀਛੁੜੇ ਕਰਿ ਕਿਰਪਾ ਮੇਲਹੁ ਰਾਮ
હે પ્રભુ! અમે અમારી કર્મોની કમાણી અનુસાર તારાથી અલગ થયેલા છીએ, તને ભુલાવી બેઠા છીએ, કૃપા કરીને અમને પોતાની સાથે મળાવ.

ਚਾਰਿ ਕੁੰਟ ਦਹ ਦਿਸ ਭ੍ਰਮੇ ਥਕਿ ਆਏ ਪ੍ਰਭ ਕੀ ਸਾਮ
હે પ્રભુ! માયાના મોહમાં ફસાઈને દરેક તરફ સુખો માટે ભટકતા રહે છે. હવે, થાકીને તારી શરણે આવ્યા છે.

ਧੇਨੁ ਦੁਧੈ ਤੇ ਬਾਹਰੀ ਕਿਤੈ ਆਵੈ ਕਾਮ
જેમ દૂધથી વિહીન ગાય કોઈ કામ નથી આવતી.

ਜਲ ਬਿਨੁ ਸਾਖ ਕੁਮਲਾਵਤੀ ਉਪਜਹਿ ਨਾਹੀ ਦਾਮ
જેમ પાણી વગર ખેતી સુકાય જાય છે, પાક પણ નથી પાકતો અને તે ખેતીમાંથી ધનની કમાણી નથી થઈ શકતી

ਹਰਿ ਨਾਹ ਮਿਲੀਐ ਸਾਜਨੈ ਕਤ ਪਾਈਐ ਬਿਸਰਾਮ
તેમ જ પ્રભુના નામ વગર આપણું જીવન વ્યર્થ ચાલ્યું જાય છે. સજ્જન પતિ પ્રભુને મળ્યા વગર કોઈ બીજી જગ્યાએથી સુખ મળતું નથી. 

ਜਿਤੁ ਘਰਿ ਹਰਿ ਕੰਤੁ ਪ੍ਰਗਟਈ ਭਠਿ ਨਗਰ ਸੇ ਗ੍ਰਾਮ
સુખ મળે પણ કઈ રીતે? જેના હૃદયમાં પતિ પ્રભુ આવી વસે તેના માટે તો વસતા ગામ અને શહેર તપ્તી ભઠ્ઠી જેવા છે.

ਸ੍ਰਬ ਸੀਗਾਰ ਤੰਬੋਲ ਰਸ ਸਣੁ ਦੇਹੀ ਸਭ ਖਾਮ
સ્ત્રીને પતિ વિના શરીરના બધા શણગાર, પાનોના બીડા તેમજ અન્ય રસ પોતાના શરીર સમેત વ્યર્થ જ લાગે છે.

ਪ੍ਰਭ ਸੁਆਮੀ ਕੰਤ ਵਿਹੂਣੀਆ ਮੀਤ ਸਜਣ ਸਭਿ ਜਾਮ
આમ તો માલિક પ્રભુ પતિની યાદ વગર બધા સજ્જ્ન મિત્ર જીવના દુશમન થઇ જાય છે

ਨਾਨਕ ਕੀ ਬੇਨੰਤੀਆ ਕਰਿ ਕਿਰਪਾ ਦੀਜੈ ਨਾਮੁ
ત્યારે તો નાનકની વિનંતી છે કે હે પ્રભુ! કૃપા કરીને પોતાના નામનું દાન બક્ષ.

ਹਰਿ ਮੇਲਹੁ ਸੁਆਮੀ ਸੰਗਿ ਪ੍ਰਭ ਜਿਸ ਕਾ ਨਿਹਚਲ ਧਾਮ ॥੧॥
હે હરિ! પોતાના ચરણોમાં મને જોડી રાખ અને બધી સહારા આશા નાશવાન છે. એક તારું ઘર હંમેશા અટલ રહેવાનું છે ।।૧।।

ਚੇਤਿ ਗੋਵਿੰਦੁ ਅਰਾਧੀਐ ਹੋਵੈ ਅਨੰਦੁ ਘਣਾ
ચેત્રમાં વસંત ઋતુ આવે છે બધી બાજુ ખીલેલી ફુલવાડી મનને આનંદ આપે છે,

ਸੰਤ ਜਨਾ ਮਿਲਿ ਪਾਈਐ ਰਸਨਾ ਨਾਮੁ ਭਣਾ
જો પરમાત્માને સ્મરણ કરે તો નામ જપવાની કૃપાથી ખુબ જ આધ્યાત્મિક આનંદ હોઈ શકે છે.

ਜਿਨਿ ਪਾਇਆ ਪ੍ਰਭੁ ਆਪਣਾ ਆਏ ਤਿਸਹਿ ਗਣਾ
પરંતુ જીભથી પ્રભુનું નામ જપવાનું દાન સંતોને મળીને જ પ્રાપ્ત થાય છે. 

