GUJARATI PAGE 941

ਸੋ ਬੂਝੈ ਜਿਸੁ ਆਪਿ ਬੁਝਾਏ ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਸੁ ਮੁਕਤੁ ਭਇਆ ॥
આ તફાવતને તે જ સમજે છે, જેને પરમાત્મા પોતે જ્ઞાન દે છે અને ગુરુના શબ્દ દ્વારા જ જીવ મુક્ત થયો છે. 

ਨਾਨਕ ਤਾਰੇ ਤਾਰਣਹਾਰਾ ਹਉਮੈ ਦੂਜਾ ਪਰਹਰਿਆ ॥੨੫॥
નાનક કહે છે કે જેને પોતાના અભિમાન તેમજ દ્વેતભાવને ત્યાગી દીધો છે, તારણહાર પરમાત્માએ પોતે જ તેનો ઉદ્ધાર કરી દીધો છે ॥૨૫॥ 

ਮਨਮੁਖਿ ਭੂਲੈ ਜਮ ਕੀ ਕਾਣਿ ॥
મનમુખી જીવ ભૂલીને યમનો મોહતાજ બની રહે છે. 

ਪਰ ਘਰੁ ਜੋਹੈ ਹਾਣੇ ਹਾਣਿ ॥
તે પારકી સ્ત્રી તરફ જુએ છે, જે કારણે તેને ફક્ત નુકસાન જ ઉઠાવવું પડે છે. 

ਮਨਮੁਖਿ ਭਰਮਿ ਭਵੈ ਬੇਬਾਣਿ ॥
સ્વેચ્છાચારી જીવ ભ્રમમાં જાદુ-ટોણાના ચક્કરમાં ભટકતો રહે છે.

ਵੇਮਾਰਗਿ ਮੂਸੈ ਮੰਤ੍ਰਿ ਮਸਾਣਿ ॥
આવો અસત્ય માર્ગવાળો મનુષ્ય તૂટતો જઈ રહ્યો છે અને સ્મશાનમાં મંત્ર વાંચીને ભૂતો-પ્રેતોની જ પૂજા કરે છે. 

ਸਬਦੁ ਨ ਚੀਨੈ ਲਵੈ ਕੁਬਾਣਿ ॥
.તે શબ્દની ઓળખ કરતો નથી અને અશિષ્ટ ભાષાનો જ ઉપયોગ કરે છે. 

ਨਾਨਕ ਸਾਚਿ ਰਤੇ ਸੁਖੁ ਜਾਣਿ ॥੨੬॥
હે નાનક! જે મનુષ્ય સત્યમાં લીન રહે છે, તેને જ સુખ પ્રાપ્ત થાય છે ॥૨૬॥

ਗੁਰਮੁਖਿ ਸਾਚੇ ਕਾ ਭਉ ਪਾਵੈ ॥
ગુરુ નાનક દેવ સિધ્ધોને ગુરુમુખના ગુણ બતાવતા કહે છે કે ગુરુમુખ જીવ પોતાના મનમાં સાચા પરમાત્માનો ભય બનાવીને રાખે છે અને

ਗੁਰਮੁਖਿ ਬਾਣੀ ਅਘੜੁ ਘੜਾਵੈ ॥
ગુરુની વાણી દ્વારા અસાધ્ય મનને વશીભૂત કરી લે છે. 

ਗੁਰਮੁਖਿ ਨਿਰਮਲ ਹਰਿ ਗੁਣ ਗਾਵੈ ॥
તે નિર્મળ ભાવનાથી પરમાત્માનું ગુણગાન કરે છે અને 

ਗੁਰਮੁਖਿ ਪਵਿਤ੍ਰੁ ਪਰਮ ਪਦੁ ਪਾਵੈ ॥
પવિત્ર પરમપદને પ્રાપ્ત કરી લે છે. 

ਗੁਰਮੁਖਿ ਰੋਮਿ ਰੋਮਿ ਹਰਿ ਧਿਆਵੈ ॥
તે પોતાના રોમ-રોમથી પ્રભુનું ધ્યાન કરતો રહે છે. 

ਨਾਨਕ ਗੁਰਮੁਖਿ ਸਾਚਿ ਸਮਾਵੈ ॥੨੭॥
હે નાનક! આ રીતે ગુરુમુખ પરમ-સત્યમાં જ જોડાય જાય છે ॥૨૭॥ 

ਗੁਰਮੁਖਿ ਪਰਚੈ ਬੇਦ ਬੀਚਾਰੀ ॥
ગુરુમુખ સત્યમાં જ લીન રહે છે અને તે વેદોનો જ્ઞાતા બની જાય છે. 

ਗੁਰਮੁਖਿ ਪਰਚੈ ਤਰੀਐ ਤਾਰੀ ॥
તે પ્રભુમાં લીન રહીને સંસાર સમુદ્રથી પાર થઈ જાય છે અને 

ਗੁਰਮੁਖਿ ਪਰਚੈ ਸੁ ਸਬਦਿ ਗਿਆਨੀ ॥
સત્યમાં લીન રહીને શબ્દનો જ્ઞાતા બની જાય છે. 

