GUJARATI PAGE 64

ਸਭੁ ਜਗੁ ਕਾਜਲ ਕੋਠੜੀ ਤਨੁ ਮਨੁ ਦੇਹ ਸੁਆਹਿ
આ આખું વિશ્વ કાજળના કબાટ જેવું જ છે જે તેના મોહમાં ફસાઈ જાય છે, તેનું તન મન શરીર રાખ મા ભળી જાય છે

ਗੁਰਿ ਰਾਖੇ ਸੇ ਨਿਰਮਲੇ ਸਬਦਿ ਨਿਵਾਰੀ ਭਾਹਿ ॥੭॥
ગુરુએ પોતાના શબ્દથી જેની તૃષ્ણા આગ દૂર કરી દીધી. તે આ કાજળના કબાટમાં શુદ્ધ રહ્યો. ।।૭।।

ਨਾਨਕ ਤਰੀਐ ਸਚਿ ਨਾਮਿ ਸਿਰਿ ਸਾਹਾ ਪਾਤਿਸਾਹੁ
હે નાનક! જે પરમાત્મા બધા શાહ ની ઉપર બાદશાહ છે તે હંમેશા સ્થિર નામમાં જોડાઈને આ સંસાર-સમુદ્ર માંથી પાર થાય છે

ਮੈ ਹਰਿ ਨਾਮੁ ਵੀਸਰੈ ਹਰਿ ਨਾਮੁ ਰਤਨੁ ਵੇਸਾਹੁ
પ્રાર્થના કરીને કહે, હું પરમાત્મા નું નામ ક્યારેય ન ભૂલું. પરમાત્માનું નામ રત્ન પુંજી મારી પાસે હંમેશા સ્થિર રહે

ਮਨਮੁਖ ਭਉਜਲਿ ਪਚਿ ਮੁਏ ਗੁਰਮੁਖਿ ਤਰੇ ਅਥਾਹੁ ॥੮॥੧੬॥
પોતાના મનની પાછળ ચાલવા વાળા લોકો સંસાર-સમુદ્રમાં રહી રહીને આધ્યાત્મિક મૃત્યુ પામે છે, અને જે લોકો ગુરુની સામે હોય છે તેઓ આ વિશાળ ઊંડા સમુદ્ર પાર કરે છે, તેઓ વિકારોના મોજામાં ડૂબી જતા નથી ।।૮।।૧૬।।

ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ਘਰੁ
શ્રી રાગ મહેલ ૧ ઘર ૨।।

ਮੁਕਾਮੁ ਕਰਿ ਘਰਿ ਬੈਸਣਾ ਨਿਤ ਚਲਣੈ ਕੀ ਧੋਖ
દુનિયાને પોતાની માની ને પાક્કું ઠેકાણું સમજીને ઘરમાં બેસી રહેવું પણ મનુષ્યને મોતથી બેદરકાર કરી શકતું નથી, કારણ કે અહીંથી જવાની ચિંતા તો હંમેશા રહે છે

ਮੁਕਾਮੁ ਤਾ ਪਰੁ ਜਾਣੀਐ ਜਾ ਰਹੈ ਨਿਹਚਲੁ ਲੋਕ ॥੧॥
જગતમાં જીવનું પાક્કું ઠેકાણું તો ત્યારે જ સમજવું જોઈએ, જો આ જગત પણ કાયમ રહેવાનું હોય પરંતુ આ બધું નાશ પામનાર છે ।।૧।।

ਦੁਨੀਆ ਕੈਸਿ ਮੁਕਾਮੇ
હે ભાઈ! આ સંસાર જીવો માટે હંમેશા રહેવા વાળી જગ્યા નથી હોઈ શક્તિ

ਕਰਿ ਸਿਦਕੁ ਕਰਣੀ ਖਰਚੁ ਬਾਧਹੁ ਲਾਗਿ ਰਹੁ ਨਾਮੇ ॥੧॥ ਰਹਾਉ  
આ કારણોસર પોતાના હૃદયમાં શ્રદ્ધા ધારણ કરીને ઉચ્ચ આધ્યાત્મિક જીવનને પોતાના જીવનની સફર માટે ખર્ચીને, તૈયાર કરીને પાલવે બાંધી હંમેશા પરમાત્માના નામમાં જોડાયેલો રહે ।।૧।।વિરામ।।

ਜੋਗੀ ਆਸਣੁ ਕਰਿ ਬਹੈ ਮੁਲਾ ਬਹੈ ਮੁਕਾਮਿ
જોગી મુદ્રામાં બેસે છે. સાંઈ ફકીરો ઓશિકામાં ડેરો બનાવે છે

