GUJARATI PAGE 780

ਮਿਟੇ ਅੰਧਾਰੇ ਤਜੇ ਬਿਕਾਰੇ ਠਾਕੁਰ ਸਿਉ ਮਨੁ ਮਾਨਾ ॥
મારું અજ્ઞાનરૂપી અંધારું મટી ગયું છે અને મેં બધા વિકાર ત્યાગી દીધા છે. હવે મારું મન ઠાકોરની સાથે સંતુષ્ટ થઈ ગયું છે. 

ਪ੍ਰਭ ਜੀ ਭਾਣੀ ਭਈ ਨਿਕਾਣੀ ਸਫਲ ਜਨਮੁ ਪਰਵਾਨਾ ॥
હું પ્રભુને ગમી ગઈ છું અને બેદરકાર થઈ ગઈ છું. મારો જન્મ સફળ થઈ ગયો છે અને પ્રભુને સ્વીકાર થઈ ગયો છે. 

ਭਈ ਅਮੋਲੀ ਭਾਰਾ ਤੋਲੀ ਮੁਕਤਿ ਜੁਗਤਿ ਦਰੁ ਖੋਲ੍ਹ੍ਹਾ ॥
હું અમૂલ્ય તેમજ અતુલનીય થઈ ગઈ છું, મારા માટે મુક્તિનો દરવાજો ખુલી ગયો છે. 

ਕਹੁ ਨਾਨਕ ਹਉ ਨਿਰਭਉ ਹੋਈ ਸੋ ਪ੍ਰਭੁ ਮੇਰਾ ਓਲ੍ਹ੍ਹਾ ॥੪॥੧॥੪॥
હે નાનક! હું નીડર થઈ ગઈ છું કારણ કે તે પ્રભુ જ મારો સહારો છે ॥૪॥૧॥૪॥ 

ਸੂਹੀ ਮਹਲਾ ੫ ॥
સુહી મહેલ ૫॥

ਸਾਜਨੁ ਪੁਰਖੁ ਸਤਿਗੁਰੁ ਮੇਰਾ ਪੂਰਾ ਤਿਸੁ ਬਿਨੁ ਅਵਰੁ ਨ ਜਾਣਾ ਰਾਮ ॥
પરમપુરુષ પરમેશ્વર જ મારો પ્રેમાળ સજ્જન છે, તે સંપૂર્ણ સિવાય હું કોઈને જાણતો નથી. 

ਮਾਤ ਪਿਤਾ ਭਾਈ ਸੁਤ ਬੰਧਪ ਜੀਅ ਪ੍ਰਾਣ ਮਨਿ ਭਾਣਾ ਰਾਮ ॥
સત્ય તો આ જ છે કે તે જ મારા માતા-પિતા, ભાઈ, પુત્ર, સંબંધી, આત્મા તેમજ પ્રાણ છે અને તે જ મારા મનને ગમે છે.

ਜੀਉ ਪਿੰਡੁ ਸਭੁ ਤਿਸ ਕਾ ਦੀਆ ਸਰਬ ਗੁਣਾ ਭਰਪੂਰੇ ॥
આ જીવન તેમજ શરીર બધું તેનું દીધેલું છે, તે સર્વગુણ પુષ્કળ છે. 

ਅੰਤਰਜਾਮੀ ਸੋ ਪ੍ਰਭੁ ਮੇਰਾ ਸਰਬ ਰਹਿਆ ਭਰਪੂਰੇ ॥
મનની ભાવનાઓ જાણનાર મારો પ્રભુ બધામાં વ્યાપ્ત છે. 

ਤਾ ਕੀ ਸਰਣਿ ਸਰਬ ਸੁਖ ਪਾਏ ਹੋਏ ਸਰਬ ਕਲਿਆਣਾ ॥
તેની શરણમાં આવીને મેં બધા સુખ પ્રાપ્ત કરી લીધા છે અને સર્વકલ્યાણ થયું છે. 

ਸਦਾ ਸਦਾ ਪ੍ਰਭ ਕਉ ਬਲਿਹਾਰੈ ਨਾਨਕ ਸਦ ਕੁਰਬਾਣਾ ॥੧॥
હે નાનક! હું આવા પ્રભુ પર હંમેશા જ બલિહાર જાવ છું ॥૧॥ 

ਐਸਾ ਗੁਰੁ ਵਡਭਾਗੀ ਪਾਈਐ ਜਿਤੁ ਮਿਲਿਐ ਪ੍ਰਭੁ ਜਾਪੈ ਰਾਮ ॥
આવો ગુરુ ખુબ ભાગ્યથી જ મળે છે, જેને મળવાથી પ્રભુનો બોધ થાય છે. 

