Gujarati Page 583

ਆਪੁ ਛੋਡਿ ਸੇਵਾ ਕਰੀ ਪਿਰੁ ਸਚੜਾ ਮਿਲੈ ਸਹਜਿ ਸੁਭਾਏ ॥
પોતાનો અહંકાર મટાડીને હું તેની શ્રદ્ધાપૂર્વક સેવા કરું છું, આ રીતે સરળ સ્વભાવ જ સાચો પતિ-પ્રભુ મને મળી જશે.

ਪਿਰੁ ਸਚਾ ਮਿਲੈ ਆਏ ਸਾਚੁ ਕਮਾਏ ਸਾਚਿ ਸਬਦਿ ਧਨ ਰਾਤੀ ॥
જીવ-સ્ત્રી સત્યની સાધના કરે છે તેમજ સાચા શબ્દોમાં અનુયાયી થઈ છે. આ રીતે સાચો પતિ-પરમેશ્વર આવીને તેને મળી જાય છે.

ਕਦੇ ਨ ਰਾਂਡ ਸਦਾ ਸੋਹਾਗਣਿ ਅੰਤਰਿ ਸਹਜ ਸਮਾਧੀ ॥
તે ક્યારેય વિધવા થતી નથી અને હંમેશા સુહાગન બની રહે છે. 

ਪਿਰੁ ਰਹਿਆ ਭਰਪੂਰੇ ਵੇਖੁ ਹਦੂਰੇ ਰੰਗੁ ਮਾਣੇ ਸਹਜਿ ਸੁਭਾਏ ॥
પતિ-પરમેશ્વર સર્વવ્યાપક છે, તેને પ્રત્યક્ષ જોઈને તે સરળ-સ્વભાવ જ તેના પ્રેમનો આનંદ પ્રાપ્ત કરે છે.

ਜਿਨੀ ਆਪਣਾ ਕੰਤੁ ਪਛਾਣਿਆ ਹਉ ਤਿਨ ਪੂਛਉ ਸੰਤਾ ਜਾਏ ॥੩॥
જેને પોતાના પતિ-પરમેશ્વરને ઓળખી લીધો છે, હું તે સંતજનોની પાસે જઈને પોતાના સ્વામી વિશે પૂછું છું ॥૩॥

ਪਿਰਹੁ ਵਿਛੁੰਨੀਆ ਭੀ ਮਿਲਹ ਜੇ ਸਤਿਗੁਰ ਲਾਗਹ ਸਾਚੇ ਪਾਏ ॥
પતિ-પરમેશ્વરથી અલગ થયેલ જીવ-સ્ત્રીઓનો પોતાના સ્વામીથી મેળાપ થઈ જાય છે; જો તે સદ્દગુરૂના ચરણમાં લાગી જાય.

ਸਤਿਗੁਰੁ ਸਦਾ ਦਇਆਲੁ ਹੈ ਅਵਗੁਣ ਸਬਦਿ ਜਲਾਏ ॥
સદ્દગુરુ હંમેશા દયાનું ઘર છે, તેના શબ્દો દ્વારા મનુષ્યના અવગુણ મટી જાય છે.

ਅਉਗੁਣ ਸਬਦਿ ਜਲਾਏ ਦੂਜਾ ਭਾਉ ਗਵਾਏ ਸਚੇ ਹੀ ਸਚਿ ਰਾਤੀ ॥
પોતાના અવગુણોને ગુરુના શબ્દ દ્વારા સળગાવીને જીવ મોહ-માયાને ત્યાગી દે છે અને ફક્ત સત્યમાં જ સમાયેલ રહે છે.

ਸਚੈ ਸਬਦਿ ਸਦਾ ਸੁਖੁ ਪਾਇਆ ਹਉਮੈ ਗਈ ਭਰਾਤੀ ॥
સત્ય શબ્દ દ્વારા હંમેશા સુખ પ્રાપ્ત થાય છે અને અહંકાર તેમજ ગેરસમજો દૂર થઈ જાય છે.