ਗੁਰਮੁਖਿ ਪਰਚੈ ਅੰਤਰ ਬਿਧਿ ਜਾਨੀ ॥
તે સત્યમાં પ્રવૃત રહીને મનની વિધિને જાણી લે છે.

ਗੁਰਮੁਖਿ ਪਾਈਐ ਅਲਖ ਅਪਾਰੁ ॥
તે અલખ-અપાર પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. 

ਨਾਨਕ ਗੁਰਮੁਖਿ ਮੁਕਤਿ ਦੁਆਰੁ ॥੨੮॥
હે નાનક! ગુરુમુખને મુક્તિનો દરવાજો પ્રાપ્ત થઈ જાય છે ॥૨૮॥ 

ਗੁਰਮੁਖਿ ਅਕਥੁ ਕਥੈ ਬੀਚਾਰਿ ॥
ગુરુમુખ વિચાર કરી અકથનીય સત્યનું જ કથન કરે છે અને 

ਗੁਰਮੁਖਿ ਨਿਬਹੈ ਸਪਰਵਾਰਿ ॥
કુટુંબમાં રહેતા જ તેનો પરમાત્માથી પ્રેમ અંત સુધી નિભાવાય છે. 

ਗੁਰਮੁਖਿ ਜਪੀਐ ਅੰਤਰਿ ਪਿਆਰਿ ॥
તે પોતાના મનમાં શ્રધ્ધા-પ્રેમથી પ્રભુનો જ જાપ કરતો રહે છે અને 

ਗੁਰਮੁਖਿ ਪਾਈਐ ਸਬਦਿ ਅਚਾਰਿ ॥
શબ્દ દ્વારા શુભ-આચરણ બનાવીને બ્રહ્માને પ્રાપ્ત કરી લે છે. 

ਸਬਦਿ ਭੇਦਿ ਜਾਣੈ ਜਾਣਾਈ ॥
શબ્દના તફાવતને જાણનાર ગુરુમુખ સત્યને જાણી લે છે અને બીજાને પણ આનું જ્ઞાન દે છે. 

ਨਾਨਕ ਹਉਮੈ ਜਾਲਿ ਸਮਾਈ ॥੨੯॥
હે નાનક! તે પોતાના સળગાવીને સત્યમાં જ જોડાય જાય છે ॥૨૯॥ 

ਗੁਰਮੁਖਿ ਧਰਤੀ ਸਾਚੈ ਸਾਜੀ ॥
ગુરુ સિધ્ધોને બતાવે છે કે ગુરુમુખ માટે પરમાત્માએ આ ધરતી બનાવી છે. 

ਤਿਸ ਮਹਿ ਓਪਤਿ ਖਪਤਿ ਸੁ ਬਾਜੀ ॥
તેને આ ધરતીમાં જીવોની ઉત્પત્તિ તેમજ પ્રલયની પોતાની એક લીલા રચેલી છે. 

ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਰਪੈ ਰੰਗੁ ਲਾਇ ॥
જે જીવ ગુરુના શબ્દમાં લીન થઈને પરમાત્માનો રંગ લગાવી લે છે, 

ਸਾਚਿ ਰਤਉ ਪਤਿ ਸਿਉ ਘਰਿ ਜਾਇ ॥
તે સત્યમાં લીન થઈને શોભા સહિત પોતાના ઘરે પહોંચે છે. 

ਸਾਚ ਸਬਦ ਬਿਨੁ ਪਤਿ ਨਹੀ ਪਾਵੈ ॥
સાચા શબ્દ વગર કોઈ પણ સત્યના દરબારમાં સન્માનને પાત્ર બનતો નથી. 

ਨਾਨਕ ਬਿਨੁ ਨਾਵੈ ਕਿਉ ਸਾਚਿ ਸਮਾਵੈ ॥੩੦॥
હે નાનક! નામ વગર જીવ કેવી રીતે સત્યમાં જોડાય શકે છે ॥૩૦॥

ਗੁਰਮੁਖਿ ਅਸਟ ਸਿਧੀ ਸਭਿ ਬੁਧੀ ॥
ગુરુમુખને સુમતિ તેમજ આઠ સિદ્ધિઓની પ્રાપ્તિ થઈ જાય છે. 

ਗੁਰਮੁਖਿ ਭਵਜਲੁ ਤਰੀਐ ਸਚ ਸੁਧੀ ॥
તે સત્યનું જ્ઞાન થવાને કારણે સંસાર સમુદ્ર પાર કરી લે છે. 

ਗੁਰਮੁਖਿ ਸਰ ਅਪਸਰ ਬਿਧਿ ਜਾਣੈ ॥
તે શુભ તેમજ અશુભ કર્મની વિધિને જાણી લે છે અને 

ਗੁਰਮੁਖਿ ਪਰਵਿਰਤਿ ਨਰਵਿਰਤਿ ਪਛਾਣੈ ॥
અંતર્મુખી જ્ઞાન તેમજ બહિર્મુખી કર્મ હોવાના રસ્તાને ઓળખી લે છે. 