ਜਨਮ ਜਨਮ ਕੇ ਕਿਲਵਿਖ ਉਤਰਹਿ ਹਰਿ ਸੰਤ ਧੂੜੀ ਨਿਤ ਨਾਪੈ ਰਾਮ ॥
જે રોજ સંતોની ચરણ-ધૂળમાં સ્નાન કરે છે, તેના જન્મ-જન્માંતરના બધા પાપ દૂર થઈ જાય છે.

ਹਰਿ ਧੂੜੀ ਨਾਈਐ ਪ੍ਰਭੂ ਧਿਆਈਐ ਬਾਹੁੜਿ ਜੋਨਿ ਨ ਆਈਐ ॥
હરિની ચરણ-ધૂળમાં સ્નાન કરવાથી, પ્રભુનું ધ્યાન-મનન કરવાથી, બીજી વાર યોનિઓમાં આવવું પડતું નથી. 

ਗੁਰ ਚਰਣੀ ਲਾਗੇ ਭ੍ਰਮ ਭਉ ਭਾਗੇ ਮਨਿ ਚਿੰਦਿਆ ਫਲੁ ਪਾਈਐ ॥
જે મનુષ્ય ગુરુના ચરણોમાં લાગી ગયા છે, તેના ભ્રમ તેમજ ભય ભાગી ગયા છે અને તેને મનવાંછિત ફળની પ્રાપ્તિ થઈ ગઈ છે. 

ਹਰਿ ਗੁਣ ਨਿਤ ਗਾਏ ਨਾਮੁ ਧਿਆਏ ਫਿਰਿ ਸੋਗੁ ਨਾਹੀ ਸੰਤਾਪੈ ॥
જે રોજ હરિનું ગુણ ગાય છે, નામનું મનન કરે છે, તેને કોઈ ચિંતા તેમજ દુઃખ સ્પર્શ કરતા નથી. 

ਨਾਨਕ ਸੋ ਪ੍ਰਭੁ ਜੀਅ ਕਾ ਦਾਤਾ ਪੂਰਾ ਜਿਸੁ ਪਰਤਾਪੈ ॥੨॥
હે નાનક! જેનો આખી દુનિયામાં પૂર્ણ પ્રતાપ છે, તે પ્રભુ જ જીવન આપનાર છે ॥૨॥ 

ਹਰਿ ਹਰੇ ਹਰਿ ਗੁਣ ਨਿਧੇ ਹਰਿ ਸੰਤਨ ਕੈ ਵਸਿ ਆਏ ਰਾਮ ॥
શ્રી હરિ ગુણોનો ભંડાર છે અને તે પોતાના સંતોના જ વશમાં આવે છે.

ਸੰਤ ਚਰਣ ਗੁਰ ਸੇਵਾ ਲਾਗੇ ਤਿਨੀ ਪਰਮ ਪਦ ਪਾਏ ਰਾਮ ॥
જે મનુષ્ય સંતોના ચરણોમાં લાગેલ છે, ગુરુ સેવામાં પ્રવૃત્ત થયા છે, તેને જ મુક્તિ મળી છે. 

ਪਰਮ ਪਦੁ ਪਾਇਆ ਆਪੁ ਮਿਟਾਇਆ ਹਰਿ ਪੂਰਨ ਕਿਰਪਾ ਧਾਰੀ ॥
જેના પર શ્રી હરિએ સંપૂર્ણ કૃપા કરી છે, તેને પોતાના અહંકારને મટાડીને પરમપદ મેળવી લીધો છે. 

ਸਫਲ ਜਨਮੁ ਹੋਆ ਭਉ ਭਾਗਾ ਹਰਿ ਭੇਟਿਆ ਏਕੁ ਮੁਰਾਰੀ ॥
તેને પ્રભુ મળી ગયો છે, જેનાથી તેનો જન્મ સફળ થઈ ગયો છે અને બધો ભય ભાગી ગયો છે.

ਜਿਸ ਕਾ ਸਾ ਤਿਨ ਹੀ ਮੇਲਿ ਲੀਆ ਜੋਤੀ ਜੋਤਿ ਸਮਾਇਆ ॥
જે પ્રભુનો તે અંશ હતો, તેને તેને પોતાની સાથે મેળાવી લીધો છે. તેનો પ્રકાશ પરમ પ્રકાશમાં જોડાઈ ગયો છે.