ਪਿਰੁ ਨਿਰਮਾਇਲੁ ਸਦਾ ਸੁਖਦਾਤਾ ਨਾਨਕ ਸਬਦਿ ਮਿਲਾਏ ॥
હે નાનક! પવિત્ર પતિ-પરમેશ્વર હંમેશા જ સુખ આપનાર છે અને તે શબ્દ દ્વારા જ મળે છે.

ਪਿਰਹੁ ਵਿਛੁੰਨੀਆ ਭੀ ਮਿਲਹ ਜੇ ਸਤਿਗੁਰ ਲਾਗਹ ਸਾਚੇ ਪਾਏ ॥੪॥੧॥
પતિ-પરમેશ્વરથી અલગ થયેલ જીવ-સ્ત્રીઓનો પણ પોતાના સાચા સ્વામીથી મેળાપ થઈ જાય છે, જો તે સદ્દગુરૂના ચરણોમાં લાગી જાય ॥૪॥૧॥

ਵਡਹੰਸੁ ਮਹਲਾ ੩ ॥
વડહંસ મહેલ ૩॥

ਸੁਣਿਅਹੁ ਕੰਤ ਮਹੇਲੀਹੋ ਪਿਰੁ ਸੇਵਿਹੁ ਸਬਦਿ ਵੀਚਾਰਿ ॥
હે પતિ-પરમેશ્વરની સ્ત્રીઓ! ધ્યાનપૂર્વક સાંભળો, શબ્દનો વિચાર કરીને પોતાના પ્રિયતમ પ્રભુની સેવા કરો.

ਅਵਗਣਵੰਤੀ ਪਿਰੁ ਨ ਜਾਣਈ ਮੁਠੀ ਰੋਵੈ ਕੰਤ ਵਿਸਾਰਿ ॥
અવગુણોથી ભરેલી સ્ત્રી પોતાના પ્રિયતમને જાણતી નથી અને તે મોહ-માયામાં ઠગેલી પોતાના પતિ-પ્રભુને ભૂલીને રોતી રહે છે.

ਰੋਵੈ ਕੰਤ ਸੰਮਾਲਿ ਸਦਾ ਗੁਣ ਸਾਰਿ ਨਾ ਪਿਰੁ ਮਰੈ ਨ ਜਾਏ ॥
જે જીવ-સ્ત્રી પોતાના પ્રભુના ગુણોને યાદ કરીને વેરાગમાં આંસુ વહાવે છે, તેનો સ્વામી ન મરે છે અને ન ક્યાંય જાય છે.

ਗੁਰਮੁਖਿ ਜਾਤਾ ਸਬਦਿ ਪਛਾਤਾ ਸਾਚੈ ਪ੍ਰੇਮਿ ਸਮਾਏ ॥
જે જીવ-સ્ત્રીએ ગુરુના માધ્યમથી પ્રભુને જાણી લીધો છે તેમજ શબ્દો દ્વારા ઓળખ કરી લીધી છે, તે સાચા પ્રભુના પ્રેમમાં સમાઈ રહે છે.

ਜਿਨਿ ਅਪਣਾ ਪਿਰੁ ਨਹੀ ਜਾਤਾ ਕਰਮ ਬਿਧਾਤਾ ਕੂੜਿ ਮੁਠੀ ਕੂੜਿਆਰੇ ॥
જેને પોતાના પ્રિયતમ કર્મ વિધાતાને સમજ્યો નથી, તે અસત્ય જીવ-સ્ત્રીને અસત્યએ ઠગી લીધી છે.

