GUJARATI PAGE 201

ਮਇਆ ਕਰੀ ਪੂਰਨ ਹਰਿ ਰਾਇਆ ॥੧॥ ਰਹਾਉ
પરમાત્માનું નામ સ્મરણ કરતા તેને હંમેશા જ આધ્યાત્મિક આનંદ મેળવ્યો છે ॥૧॥ વિરામ॥

ਕਹੁ ਨਾਨਕ ਜਾ ਕੇ ਪੂਰੇ ਭਾਗ
નાનક કહે છે, જે મનુષ્યનાં માથા પર પૂર્ણ ભાગ્ય જાગી જાય છે.

ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਅਸਥਿਰੁ ਸੋਹਾਗੁ ॥੨॥੧੦੬॥
એ સદાય પ્રભુ નામ જપે છે ને એના માથા પર સદાસ્થિર રહેનાર પ્રભુ પતિ કાયમ પોતાનો હાથ રાખે છે. ॥૨॥૧૦૬॥

ਗਉੜੀ ਮਹਲਾ
ગૌરી મહેલ ૫॥

ਧੋਤੀ ਖੋਲਿ ਵਿਛਾਏ ਹੇਠਿ
તે બ્રાહ્મણ શ્રાદ્ધ વગેરેના સમયે યજમાનના ઘરે જઈને ચોકમાં બેસીને પોતાની ધોતીનો ઉપરનો ભાગ ઉતારીને નીચે રાખી લે છે.

ਗਰਧਪ ਵਾਂਗੂ ਲਾਹੇ ਪੇਟਿ ॥੧॥
બ્રાહ્મણ પોતાના યજમાનોને આ જ કહે છે કે બ્રાહ્મણને દીધેલું દાન જ મોક્ષનું શીર્ષક મળવાનો રસ્તો છે અને ગધેડાની જેમ દબાદબખીર વગેરે પોતાના પેટ માં નાખે છે. ॥૧॥

ਬਿਨੁ ਕਰਤੂਤੀ ਮੁਕਤਿ ਪਾਈਐ
નામ જપવાની કમાણી કર્યા વગર મોક્ષનું શીર્ષક મળતું નથી.

ਮੁਕਤਿ ਪਦਾਰਥੁ ਨਾਮੁ ਧਿਆਈਐ ॥੧॥ ਰਹਾਉ
હે ભાઈ પ્રભુનામનું સ્મરણ કરવું જોઈએ મુક્તિ એવો પદાર્થ છે જે વિકારોથી મોક્ષ અપાવે છે. ॥૧॥ વિરામ॥

ਪੂਜਾ ਤਿਲਕ ਕਰਤ ਇਸਨਾਨਾਂ
બ્રાહ્મણ સ્નાન કરીને તિલક લગાવીને પૂજા કરે છે.

ਛੁਰੀ ਕਾਢਿ ਲੇਵੈ ਹਥਿ ਦਾਨਾ ॥੨॥
છરી કાઢીને હાથમાં દાન પ્રાપ્ત કરે છે. ॥૨॥

ਬੇਦੁ ਪੜੈ ਮੁਖਿ ਮੀਠੀ ਬਾਣੀ
બ્રાહ્મણ મુખથી મીઠા સ્વરોમાં વેદ મંત્રો વાંચે છે.

ਜੀਆਂ ਕੁਹਤ ਸੰਗੈ ਪਰਾਣੀ ॥੩॥
પરંતુ પોતાના યજમાનો સાથે છેતરામણી કરતા લેશમાત્ર પણ શરમાતો નથી. ॥3॥

ਕਹੁ ਨਾਨਕ ਜਿਸੁ ਕਿਰਪਾ ਧਾਰੈ
નાનક કહે એ બ્રાહ્મણોના વશમાં પણ શું છે જે મનુષ્ય પર પ્રભુ જેના પર કૃપા કરે છે,