ਪੰਡਿਤ ਵਖਾਣਹਿ ਪੋਥੀਆ ਸਿਧ ਬਹਹਿ ਦੇਵ ਸਥਾਨਿ ॥੨॥
પંડિતો ધર્મસ્થાનોમાં બેસીને ધર્મ પોથી બીજા લોકોને સંભળાવે છે, મોહક યોગીઓ શિવના મંદિરમાં બેસે છે, પરંતુ પોત પોતાના વારા બધા જગતમાંથી કૂચ કરીને ચાલ્યા જાય છે ।।૨।।

ਸੁਰ ਸਿਧ ਗਣ ਗੰਧਰਬ ਮੁਨਿ ਜਨ ਸੇਖ ਪੀਰ ਸਲਾਰ
દેવતા, યોગાભ્યાસ માં લીન યોગી, શિવ ના ઉપાસક ગણ, દેવતાઓના ગવૈયા ગંધર્વ, સમાધિમાં રહેતા મુનિ જન, શેખ, પીર અને સરદાર કહેવાતા બધા જ પોતાના સમયે જગતમાંથી જતા રહે છે

ਦਰਿ ਕੂਚ ਕੂਚਾ ਕਰਿ ਗਏ ਅਵਰੇ ਭਿ ਚਲਣਹਾਰ ॥੩॥
જેઓ આ ક્ષણે અહીં દૃશ્યમાન છે, તે બધા પણ અહીંથી રવાના થશે ।।૩।।

ਸੁਲਤਾਨ ਖਾਨ ਮਲੂਕ ਉਮਰੇ ਗਏ ਕਰਿ ਕਰਿ ਕੂਚੁ
બાદશાહ, ખાન, રાજા, અમીર, વજીર પોતપોતાના ડેરા છોડીને ચાલ્યા ગયા

ਘੜੀ ਮੁਹਤਿ ਕਿ ਚਲਣਾ ਦਿਲ ਸਮਝੁ ਤੂੰ ਭਿ ਪਹੂਚੁ
કલાક બે કલાકમાં દરેકને અહીંથી રવાના થવું પડશે. હે મન! મગજથી કામ લે મૂર્ખ ન બન, ગાંડુ ન બન, તારે પણ પરલોક પહોંચવું પડશે ।।૪।।

ਸਬਦਾਹ ਮਾਹਿ ਵਖਾਣੀਐ ਵਿਰਲਾ ਬੂਝੈ ਕੋਇ
નાનક વિનંતી કરે છે, શબ્દો થી તો દરેક કહે જ છે, પરંતુ કોઈ એકાદ માન્યતા લાવે છે કે

ਨਾਨਕੁ ਵਖਾਣੈ ਬੇਨਤੀ ਜਲਿ ਥਲਿ ਮਹੀਅਲਿ ਸੋਇ ॥੫॥
દરેકને અહીંથી જવું પડે છે અને અહીં ફક્ત તે જ પરમાત્મા યથાવત રહેશે જે પાણીમાં, પૃથ્વીમાં, આકાશમાં દરેક જગ્યાએ હાજર છે ।।૫।।

ਅਲਾਹੁ ਅਲਖੁ ਅਗੰਮੁ ਕਾਦਰੁ ਕਰਣਹਾਰੁ ਕਰੀਮੁ
જેને અલ્લાહ કહેવામાં આવે છે, જે અલખ છે, દુર્ગમ છે, પહોંચની બહાર છે, જે આખા કુદરતનો માલિક છે, જે આખા વિશ્વનો સર્જક છે અને જે સર્વ જીવો પર રહેમ કરનાર છે

ਸਭ ਦੁਨੀ ਆਵਣ ਜਾਵਣੀ ਮੁਕਾਮੁ ਏਕੁ ਰਹੀਮੁ ॥੬॥
આખી દુનિયા આવવા જવાની છે, નાશ પામનાર છે,હંમેશા કાયમ રહેવાવાળો તે એક જ છે. ।।૬।।

ਮੁਕਾਮੁ ਤਿਸ ਨੋ ਆਖੀਐ ਜਿਸੁ ਸਿਸਿ ਹੋਵੀ ਲੇਖੁ
હંમેશા કાયમ રહેનાર માત્ર તે પરમાત્માને જ કહી શકાય છે, જેનાં માથા પર મૃત્યુ નો લેખ નથી

ਅਸਮਾਨੁ ਧਰਤੀ ਚਲਸੀ ਮੁਕਾਮੁ ਓਹੀ ਏਕੁ ॥੭॥
આ આકાશ, આ પૃથ્વી, આ બધું નાશવાન છે, પરંતુ તે પરમાત્મા હંમેશા અટળ છે ।।૭।। 