ਸੁਣਿਅਹੁ ਕੰਤ ਮਹੇਲੀਹੋ ਪਿਰੁ ਸੇਵਿਹੁ ਸਬਦਿ ਵੀਚਾਰੇ ॥੧॥
હે પતિ-પરમેશ્વરની સ્ત્રીઓ! ધ્યાનપૂર્વક સાંભળો, શબ્દનો વિચાર કરીને પોતાના પ્રિયતમ પ્રભુની સેવા કરો ॥૧॥

ਸਭੁ ਜਗੁ ਆਪਿ ਉਪਾਇਓਨੁ ਆਵਣੁ ਜਾਣੁ ਸੰਸਾਰਾ ॥
આખા સંસારની ઉત્પતિ પરમેશ્વરે પોતે જ કરી છે અને આ સંસાર આવક-જાવક અર્થાત જન્મ-મરણના ચક્રમાં પડ્યું છે.

ਮਾਇਆ ਮੋਹੁ ਖੁਆਇਅਨੁ ਮਰਿ ਜੰਮੈ ਵਾਰੋ ਵਾਰਾ ॥
માયાના મોહે જીવ-સ્ત્રીને નષ્ટ કરી દીધી છે અને તે વારંવાર મરે તેમજ જન્મ લે છે.

ਮਰਿ ਜੰਮੈ ਵਾਰੋ ਵਾਰਾ ਵਧਹਿ ਬਿਕਾਰਾ ਗਿਆਨ ਵਿਹੂਣੀ ਮੂਠੀ ॥
તે વારંવાર મરે તેમજ દુનિયામાં જન્મ લે છે, તેના પાપ-વિકાર વધતા જાય છે તેમજ જ્ઞાન વગર તે ઠગાઈ ગઈ છે.

ਬਿਨੁ ਸਬਦੈ ਪਿਰੁ ਨ ਪਾਇਓ ਜਨਮੁ ਗਵਾਇਓ ਰੋਵੈ ਅਵਗੁਣਿਆਰੀ ਝੂਠੀ ॥
શબ્દ વગર તેને પ્રિયતમ પ્રાપ્ત થતો નથી અને પોતાનું અમૂલ્ય જીવન વ્યર્થ ગુમાવી દે છે. આ રીતે ગુણોથી વિહીન અસત્ય જીવ-સ્ત્રી વિલાપ કરે છે.

ਪਿਰੁ ਜਗਜੀਵਨੁ ਕਿਸ ਨੋ ਰੋਈਐ ਰੋਵੈ ਕੰਤੁ ਵਿਸਾਰੇ ॥
પ્રિયતમ-પ્રભુ તો જગતનું જીવન છે તો પછી કોના માટે વિલાપ કરવું. જીવ-સ્ત્રી પોતાના પતિ-પ્રભુને ભૂલવા પર જ રૂદન કરે છે.

ਸਭੁ ਜਗੁ ਆਪਿ ਉਪਾਇਓਨੁ ਆਵਣੁ ਜਾਣੁ ਸੰਸਾਰੇ ॥੨॥
આખું જગત પરમાત્માએ પોતે ઉત્પન્ન કર્યું છે અને આ સંસાર જન્મતુ-મરતું રહે છે ॥૨॥

ਸੋ ਪਿਰੁ ਸਚਾ ਸਦ ਹੀ ਸਾਚਾ ਹੈ ਨਾ ਓਹੁ ਮਰੈ ਨ ਜਾਏ ॥
તે પતિ-પ્રભુ હંમેશા સત્ય છે. તે અમર અર્થાત ન તો તે મરે છે તેમજ ન તો ક્યાંય જાય છે. 

ਭੂਲੀ ਫਿਰੈ ਧਨ ਇਆਣੀਆ ਰੰਡ ਬੈਠੀ ਦੂਜੈ ਭਾਏ ॥
ભૂલેલી જીવ-સ્ત્રી ભટકતી રહે છે અને દ્વેતભાવ દ્વારા વિધવા બની બેઠેલી છે. 

