GUJARATI PAGE 940

ਕਿਤੁ ਬਿਧਿ ਆਸਾ ਮਨਸਾ ਖਾਈ ॥
તે કઈ વિધિ દ્વારા પોતાની આશા તેમજ ઇચ્છાઓને સમાપ્ત કરી લીધી છે અને 

ਕਿਤੁ ਬਿਧਿ ਜੋਤਿ ਨਿਰੰਤਰਿ ਪਾਈ ॥
કઈ વિધિ દ્વારા પરમ-પ્રકાશ પ્રાપ્ત કરી લીધો છે? 

ਬਿਨੁ ਦੰਤਾ ਕਿਉ ਖਾਈਐ ਸਾਰੁ ॥
દાંતા વગર અહંકારરૂપી લોખંડ કેવી રીતે ચાવી શકાય છે? 

ਨਾਨਕ ਸਾਚਾ ਕਰਹੁ ਬੀਚਾਰੁ ॥੧੯॥
હે નાનક! આ વિશે સાચો વિચાર કર ॥૧૯॥ 

ਸਤਿਗੁਰ ਕੈ ਜਨਮੇ ਗਵਨੁ ਮਿਟਾਇਆ ॥
ગુરુ નાનક દેવ ઉત્તર દે છે કે જ્યારે મેં સદ્દગુરૂનો આશ્રય લઈને જીવન બદલાવી લીધું છે તો તેને મારી આવકજાવક જ મટાડી દીધું. 

ਅਨਹਤਿ ਰਾਤੇ ਇਹੁ ਮਨੁ ਲਾਇਆ ॥
મારુ મન અનાહત શબ્દમાં જ પ્રવૃત રહે છે અને

ਮਨਸਾ ਆਸਾ ਸਬਦਿ ਜਲਾਈ ॥
બ્રહ્મ-શબ્દ દ્વારા આશા-ઈચ્છાને સળગાવી દીધી છે. 

ਗੁਰਮੁਖਿ ਜੋਤਿ ਨਿਰੰਤਰਿ ਪਾਈ ॥
મેં ગુરુમુખ બનીને નિરંતર પ્રગટેલ પરમ-પ્રકાશ પ્રાપ્ત કરી લીધો છે.

ਤ੍ਰੈ ਗੁਣ ਮੇਟੇ ਖਾਈਐ ਸਾਰੁ ॥
જે માયાના ત્રણ ગુણોને પોતાના મનથી મટાડી દે છે, તે જ અહંકારરૂપી લોખંડને ચાવે છે. 

ਨਾਨਕ ਤਾਰੇ ਤਾਰਣਹਾਰੁ ॥੨੦॥
હે નાનક! તારણહાર પરમાત્મા પોતે જ સંસાર સમુદ્રથી પાર કરાવી દે છે ॥૨૦॥ 

ਆਦਿ ਕਉ ਕਵਨੁ ਬੀਚਾਰੁ ਕਥੀਅਲੇ ਸੁੰਨ ਕਹਾ ਘਰ ਵਾਸੋ ॥
સિધ્ધોએ ફરી પૂછ્યું – સૃષ્ટિ-રચનાના સંબંધમાં તારો શું વિચાર છે અને આ પણ કહે કે શૂન્ય રૂપમાં પરમ-સત્યનો ક્યાં વાસ હતો? 

ਗਿਆਨ ਕੀ ਮੁਦ੍ਰਾ ਕਵਨ ਕਥੀਅਲੇ ਘਟਿ ਘਟਿ ਕਵਨ ਨਿਵਾਸੋ ॥
જ્ઞાનની મુદ્રા વિશે તું શું કહે છે અને દરેક શરીરમાં કોનો નિવાસ છે? 

ਕਾਲ ਕਾ ਠੀਗਾ ਕਿਉ ਜਲਾਈਅਲੇ ਕਿਉ ਨਿਰਭਉ ਘਰਿ ਜਾਈਐ ॥
કાળની ઇજાથી કઈ રીતે બચી શકાય છે? અને નિર્ભય થઈને સાચા ઘરમાં કેવી રીતે જવાય? 

