ਹਰਿ ਜਨ ਹਰਿ ਅੰਤਰੁ ਨਹੀ ਨਾਨਕ ਸਾਚੀ ਮਾਨੁ ॥੨੯॥
નાનક કહે છે કે એ સત્ય સ્વીકારો કે ઈશ્વર અને તેમના ભક્તોમાં કોઈ ભેદ નથી. || ૨૯ ||
ਮਨੁ ਮਾਇਆ ਮੈ ਫਧਿ ਰਹਿਓ ਬਿਸਰਿਓ ਗੋਬਿੰਦ ਨਾਮੁ ॥
મન માયામાં ફસાયેલું રહે છે, જેના કારણે ઈશ્વરનું નામ વિસરાઈ જાય છે.
ਕਹੁ ਨਾਨਕ ਬਿਨੁ ਹਰਿ ਭਜਨ ਜੀਵਨ ਕਉਨੇ ਕਾਮ ॥੩੦॥
ગુરુ નાનક સૂચના આપે છે કે ભગવાનના ભજન વિના જીવન કોઈ કામનું નથી || ૩૦ ||
ਪ੍ਰਾਨੀ ਰਾਮੁ ਨ ਚੇਤਈ ਮਦਿ ਮਾਇਆ ਕੈ ਅੰਧੁ ॥
માયાના નશામાં અંધ હોવાથી જીવ રામને યાદ કરતો નથી.
ਕਹੁ ਨਾਨਕ ਹਰਿ ਭਜਨ ਬਿਨੁ ਪਰਤ ਤਾਹਿ ਜਮ ਫੰਧ ॥੩੧॥
હે નાનક! પ્રભુ ભજન વિના મૃત્યુનો ફાંસો જ પડે છે || ૩૧ ||
ਸੁਖ ਮੈ ਬਹੁ ਸੰਗੀ ਭਏ ਦੁਖ ਮੈ ਸੰਗਿ ਨ ਕੋਇ ॥
સુખમાં તો બહુ બધા સાથી બને છે, પણ દુ:ખમાં કોઈ સાથ આપતું નથી.
ਕਹੁ ਨਾਨਕ ਹਰਿ ਭਜੁ ਮਨਾ ਅੰਤਿ ਸਹਾਈ ਹੋਇ ॥੩੨॥
ગુરુ નાનક ઉપદેશ આપે છે કે હે મન! ભગવાનની ઉપાસના કરો, કારણ કે અંતમાં તે જ મદદ કરે છે || ૩૨ ||
ਜਨਮ ਜਨਮ ਭਰਮਤ ਫਿਰਿਓ ਮਿਟਿਓ ਨ ਜਮ ਕੋ ਤ੍ਰਾਸੁ ॥
જીવ બિચારો જન્મ – જન્માંતા ભટકતો રહ્યો, પરંતુ તેનો મૃત્યુનો ભય દૂર થયો નહીં.
ਕਹੁ ਨਾਨਕ ਹਰਿ ਭਜੁ ਮਨਾ ਨਿਰਭੈ ਪਾਵਹਿ ਬਾਸੁ ॥੩੩॥
નાનક કહે છે કે હે મન! ઈશ્વરનું ભજન કરવામાં આવે તો તમે નિર્ભય બની જશો || ૩૩ ||
ਜਤਨ ਬਹੁਤੁ ਮੈ ਕਰਿ ਰਹਿਓ ਮਿਟਿਓ ਨ ਮਨ ਕੋ ਮਾਨੁ ॥
મેં ઘણી કોશિશ કરી, પણ મનનો અહંકાર ભૂંસી ન શક્યો.
ਦੁਰਮਤਿ ਸਿਉ ਨਾਨਕ ਫਧਿਓ ਰਾਖਿ ਲੇਹੁ ਭਗਵਾਨ ॥੩੪॥
નાનક વિનંતી કરે છે કે હે પ્રભુ! હું દુઃખમાં ફસાયો, મને બચાવો || ૩૪ ||
ਬਾਲ ਜੁਆਨੀ ਅਰੁ ਬਿਰਧਿ ਫੁਨਿ ਤੀਨਿ ਅਵਸਥਾ ਜਾਨਿ ॥
બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા જીવનની ત્રણ અવસ્થાઓ ગણાય છે.