ਰੰਡ ਬੈਠੀ ਦੂਜੈ ਭਾਏ ਮਾਇਆ ਮੋਹਿ ਦੁਖੁ ਪਾਏ ਆਵ ਘਟੈ ਤਨੁ ਛੀਜੈ ॥
દ્વૈત ભાવ દ્વારા વિધવાની જેમ બેસેલી છે; માયાના મોહને કારણે તે દુઃખ પ્રાપ્ત કરે છે, તેની ઉમર ઓછી થતી જઈ રહી છે અને શરીર પણ નાશ થતું જઈ રહ્યું છે.

ਜੋ ਕਿਛੁ ਆਇਆ ਸਭੁ ਕਿਛੁ ਜਾਸੀ ਦੁਖੁ ਲਾਗਾ ਭਾਇ ਦੂਜੈ ॥
જે કાંઈ પણ ઉત્પન્ન થયું છે, તે બધું જ નાશ થઈ જશે. સાંસારિક આકર્ષણને કારણે મનુષ્ય દુઃખ પ્રાપ્ત કરે છે.

ਜਮਕਾਲੁ ਨ ਸੂਝੈ ਮਾਇਆ ਜਗੁ ਲੂਝੈ ਲਬਿ ਲੋਭਿ ਚਿਤੁ ਲਾਏ ॥
દુનિયા માયાની લાલચમાં હંમેશા ઉલજતી રહે છે, તેને આ લાલાચમા મૃત્યુનું પણ ધ્યાન આવતું નથી અને પોતાના મનને લોભ તેમજ લાલાચમાં લગાવતી રહે છે.

ਸੋ ਪਿਰੁ ਸਾਚਾ ਸਦ ਹੀ ਸਾਚਾ ਨਾ ਓਹੁ ਮਰੈ ਨ ਜਾਏ ॥੩॥
તે પતિ-પ્રભુ હંમેશા સત્ય છે, તે અમર છે અર્થાત ન તો મરે છે અને ન તો ક્યાંય જાય છે ॥૩॥

ਇਕਿ ਰੋਵਹਿ ਪਿਰਹਿ ਵਿਛੁੰਨੀਆ ਅੰਧੀ ਨਾ ਜਾਣੈ ਪਿਰੁ ਨਾਲੇ ॥
પોતાના પતિ-પરમેશ્વરથી અલગ થયેલી કેટલીય જીવ-સ્ત્રીઓ રોતી રહે છે. અજ્ઞાનતામાં અંધ થયેલી આ જાણતી નથી કે તેનો પતિ-પરમેશ્વર તો તેની સાથે જ નિવાસ કરે છે.

ਗੁਰ ਪਰਸਾਦੀ ਸਾਚਾ ਪਿਰੁ ਮਿਲੈ ਅੰਤਰਿ ਸਦਾ ਸਮਾਲੇ ॥
ગુરુની કૃપાથી સાચો પતિ-પરમેશ્વર મળે છે અને જીવ-સ્ત્રી પોતાના હૃદયમાં હંમેશા તેને યાદ કરે છે.

ਪਿਰੁ ਅੰਤਰਿ ਸਮਾਲੇ ਸਦਾ ਹੈ ਨਾਲੇ ਮਨਮੁਖਿ ਜਾਤਾ ਦੂਰੇ ॥
પ્રિયતમ પ્રભુને હંમેશા પોતાની સાથે સમજીને તે પોતાના હૃદયમાં તેને સ્મરણ કરે છે. પરંતુ મનમુખ જીવ-સ્ત્રીઓ તેને દૂર જ સમજે છે.

ਇਹੁ ਤਨੁ ਰੁਲੈ ਰੁਲਾਇਆ ਕਾਮਿ ਨ ਆਇਆ ਜਿਨਿ ਖਸਮੁ ਨ ਜਾਤਾ ਹਦੂਰੇ ॥
જેને પરમેશ્વરને પોતાની પાસે અનુભવ કર્યો નથી, તેનું આ શરીર માટીમાં મળીને ખરાબ થઈ જાય છે અને કોઈ કામમાં આવતું નથી.

error: Content is protected !!