ਇਕੁ ਖਿਨੁ ਤਿਸੁ ਬਿਨੁ ਜੀਵਣਾ ਬਿਰਥਾ ਜਨਮੁ ਜਣਾ
તેને જગતમાં પેદા થયેલો જાણો તેનો જન્મ સફળ સમજો જેને નામ જપવાની સહાયતાથી પોતાના પરમાત્માનો મેળાપ મેળવી લીધો કારણ કે પરમાત્માની યાદ વગર એક ક્ષણ માત્ર વિતાવેલો સમય પણ વ્યર્થ વીતેલો જાણો.

ਜਲਿ ਥਲਿ ਮਹੀਅਲਿ ਪੂਰਿਆ ਰਵਿਆ ਵਿਚਿ ਵਣਾ
જે પ્રભુ પાણીમાં, ધરતીમાં, આકાશમાં, જંગલોમાં દરેક જગ્યાએ વ્યાપક છે.

ਸੋ ਪ੍ਰਭੁ ਚਿਤਿ ਆਵਈ ਕਿਤੜਾ ਦੁਖੁ ਗਣਾ
જો આવો પ્રભુ કોઈ મનુષ્યના હૃદયમાં ના વસે. તો તે મનુષ્યનું માનસિક દુઃખ વ્યક્ત નથી કરી શકાતું.

ਜਿਨੀ ਰਾਵਿਆ ਸੋ ਪ੍ਰਭੂ ਤਿੰਨਾ ਭਾਗੁ ਮਣਾ
પરંતુ જે લોકોએ તે સર્વ-વ્યાપક પ્રભુને પોતાના હૃદયમાં વસાવ્યા છે, તેના મોટા ભાગ્ય જાગી પડે છે.

ਹਰਿ ਦਰਸਨ ਕੰਉ ਮਨੁ ਲੋਚਦਾ ਨਾਨਕ ਪਿਆਸ ਮਨਾ
નાનકનું મન પણ હરિના દર્શનની ઈચ્છા રાખે છે 

ਚੇਤਿ ਮਿਲਾਏ ਸੋ ਪ੍ਰਭੂ ਤਿਸ ਕੈ ਪਾਇ ਲਗਾ ॥੨॥
નાનકના મનમાં હરિ દર્શનની તરસ છે. જે મનુષ્ય મને હરીનો મેળાપ કરાવી દે હું તેના ચરણે લાગીશ ।।૨।।

ਵੈਸਾਖਿ ਧੀਰਨਿ ਕਿਉ ਵਾਢੀਆ ਜਿਨਾ ਪ੍ਰੇਮ ਬਿਛੋਹੁ
વૈશાખવાળો દિવસ દરેક સ્ત્રી મર્દ માટે સારા દિવસ હોય છે, પરંતુ વૈશાખમાં તે સ્ત્રીઓનું હૃદય કેમ સ્થિર થાય જે પતિથી અલગ થયેલી છે

ਹਰਿ ਸਾਜਨੁ ਪੁਰਖੁ ਵਿਸਾਰਿ ਕੈ ਲਗੀ ਮਾਇਆ ਧੋਹੁ
જેની અંદર પ્રેમનો પ્રગટાવો નથી આ રીતે તે જીવને ધેર્ય કઈ રીતે આવે જેને સજ્જન પ્રભુ ભુલાવીને સમમોહની માયા ચોટેલી છે?

ਪੁਤ੍ਰ ਕਲਤ੍ਰ ਸੰਗਿ ਧਨਾ ਹਰਿ ਅਵਿਨਾਸੀ ਓਹੁ
ના પુત્ર, ના સ્ત્રી, ના ધન, ના કોઈ મનુષ્ય સાથ નિભાવે છે. એક અવિનાશી પરમાત્મા જ વાસ્તવિક સાથી છે.

ਪਲਚਿ ਪਲਚਿ ਸਗਲੀ ਮੁਈ ਝੂਠੈ ਧੰਧੈ ਮੋਹੁ
નાશવાન ધંધાનો મોહ સંપૂર્ણ સંસારને વ્યાપી રહ્યો છે, માયાના મોહમાં વારંવાર ફસાઈને આખું સંસાર જ આધ્યાત્મિક મૃત્યુ મરી રહ્યું છે.

ਇਕਸੁ ਹਰਿ ਕੇ ਨਾਮ ਬਿਨੁ ਅਗੈ ਲਈਅਹਿ ਖੋਹਿ
એક પરમાત્માના નામ સ્મરણ વગર બીજા જેટલા પણ કર્મ અહીં કરવામાં આવે છે, તે બધા મરતા પહેલા જ લઇ લેવામાં આવે છે.

ਦਯੁ ਵਿਸਾਰਿ ਵਿਗੁਚਣਾ ਪ੍ਰਭ ਬਿਨੁ ਅਵਰੁ ਕੋਇ
પ્રેમ સ્વરૂપી પ્રભુને ભૂલીને નષ્ટ જ થાય છે. પરમાત્મા વગર જીવનો બીજો કોઈ સાથી નથી હોતો.

ਪ੍ਰੀਤਮ ਚਰਣੀ ਜੋ ਲਗੇ ਤਿਨ ਕੀ ਨਿਰਮਲ ਸੋਇ
જે લોકો પ્રભુ પ્રીતમના ચરણોમાં લાગે છે. તેની લોક પરલોકમાં સારી શોભા હોય છે.

error: Content is protected !!