ਸਹਜ ਸੰਤੋਖ ਕਾ ਆਸਣੁ ਜਾਣੈ ਕਿਉ ਛੇਦੇ ਬੈਰਾਈਐ ॥
સરળ સંતોષનું આસન કઈ રીતે જણાય અને કામાદિક વેરીઓનો નાશ કઈ રીતે કરી શકાય છે? 

ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਹਉਮੈ ਬਿਖੁ ਮਾਰੈ ਤਾ ਨਿਜ ਘਰਿ ਹੋਵੈ ਵਾਸੋ ॥
ગુરુ નાનક દેવ ઉત્તર દે છે કે જે મનુષ્ય ગુરુના શબ્દ દ્વારા અહમરુપી ઝેરને સમાપ્ત કરી દે છે, તેનો સાચા ઘરમાં નિવાસ થઈ જાય છે. 

ਜਿਨਿ ਰਚਿ ਰਚਿਆ ਤਿਸੁ ਸਬਦਿ ਪਛਾਣੈ ਨਾਨਕੁ ਤਾ ਕਾ ਦਾਸੋ ॥੨੧॥
જેને આ સૃષ્ટિ રચના કરી છે, જે તેને શબ્દ દ્વારા ઓળખી લે છે, નાનક તો તેનો દાસ છે ॥૨૧॥ 

ਕਹਾ ਤੇ ਆਵੈ ਕਹਾ ਇਹੁ ਜਾਵੈ ਕਹਾ ਇਹੁ ਰਹੈ ਸਮਾਈ ॥
સિધ્ધોએ ફરી પ્રશ્ન કર્યો કે આ જીવ ક્યાંથી આવે છે અને ક્યાંય ચાલ્યો જાય છે? આવવાથી પૂર્વ તેમજ જવા પછી આ ક્યાં સમાઈ રહે છે

ਏਸੁ ਸਬਦ ਕਉ ਜੋ ਅਰਥਾਵੈ ਤਿਸੁ ਗੁਰ ਤਿਲੁ ਨ ਤਮਾਈ ॥
જે આ શબ્દના અર્થને સમજાવી દે છે, તે ગુરુને તલ માત્ર પણ લોભ નથી. 

ਕਿਉ ਤਤੈ ਅਵਿਗਤੈ ਪਾਵੈ ਗੁਰਮੁਖਿ ਲਗੈ ਪਿਆਰੋ ॥
જીવ કેવી રીતે પરમ તત્વ પરમાત્માને પ્રાપ્ત કરે અને ગુરુના માધ્યમથી તેનો કઈ રીતે સત્યથી પ્રેમ થાય? 

ਆਪੇ ਸੁਰਤਾ ਆਪੇ ਕਰਤਾ ਕਹੁ ਨਾਨਕ ਬੀਚਾਰੋ ॥
હે નાનક! તે પરમાત્મા વિશે પોતાનો વિચાર બતાવ, જે પોતે જ જીવોને ઉત્પન્ન કરનાર છે અને પોતે જ દુઃખ-સુખ સાંભળનાર છે. 

ਹੁਕਮੇ ਆਵੈ ਹੁਕਮੇ ਜਾਵੈ ਹੁਕਮੇ ਰਹੈ ਸਮਾਈ ॥
ગુરુ નાનક ઉત્તર દે છે કે જીવ પરમાત્માના હુકમથી જન્મ લે છે, તેના હુકમથી જ ચાલ્યો જાય છે અને તેના હુકમથી જ સત્યમાં સમાઈ રહે છે. 