ਗੁਰਮੁਖਿ ਤਾਰੇ ਪਾਰਿ ਉਤਾਰੇ ॥
તે પોતાના સંગીઓને સંસાર-સમુદ્રથી પાર કરાવી દે છે. 

ਨਾਨਕ ਗੁਰਮੁਖਿ ਸਬਦਿ ਨਿਸਤਾਰੇ ॥੩੧॥
હે નાનક! ગુરુમુખ દ્વારા જ તેનો છુટકારો કરાવે છે ॥૩૧॥ 

ਨਾਮੇ ਰਾਤੇ ਹਉਮੈ ਜਾਇ ॥
ગુરુ ઉપદેશ દે છે કે પરમાત્માના નામમાં લીન થવાથી આત્મ અભિમાન દૂર થઈ જાય છે.

ਨਾਮਿ ਰਤੇ ਸਚਿ ਰਹੇ ਸਮਾਇ ॥
નામમાં પ્રવૃત રહેનાર જીવ સત્યમાં જ સમાઈ રહે છે. 

ਨਾਮਿ ਰਤੇ ਜੋਗ ਜੁਗਤਿ ਬੀਚਾਰੁ ॥
હરિ-નામામાં લીન રહેનારને યોગ-વિચારનું જ્ઞાન થઈ જાય છે. 

ਨਾਮਿ ਰਤੇ ਪਾਵਹਿ ਮੋਖ ਦੁਆਰੁ ॥
પ્રભુ-નામમાં લીન રહેનાર જીવ મોક્ષ-દરવાજો પ્રાપ્ત કરી લે છે અને 

ਨਾਮਿ ਰਤੇ ਤ੍ਰਿਭਵਣ ਸੋਝੀ ਹੋਇ ॥
નામમાં લીન રહેવાથી ત્રણેય લોકનું જ્ઞાન થઈ જાય છે.

ਨਾਨਕ ਨਾਮਿ ਰਤੇ ਸਦਾ ਸੁਖੁ ਹੋਇ ॥੩੨॥
હે નાનક! નામમાં લીન રહેવાથી હંમેશા સુખ પ્રાપ્ત થાય છે ॥૩૨॥ 

ਨਾਮਿ ਰਤੇ ਸਿਧ ਗੋਸਟਿ ਹੋਇ ॥
પ્રભુના નામમાં લીન રહેવાથી જ સિદ્ધ ગોષ્ઠી સફળ થઈ જાય છે.

ਨਾਮਿ ਰਤੇ ਸਦਾ ਤਪੁ ਹੋਇ ॥
નામમાં પ્રવૃત રહેવાથી જ તપસ્યા થઈ જાય છે. 

ਨਾਮਿ ਰਤੇ ਸਚੁ ਕਰਣੀ ਸਾਰੁ ॥
નામમાં લીન રહેવું જ સાચી કરની છે અને 

ਨਾਮਿ ਰਤੇ ਗੁਣ ਗਿਆਨ ਬੀਚਾਰੁ ॥
નામમાં લીન રહેવું જ પરમાત્માનાં ગુણો અને જ્ઞાનનો વિચાર છે.

ਬਿਨੁ ਨਾਵੈ ਬੋਲੈ ਸਭੁ ਵੇਕਾਰੁ ॥
નામ વગર બોલવું બધું બેકાર છે. 

ਨਾਨਕ ਨਾਮਿ ਰਤੇ ਤਿਨ ਕਉ ਜੈਕਾਰੁ ॥੩੩॥
હે નાનક! નામમાં લીન રહેનાર મહાપુરુષોને તેના પ્રણામ છે ॥૩૩॥ 

ਪੂਰੇ ਗੁਰ ਤੇ ਨਾਮੁ ਪਾਇਆ ਜਾਇ ॥
સંપૂર્ણ ગુરુથી જ નામ પ્રાપ્ત થાય છે અને

ਜੋਗ ਜੁਗਤਿ ਸਚਿ ਰਹੈ ਸਮਾਇ ॥
સત્યમાં લીન રહેવું જ યોગનો સાચો વિચાર છે. 

ਬਾਰਹ ਮਹਿ ਜੋਗੀ ਭਰਮਾਏ ਸੰਨਿਆਸੀ ਛਿਅ ਚਾਰਿ ॥
યોગી પોતાના બાર સંપ્રદાયમાં ભટકતો રહે છે અને સંન્યાસી પોતાના દસ સંપ્રદાયમાં ભટકતો રહે છે.

ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਜੋ ਮਰਿ ਜੀਵੈ ਸੋ ਪਾਏ ਮੋਖ ਦੁਆਰੁ ॥
જે મનુષ્ય ગુરુના શબ્દ દ્વારા જીવન મુક્ત થઈ જાય છે, તેને મોક્ષ દરવાજો પ્રાપ્ત થઈ જાય છે.

error: Content is protected !!