ਹਿਰਦਾ ਸੁਧੁ ਬ੍ਰਹਮੁ ਬੀਚਾਰੈ ॥੪॥੧੦੭॥
એ જ પ્રભુના ગુણોને હૃદયમાં વસાવે છે જેની કૃપાથી એનું હૃદય પવિત્ર બની જાય છે અને એ બીજા સાથે છળ કપટ કરતા નથી. ॥૪॥૧૦૭॥

ਗਉੜੀ ਮਹਲਾ
ગૌરી મહેલ ૫॥

ਥਿਰੁ ਘਰਿ ਬੈਸਹੁ ਹਰਿ ਜਨ ਪਿਆਰੇ
હે વ્હાલા ભક્તજનો! હૃદયમાં સંપૂર્ણ શ્રદ્ધા બનાવ,

ਸਤਿਗੁਰਿ ਤੁਮਰੇ ਕਾਜ ਸਵਾਰੇ ॥੧॥ ਰਹਾਉ
સતગુરુએ તમારા બધા કામ સુધારી દીધા છે. સતગુરુની શરણે પડેલાના બધા કામો સુધારી દે છે ॥૧॥॥ વિરામ॥

ਦੁਸਟ ਦੂਤ ਪਰਮੇਸਰਿ ਮਾਰੇ
હે સંતજનો એવો નિશ્ચય ધારણ કરો કે જે મનુષ્ય બીજા આશરાના છોડી પ્રભુના આશરે રહે છે પરમાત્મા તેને કષ્ટ દેવાવાળા બધા દુશમન સમાપ્ત કરી દે છે.

ਜਨ ਕੀ ਪੈਜ ਰਖੀ ਕਰਤਾਰੇ ॥੧॥
કર્તારે પોતાના સેવકોની લાજ જરૂર રાખે છે ॥૧॥

ਬਾਦਿਸਾਹ ਸਾਹ ਸਭ ਵਸਿ ਕਰਿ ਦੀਨੇ
હે સંતજનો પ્રભુએ પોતાના સેવકોને દુનિયાના શાહો બાદશાહોથી આઝાદ કરી દીધા છે,

ਅੰਮ੍ਰਿਤ ਨਾਮ ਮਹਾ ਰਸ ਪੀਨੇ ॥੨॥
પ્રભુના સેવકો આધ્યાત્મિક જીવન આપનારા પરમાત્માના બધા રસોથી વધારે મીઠો પ્રભુના નામનો રસ પીવે છે. ॥૨॥

ਰਭਉ ਹੋਇ ਭਜਹੁ ਭਗਵਾਨ
હે વ્હાલા ભક્તજનો! તું નીડર થઈને પ્રભુના નામનું સ્મરણ કરતો રહે.

ਸਾਧਸੰਗਤਿ ਮਿਲਿ ਕੀਨੋ ਦਾਨੁ ॥੩॥
સાધુ-સગતિમાં મળીને તારા પર નામની બક્ષિસ કરી છે ॥3॥

ਸਰਣਿ ਪਰੇ ਪ੍ਰਭ ਅੰਤਰਜਾਮੀ
હે અંતર્યામી પ્રભુ! હે સ્વામી પ્રભુ! હું તારા શરણે પડ્યો છું.

ਨਾਨਕ ਓਟ ਪਕਰੀ ਪ੍ਰਭ ਸੁਆਮੀ ॥੪॥੧੦੮॥
નાનક કહે છે, મેં તારો આશરો લીધો છે મને તારા નામનું દાન આપ. ॥૪॥૧૦૮॥

ਗਉੜੀ ਮਹਲਾ
ગૌરી મહેલ ૫॥

ਹਰਿ ਸੰਗਿ ਰਾਤੇ ਭਾਹਿ ਜਲੈ
હે ભાઈ! પ્રભુ સાથે રંગાયેલા રહેવાથી મનુષ્ય તૃષ્ણાની આગમાં બળતો નથી.