ਕਹੁ ਨਾਨਕ ਹਰਿ ਭਜਨ ਬਿਨੁ ਬਿਰਥਾ ਸਭ ਹੀ ਮਾਨੁ ॥੩੫॥
નાનક કહે છે કે ઈશ્વરની ઉપાસના વિના બધું નકામું ગણાય છે.|| ૩૫ ||
ਕਰਣੋ ਹੁਤੋ ਸੁ ਨਾ ਕੀਓ ਪਰਿਓ ਲੋਭ ਕੈ ਫੰਧ ॥
તમારા માટે જે પણ કાર્ય કરવા યોગ્ય હતું, તે (પ્રભુ ભજન) તમે લોભને લીધે બિલકુલ કર્યું નથી.
ਨਾਨਕ ਸਮਿਓ ਰਮਿ ਗਇਓ ਅਬ ਕਿਉ ਰੋਵਤ ਅੰਧ ॥੩੬॥
ગુરુ નાનક કહે છે કે હે અંધ ! સમય વીતી ગયો, હવે કેમ રડે છે || ૩૬ ||
ਮਨੁ ਮਾਇਆ ਮੈ ਰਮਿ ਰਹਿਓ ਨਿਕਸਤ ਨਾਹਿਨ ਮੀਤ ॥
હે મિત્ર! મન તમારી માયામાં જ લીન છે, જે તેમાંથી બહાર આવતું નથી.
ਨਾਨਕ ਮੂਰਤਿ ਚਿਤ੍ਰ ਜਿਉ ਛਾਡਿਤ ਨਾਹਿਨ ਭੀਤਿ ॥੩੭॥
નાનક કહે છે કે જેમ દીવાલ પરની મૂર્તિ દીવાલ છોડતી નથી, એવી જ તારી હાલત છે. ||૩૭||
ਨਰ ਚਾਹਤ ਕਛੁ ਅਉਰ ਅਉਰੈ ਕੀ ਅਉਰੈ ਭਈ ॥
મનુષ્ય બીજું કઈ ઇચ્છે છે, પરંતુ કંઈક બીજું થાય છે.
ਚਿਤਵਤ ਰਹਿਓ ਠਗਉਰ ਨਾਨਕ ਫਾਸੀ ਗਲਿ ਪਰੀ ॥੩੮॥
હે નાનક! લોકોને છેતરવાના વિચારમાં તે પોતે જ ફસાઈ જાય છે || ૩૮ ||
ਜਤਨ ਬਹੁਤ ਸੁਖ ਕੇ ਕੀਏ ਦੁਖ ਕੋ ਕੀਓ ਨ ਕੋਇ ॥
લોકો સુખ માટે ખૂબ પ્રયાસ કરે છે પરંતુ દુઃખને રોકવા માટે કંઈ કરતા નથી.
ਕਹੁ ਨਾਨਕ ਸੁਨਿ ਰੇ ਮਨਾ ਹਰਿ ਭਾਵੈ ਸੋ ਹੋਇ ॥੩੯॥
નાનક સમજાવે છે કે હે મન! સાંભળો, ઈશ્વરને જે યોગ્ય છે, તે જ થાય છે || ૩૯ ||
ਜਗਤੁ ਭਿਖਾਰੀ ਫਿਰਤੁ ਹੈ ਸਭ ਕੋ ਦਾਤਾ ਰਾਮੁ ॥
આ જગત ભિખારીની જેમ ફરે છે, પણ ઈશ્વર બધાને આપનાર છે.
ਕਹੁ ਨਾਨਕ ਮਨ ਸਿਮਰੁ ਤਿਹ ਪੂਰਨ ਹੋਵਹਿ ਕਾਮ ॥੪੦॥
નાનક કહે છે કે હે મન! ભગવાનની ભક્તિ કરવાથી સર્વ કાર્યો પૂર્ણ થાય છે || ૪૦ ||
ਝੂਠੈ ਮਾਨੁ ਕਹਾ ਕਰੈ ਜਗੁ ਸੁਪਨੇ ਜਿਉ ਜਾਨੁ ॥
હે ભાઈ! તું કેમ જુઠ્ઠું અભિમાન કરે છે, આ સંસાર તો સ્વપ્ન સમાન છે.