ਦਿਨ ਰਵਿ ਚਲੈ ਨਿਸਿ ਸਸਿ ਚਲੈ ਤਾਰਿਕਾ ਲਖ ਪਲੋਇ
હે નાનક! આ અટળ વચન કહી દે – દિવસ અને સૂર્ય નાશવાન છે, આ દૃશ્યમાન લાખો તારાઓ પણ નાશ પામશે

ਮੁਕਾਮੁ ਓਹੀ ਏਕੁ ਹੈ ਨਾਨਕਾ ਸਚੁ ਬੁਗੋਇ ॥੮॥੧੭॥
હંમેશા કાયમ રહેવાવાળો એક પરમાત્મા જ છે ।।૮।।૧૭।।

ਮਹਲੇ ਪਹਿਲੇ ਸਤਾਰਹ ਅਸਟਪਦੀਆ
મહેલ પહેલો અષ્ટપદી સત્તર

ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ਘਰੁ ਅਸਟਪਦੀਆ 
શ્રી રાગ મહેલ ૩ ઘર ૧, અષ્ટપદી

ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ
એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપા થી પ્રાપ્ત થાય છે।।

ਗੁਰਮੁਖਿ ਕ੍ਰਿਪਾ ਕਰੇ ਭਗਤਿ ਕੀਜੈ ਬਿਨੁ ਗੁਰ ਭਗਤਿ ਹੋਇ
ગુરુ ની શરણે પડવાથી જ્યારે પરમાત્મા કૃપા કરે છે, તો તેની ભક્તિ કરવામાં આવે છે. ગુરુના શરણ વગર ભક્તિ હોઈ શકે નહીં 

ਆਪੈ ਆਪੁ ਮਿਲਾਏ ਬੂਝੈ ਤਾ ਨਿਰਮਲੁ ਹੋਵੈ ਕੋਇ
જ્યારે કોઈ મનુષ્ય ગુરુમાં પોતાની જાતને જોડવાનું શીખે છે, ત્યારે તે પવિત્ર જીવન વાળો થઈ જાય છે

ਹਰਿ ਜੀਉ ਸਚਾ ਸਚੀ ਬਾਣੀ ਸਬਦਿ ਮਿਲਾਵਾ ਹੋਇ ॥੧॥
જે પરમાત્મા હંમેશા સ્થિર રહેવાવાળા છે, જેની મહિમા ની વાણી હંમેશા અટળ છે, તેનો ગુરુના શબ્દ માં જોડાવા થી મેળાપ થાય છે ।।૧।।

ਭਾਈ ਰੇ ਭਗਤਿਹੀਣੁ ਕਾਹੇ ਜਗਿ ਆਇਆ
હે ભાઈ! જે મનુષ્ય પરમાત્માની ભક્તિ થી વંચિત રહ્યા તેનું જગતમાં આવવાનું શું કામનું?

ਪੂਰੇ ਗੁਰ ਕੀ ਸੇਵ ਕੀਨੀ ਬਿਰਥਾ ਜਨਮੁ ਗਵਾਇਆ ॥੧॥ ਰਹਾਉ
જેણે જગતમાં આવીને સંપૂર્ણ ગુરુ નો પાલવ નથી પકડ્યો તેને પોતાનો જન્મ વ્યર્થ ગુમાવ્યો ।।૧।। વિરામ।।

ਆਪੇ ਹਰਿ ਜਗਜੀਵਨੁ ਦਾਤਾ ਆਪੇ ਬਖਸਿ ਮਿਲਾਏ
પરમાત્મા પોતે જ વિશ્વના તમામ જીવો ના જીવન નો આશરો છે, તે પોતે જ કૃપા કરીને જીવોને પોતાની સાથે મેળવે છે.

ਜੀਅ ਜੰਤ ਕਿਆ ਵੇਚਾਰੇ ਕਿਆ ਕੋ ਆਖਿ ਸੁਣਾਏ
નહીંતર આ જીવજંતુ બિચારા શું કરે?

ਗੁਰਮੁਖਿ ਆਪੇ ਦੇ ਵਡਿਆਈ ਆਪੇ ਸੇਵ ਕਰਾਏ ॥੨॥
કોઈ જીવ શું કહીને કોને સંભળાવી શકે? પ્રભુ પોતે જ ગુરુ દ્વારા પોતાના નામની મહાન મહિમા આપે છે, પોતે જ પોતાની સેવા ભક્તિ કરાવે છે ।।૨।।

ਦੇਖਿ ਕੁਟੰਬੁ ਮੋਹਿ ਲੋਭਾਣਾ ਚਲਦਿਆ ਨਾਲਿ ਜਾਈ
મનુષ્ય પોતાના કુટુંબ ને જોઈને તેના મોહમાં ફસાઈ જાય છે ક્યારેય પણ તે સમજી શકતો નથી કે જગત થી ચાલતી વખતે કોઈ તેની સાથે નથી જવાનું

error: Content is protected !!