ਪੂਰੇ ਗੁਰ ਤੇ ਸਾਚੁ ਕਮਾਵੈ ਗਤਿ ਮਿਤਿ ਸਬਦੇ ਪਾਈ ॥੨੨॥
જીવ સંપૂર્ણ ગુરુ દ્વારા જ સતકર્મ કરે છે અને શબ્દથી જ સત્યની ગતિને સમજી લે છે ॥૨૨॥

ਆਦਿ ਕਉ ਬਿਸਮਾਦੁ ਬੀਚਾਰੁ ਕਥੀਅਲੇ ਸੁੰਨ ਨਿਰੰਤਰਿ ਵਾਸੁ ਲੀਆ ॥
પાછળ પૂછેલા પ્રશ્નોનો ઉત્તર દેતા ગુરુ સિદ્ધોને બતાવે છે કે સૃષ્ટિ-રચના વિશે મારો વિચાર આ છે કે તેને અદભુત પણ કહી શકાય છે. પ્રભુએ નિરંતર શૂન્ય સ્થિતીમાં નિવાસ કરેલ હતો. 

ਅਕਲਪਤ ਮੁਦ੍ਰਾ ਗੁਰ ਗਿਆਨੁ ਬੀਚਾਰੀਅਲੇ ਘਟਿ ਘਟਿ ਸਾਚਾ ਸਰਬ ਜੀਆ ॥
ગુરુનું જ્ઞાન જ નિર્વિકલ્પ મુદ્રા છે, જેનો વિચાર કરવાથી આ ખબર પડે છે કે બધા જીવોનો સાચો પરમાત્મા દરેક શરીરમાં વ્યાપ્ત છે. 

ਗੁਰ ਬਚਨੀ ਅਵਿਗਤਿ ਸਮਾਈਐ ਤਤੁ ਨਿਰੰਜਨੁ ਸਹਜਿ ਲਹੈ ॥
જ્યારે જીવ ગુરુના વચનો દ્વારા પ્રભુમાં લીન થઈ જાય છે તો તે સરળ જ પરમતત્વ નિરંજનને મેળવી લે છે. 

ਨਾਨਕ ਦੂਜੀ ਕਾਰ ਨ ਕਰਣੀ ਸੇਵੈ ਸਿਖੁ ਸੁ ਖੋਜਿ ਲਹੈ ॥
નાનક કહે છે કે જે શિષ્ય ગુરુની સેવા કરે છે, તે શોધ કરીને સત્યને પ્રાપ્ત કરી લે છે અને તેને બીજા કાર્ય કરવા જોઈએ નહીં. 

ਹੁਕਮੁ ਬਿਸਮਾਦੁ ਹੁਕਮਿ ਪਛਾਣੈ ਜੀਅ ਜੁਗਤਿ ਸਚੁ ਜਾਣੈ ਸੋਈ ॥
પરમાત્માનો હુકમ વિસ્મય છે, જે તેના હુકમને ઓળખી લે છે, તે આ વિચાર દ્વારા તે સત્યને જાણી લે છે. 

ਆਪੁ ਮੇਟਿ ਨਿਰਾਲਮੁ ਹੋਵੈ ਅੰਤਰਿ ਸਾਚੁ ਜੋਗੀ ਕਹੀਐ ਸੋਈ ॥੨੩॥
તે જ સાચો યોગી કહેવાય છે, જે પોતાના અહમને મટાડીને દુનિયાથી નિર્લિપ્ત થઈ જાય છે અને તેના અંતરમનમાં સત્યનો નિવાસ થઈ જાય છે ॥૨૩॥ 

ਅਵਿਗਤੋ ਨਿਰਮਾਇਲੁ ਉਪਜੇ ਨਿਰਗੁਣ ਤੇ ਸਰਗੁਣੁ ਥੀਆ ॥
ગુરુ નાનક દેવ સિધ્ધોને સમજાવે છે કે નિર્મળ પરમાત્મા અવિગત રૂપથી ઉત્પન્ન થયો છે અને તે પોતાના નિર્ગુણ રૂપથી સગુણ સ્વરૂપ થઈ ગયો. 