ਇਨ ਮੈ ਕਛੁ ਤੇਰੋ ਨਹੀ ਨਾਨਕ ਕਹਿਓ ਬਖਾਨਿ ॥੪੧॥
આ નાનકનું કથન છે કે દુનિયામાં કશું તમારું નથી || ૪૧ ||
ਗਰਬੁ ਕਰਤੁ ਹੈ ਦੇਹ ਕੋ ਬਿਨਸੈ ਛਿਨ ਮੈ ਮੀਤ ॥
હે મિત્ર! તમે શરીરનું અભિમાન કરો છો, પણ તે ક્ષણવારમાં નાશ પામે છે.
ਜਿਹਿ ਪ੍ਰਾਨੀ ਹਰਿ ਜਸੁ ਕਹਿਓ ਨਾਨਕ ਤਿਹਿ ਜਗੁ ਜੀਤਿ ॥੪੨॥
નાનકનો મત છે કે જે જીવ ઈશ્વરના ગુણગાન ગાય છે, તે જગત પર વિજય મેળવે છે ||૪૨||
ਜਿਹ ਘਟਿ ਸਿਮਰਨੁ ਰਾਮ ਕੋ ਸੋ ਨਰੁ ਮੁਕਤਾ ਜਾਨੁ ॥
જેના હ્રદયમાં રામનું સ્મરણ છે, તે વ્યક્તિને મુક્ત ગણો.
ਤਿਹਿ ਨਰ ਹਰਿ ਅੰਤਰੁ ਨਹੀ ਨਾਨਕ ਸਾਚੀ ਮਾਨੁ ॥੪੩॥
નાનકનું માનવું છે કે સત્ય માનવું હોય તો તે વ્યક્તિ અને ભગવાનમાં કોઈ ફરક નથી. ||૪૩||
ਏਕ ਭਗਤਿ ਭਗਵਾਨ ਜਿਹ ਪ੍ਰਾਨੀ ਕੈ ਨਾਹਿ ਮਨਿ ॥
જેના જીવના મનમાં ભગવાનની ભક્તિ નથી
ਜੈਸੇ ਸੂਕਰ ਸੁਆਨ ਨਾਨਕ ਮਾਨੋ ਤਾਹਿ ਤਨੁ ॥੪੪॥
ગુરુ નાનક કહે છે કે તેમનું શરીર ડુક્કર અને કૂતરા જેવું હોવું જોઈએ. || ૪૪ ||
ਸੁਆਮੀ ਕੋ ਗ੍ਰਿਹੁ ਜਿਉ ਸਦਾ ਸੁਆਨ ਤਜਤ ਨਹੀ ਨਿਤ ॥
જેમ કે કૂતરો તેના માલિકનું ઘર છોડતો નથી.
ਨਾਨਕ ਇਹ ਬਿਧਿ ਹਰਿ ਭਜਉ ਇਕ ਮਨਿ ਹੁਇ ਇਕ ਚਿਤਿ ॥੪੫॥
નાનકે કહ્યું છે કે એવી જ રીતે એકાગ્ર બનીને મનથી ભગવાનની પૂજા કરો. || ૪૫ ||
ਤੀਰਥ ਬਰਤ ਅਰੁ ਦਾਨ ਕਰਿ ਮਨ ਮੈ ਧਰੈ ਗੁਮਾਨੁ ॥
જે વ્યક્તિ તીર્થ, વ્રત, ઉપવાસ અને દાન કર્યા પછી પણ મનમાં અભિમાન કરે છે
ਨਾਨਕ ਨਿਹਫਲ ਜਾਤ ਤਿਹ ਜਿਉ ਕੁੰਚਰ ਇਸਨਾਨੁ ॥੪੬॥
હે નાનક! તેના બધા કર્મ નિષ્ફળ થઇ જાય છે, જેમ હાથી સ્નાન પછી ધૂળ લગાવે છે ||૪૬||
ਸਿਰੁ ਕੰਪਿਓ ਪਗ ਡਗਮਗੇ ਨੈਨ ਜੋਤਿ ਤੇ ਹੀਨ ॥
માથું ધ્રૂજી રહ્યું છે, પગ ધ્રૂજી રહ્યા છે અને આંખોમાં કોઈ દૃષ્ટિ નથી.
ਕਹੁ ਨਾਨਕ ਇਹ ਬਿਧਿ ਭਈ ਤਊ ਨ ਹਰਿ ਰਸਿ ਲੀਨ ॥੪੭॥
ગુરુ નાનકે કહ્યું છે કે વૃદ્ધાવસ્થામાં આ સ્થિતિ થઈ છે, છતાં જીવ પરમાત્માના ભજનમાં લીન નથી થઇ રહ્યો || ૪૭ ||