ਨਾਨਕ ਨਾਮੁ ਨਿਰੰਜਨ ਜਪੀਐ ਮਿਲਿ ਸਤਿਗੁਰ ਸੁਖੁ ਪਾਇਆ ॥੩॥
હે નાનક! જેને પવિત્ર સ્વરૂપ નામ સ્મરણ કર્યું છે, તેને સદ્દગુરુથી મળીને સુખ જ મેળવ્યું છે ॥૩॥ 

ਗਾਉ ਮੰਗਲੋ ਨਿਤ ਹਰਿ ਜਨਹੁ ਪੁੰਨੀ ਇਛ ਸਬਾਈ ਰਾਮ ॥
હે ભક્તજનો! રોજ પરમાત્માનું યશગાન કર, આનાથી તારી બધી કામનાઓ પૂર્ણ થઈ જશે. 

ਰੰਗਿ ਰਤੇ ਅਪੁਨੇ ਸੁਆਮੀ ਸੇਤੀ ਮਰੈ ਨ ਆਵੈ ਜਾਈ ਰਾਮ ॥
જે પોતાના સ્વામીના રંગમાં મગ્ન રહે છે, તે જન્મ-મરણથી મુક્ત થઈ જાય છે.

ਅਬਿਨਾਸੀ ਪਾਇਆ ਨਾਮੁ ਧਿਆਇਆ ਸਗਲ ਮਨੋਰਥ ਪਾਏ ॥
જેને નામનું ચિંતન કર્યું છે, તેને જ અવિનાશી પ્રભુ મળ્યો છે અને તેના બધા મનોરથ પૂર્ણ થઈ ગયા છે. 

ਸਾਂਤਿ ਸਹਜ ਆਨੰਦ ਘਨੇਰੇ ਗੁਰ ਚਰਣੀ ਮਨੁ ਲਾਏ ॥
ગુરુના ચરણોમાં મન લગાવવાથી ખુબ શાંતિ, સરળ સ્થિતિ તેમજ આનંદ મળે છે. 

ਪੂਰਿ ਰਹਿਆ ਘਟਿ ਘਟਿ ਅਬਿਨਾਸੀ ਥਾਨ ਥਨੰਤਰਿ ਸਾਈ ॥
અમર પરમાત્મા દરેક હૃદયમાં હાજર છે અને દેશ-દેશાંતર દરેક જગ્યાએ તે જ વસેલો છે.

ਕਹੁ ਨਾਨਕ ਕਾਰਜ ਸਗਲੇ ਪੂਰੇ ਗੁਰ ਚਰਣੀ ਮਨੁ ਲਾਈ ॥੪॥੨॥੫॥
હે નાનક! ગુરુના ચરણોમાં મન લગાવવાથી બધા કાર્ય પૂર્ણ થઈ જાય છે ॥૪॥૨॥૫॥ 

ਸੂਹੀ ਮਹਲਾ ੫ ॥
સુહી મહેલ ૫॥ 

ਕਰਿ ਕਿਰਪਾ ਮੇਰੇ ਪ੍ਰੀਤਮ ਸੁਆਮੀ ਨੇਤ੍ਰ ਦੇਖਹਿ ਦਰਸੁ ਤੇਰਾ ਰਾਮ ॥
હે પ્રિયતમ સ્વામી! એવી કૃપા કરો કેમ કે મારી આંખ તારા દર્શન કરી શકે. 

ਲਾਖ ਜਿਹਵਾ ਦੇਹੁ ਮੇਰੇ ਪਿਆਰੇ ਮੁਖੁ ਹਰਿ ਆਰਾਧੇ ਮੇਰਾ ਰਾਮ ॥
હે પ્રેમાળ પ્રભુ! મને લાખો જીભ આપ જેનાથી મારુ મુખ તારા નામની જ પ્રાર્થના કરતું રહે. 

ਹਰਿ ਆਰਾਧੇ ਜਮ ਪੰਥੁ ਸਾਧੇ ਦੂਖੁ ਨ ਵਿਆਪੈ ਕੋਈ ॥
પ્રભુની પ્રાર્થના કરીને યમ-રસ્તા પર વિજય મેળવી લઉં અને કોઈ પણ દુઃખ પ્રભાવિત ન કરી શકે. 

ਜਲਿ ਥਲਿ ਮਹੀਅਲਿ ਪੂਰਨ ਸੁਆਮੀ ਜਤ ਦੇਖਾ ਤਤ ਸੋਈ ॥
મારો સ્વામી સમુદ્ર, પૃથ્વી તેમજ આકાશમાં પણ હાજર છે, હું જ્યાં પણ જોવ છું ત્યાં તે જ નજર આવે છે. 

ਭਰਮ ਮੋਹ ਬਿਕਾਰ ਨਾਠੇ ਪ੍ਰਭੁ ਨੇਰ ਹੂ ਤੇ ਨੇਰਾ ॥
મારા બધા ભ્રમ, મોહ તેમજ વિકાર દૂર થઈ ગયા છે અને પ્રભુ મને નજીકથી પણ નજીક દેખાઈ દે છે.

error: Content is protected !!