ਸਤਿਗੁਰ ਪਰਚੈ ਪਰਮ ਪਦੁ ਪਾਈਐ ਸਾਚੈ ਸਬਦਿ ਸਮਾਇ ਲੀਆ ॥
જો જીવનું મન સદ્દગુરૂમાં લીન રહે તો તેને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે અને તે સાચા-શબ્દમાં જ જોડાય જાય છે. 

ਏਕੇ ਕਉ ਸਚੁ ਏਕਾ ਜਾਣੈ ਹਉਮੈ ਦੂਜਾ ਦੂਰਿ ਕੀਆ ॥
તે પેલા સત્યને જાણે છે અને પોતાનો અહમ તેમજ દ્વેતભાવને દૂર કરી દે છે.

ਸੋ ਜੋਗੀ ਗੁਰ ਸਬਦੁ ਪਛਾਣੈ ਅੰਤਰਿ ਕਮਲੁ ਪ੍ਰਗਾਸੁ ਥੀਆ ॥
જે શબ્દ-ગુરુને ઓળખી લે છે, તે જ સાચો યોગી છે અને તેના હૃદય-કમળમાં પરમ-પ્રકાશનો પ્રકાશ થઈ જાય છે. 

ਜੀਵਤੁ ਮਰੈ ਤਾ ਸਭੁ ਕਿਛੁ ਸੂਝੈ ਅੰਤਰਿ ਜਾਣੈ ਸਰਬ ਦਇਆ ॥
જો જીવ પોતાના અહંકારને સમાપ્ત કરી દે તો તેને બધું જ સમજાય જાય છે અને અંતરમનમાં બધા પર દયા કરનાર પ્રભુને જાણી લે છે. 

ਨਾਨਕ ਤਾ ਕਉ ਮਿਲੈ ਵਡਾਈ ਆਪੁ ਪਛਾਣੈ ਸਰਬ ਜੀਆ ॥੨੪॥
નાનક કહે છે કે જે બધા જીવોમાં વસનાર પરમાત્માને ઓળખી લે છે, તેને જ કીર્તિ પ્રાપ્ત થાય છે ॥૨૪॥ 

ਸਾਚੌ ਉਪਜੈ ਸਾਚਿ ਸਮਾਵੈ ਸਾਚੇ ਸੂਚੇ ਏਕ ਮਇਆ ॥
ગુરુ કહે છે કે જીવ પરમ સત્યથી ઉત્પન્ન થાય છે અને સત્યમાં જ જોડાય જાય છે અને સત્યથી મળીને પવિત્ર થઈને તેનું જ રૂપ બની જાય છે. 

ਝੂਠੇ ਆਵਹਿ ਠਵਰ ਨ ਪਾਵਹਿ ਦੂਜੈ ਆਵਾ ਗਉਣੁ ਭਇਆ ॥
અસત્ય જીવ જન્મ લઈને આવે છે પરંતુ દ્વેતભાવના કારણે તેને કોઈ સુખનું સ્થાન મળતું નથી અને જન્મ-મરણનું ચક્ર જ પડી રહે છે. 

ਆਵਾ ਗਉਣੁ ਮਿਟੈ ਗੁਰ ਸਬਦੀ ਆਪੇ ਪਰਖੈ ਬਖਸਿ ਲਇਆ ॥
તેનું જન્મ-મરણનું ચક્ર ગુરુના શબ્દ દ્વારા જ મટે છે. પ્રભુ પોતે જ સારા ખરાબ જીવોની પરખ કરે છે અને પોતે જ તેને ક્ષમા કરી દે છે.

ਏਕਾ ਬੇਦਨ ਦੂਜੈ ਬਿਆਪੀ ਨਾਮੁ ਰਸਾਇਣੁ ਵੀਸਰਿਆ ॥
દ્વેતભાવને કારણે બધા જીવોને એક જ વેદના લાગેલી છે કે તેને નામ-રસાયણ ભૂલી ગયું છે.

error: Content is protected !!