ਹਰਿ ਸੰਗਿ ਰਾਤੇ ਮਾਇਆ ਨਹੀ ਛਲੈ
પ્રભુની શરણમાં જોડાયેલા રહેવાથી મનુષ્યને માયા છેતરી શકતી નથી.

ਹਰਿ ਸੰਗਿ ਰਾਤੇ ਨਹੀ ਡੂਬੈ ਜਲਾ
પ્રભુની યાદમાં મસ્ત રહેવાથી મનુષ્ય સંસાર સમુદ્રના વિકારોના પાણીમાં ડૂબી શકતો નથી.

ਹਰਿ ਸੰਗਿ ਰਾਤੇ ਸੁਫਲ ਫਲਾ ॥੧॥
પ્રભુની સાથે રહેવાથી મનુષ્ય પોતાના જન્મનો સુંદર ઉદેશ્ય પામી લે છે. ॥૧॥

ਸਭ ਭੈ ਮਿਟਹਿ ਤੁਮਾਰੈ ਨਾਇ
હે પ્રભુ તારા નામ સાથે જોડાઈને રહેવાથી મનુષ્ય ના બધા દુઃખો દૂર થઈ જાય છે.

ਭੇਟਤ ਸੰਗਿ ਹਰਿ ਹਰਿ ਗੁਨ ਗਾਇ ਰਹਾਉ
હે ભાઈ પ્રભુની સંગતિમાં એના ચરણોમાં જોડાઈ રહેવાથી મનુષ્ય પ્રભુના જ ગુણ ગાતો રહે છે ॥વિરામ॥

ਹਰਿ ਸੰਗਿ ਰਾਤੇ ਮਿਟੈ ਸਭ ਚਿੰਤਾ
હે ભાઈ! પ્રભુની યાદમાં જોડાય રહેવાથી મનુષ્યની બધા પ્રકારની ચિંતા દૂર થઈ જાય છે.

ਹਰਿ ਸਿਉ ਸੋ ਰਚੈ ਜਿਸੁ ਸਾਧ ਕਾ ਮੰਤਾ
પરંતુ પ્રભુની યાદમાં એ જ જોડાય શકે જેને ગુરુનો ઉપદેશ પ્રાપ્ત થાય છે.

ਹਰਿ ਸੰਗਿ ਰਾਤੇ ਜਮ ਕੀ ਨਹੀ ਤ੍ਰਾਸ
પ્રભુની સંગતમાં રંગાઈને રહેવાથી મૃત્યુનો ડર રહેતો નથી.

ਹਰਿ ਸੰਗਿ ਰਾਤੇ ਪੂਰਨ ਆਸ ॥੨॥
પ્રભુની સંગતમાં રંગાઈને રહેવાથી મનુષ્યની બધી આશાઓ પુરી થઇ જાય છે. ॥૨॥

ਹਰਿ ਸੰਗਿ ਰਾਤੇ ਦੂਖੁ ਲਾਗੈ
હે ભાઈ! પ્રભુના ચરણોમાં જોડાઈને રહેવાથી કોઈ પણ પ્રકારનું દુઃખ સ્પર્શી શકતું નથી.

ਹਰਿ ਸੰਗਿ ਰਾਤਾ ਅਨਦਿਨੁ ਜਾਗੈ
જે મનુષ્ય હંમેશા પ્રભુની યાદમાં મસ્ત રહે છે એ વિકારોના હુમલાઓથી દરરોજ સાવધાન રહે છે.

ਹਰਿ ਸੰਗਿ ਰਾਤਾ ਸਹਜ ਘਰਿ ਵਸੈ
પ્રભુની સંગતમાં રહેવાથી એ મનુષ્ય આધ્યાત્મિક સ્થિરતાની અવસ્થામાં ટકી રહે છે.

ਹਰਿ ਸੰਗਿ ਰਾਤੇ ਭ੍ਰਮੁ ਭਉ ਨਸੈ ॥੩॥
પ્રભુની યાદમાં જોડાયને રહેવાથી મનુષ્યની દરેક પ્રકારની ભ્રમણાઓ અને ડર દૂર થઇ જાય છે. ॥3॥

ਹਰਿ ਸੰਗਿ ਰਾਤੇ ਮਤਿ ਊਤਮ ਹੋਇ
પ્રભુની સંગતમાં રહેવાથી મનુષ્યની બુદ્ધિ ઉત્તમ થઈ જાય છે,

ਹਰਿ ਸੰਗਿ ਰਾਤੇ ਨਿਰਮਲ ਸੋਇ
પ્રભુની સંગતમાં રહેવાથી મનુષ્ય પવિત્ર બની જાય છે.

ਕਹੁ ਨਾਨਕ ਤਿਨ ਕਉ ਬਲਿ ਜਾਈ   
નાનક કહે છે, હું એ લોકો પર કુરબાન જાઉં છું.

ਜਿਨ ਕਉ ਪ੍ਰਭੁ ਮੇਰਾ ਬਿਸਰਤ ਨਾਹੀ ॥੪॥੧੦੯॥
જે મારા પ્રભુને ક્યારેય ભૂલતા નથી. ॥૪॥૧૦૯॥

ਗਉੜੀ ਮਹਲਾ
ગૌરી મહેલ ૫॥

ਉਦਮੁ ਕਰਤ ਸੀਤਲ ਮਨ ਭਏ
હે ભાઈ સાધુ સંગતમાં જવાનો પરિશ્રમ કરીને મનુષ્યનું મન શાંત થઇ જાય છે.

ਮਾਰਗਿ ਚਲਤ ਸਗਲ ਦੁਖ ਗਏ
સાધુ સંગતના રસ્તા પર ચાલવાથી મનુષ્યના બધા દુઃખ દૂર થઈ જાય છે,

ਨਾਮੁ ਜਪਤ ਮਨਿ ਭਏ ਅਨੰਦ
હે ભાઈ પ્રભુનામ જપવાથી મનને આનંદ મળે છે,

ਰਸਿ ਗਾਏ ਗੁਨ ਪਰਮਾਨੰਦ ॥੧॥
સર્વોચ્ચ પ્રભુના વખાણ કરવાથી પરમ આનંદ પ્રાપ્ત થાય છે. ॥૧॥

ਖੇਮ ਭਇਆ ਕੁਸਲ ਘਰਿ ਆਏ
જે લોકો સાધુ સંગતમાં રહે છે તે હંમેશા સુખ જ સુખ પ્રાપ્ત થાય છે એ આનંદની અવસ્થામાં ટકી રહે છે,

ਭੇਟਤ ਸਾਧਸੰਗਿ ਗਈ ਬਲਾਏ ਰਹਾਉ
હે ભાઈ! સાધુ સંગત માં રહેવાથી માયા રૂપી વળગણ દૂર થઇ જાય છે. ॥વિરામ॥

ਨੇਤ੍ਰ ਪੁਨੀਤ ਪੇਖਤ ਹੀ ਦਰਸ
હે ભાઈ! ગોવિંદના દર્શન કરવાથી આંખો વિકારો અને વાસનાઓ વગરની થઇ પવિત્ર બની જાય છે,

ਧਨਿ ਮਸਤਕ ਚਰਨ ਕਮਲ ਹੀ ਪਰਸ
હે ભાઈ! ભાગ્યશાળી એ માથું છે જેને ગોવિંદના સુંદર ચરણોનો સ્પર્શ મળે છે,

ਗੋਬਿੰਦ ਕੀ ਟਹਲ ਸਫਲ ਇਹ ਕਾਂਇਆ
પ્રભુની સેવા કરવાથી આ શરીર સફળ થઇ જાય છે,

error: Content is protected !!