GUJARATI PAGE 1078

ਜਿਸੁ ਨਾਮੈ ਕਉ ਤਰਸਹਿ ਬਹੁ ਦੇਵਾ ॥
જે નામને મેળવવા માટે અનેક દેવી-દેવતા પણ તરસે છે, 

ਸਗਲ ਭਗਤ ਜਾ ਕੀ ਕਰਦੇ ਸੇਵਾ ॥
બધા ભક્ત જેની પૂજા કરે છે, 

ਅਨਾਥਾ ਨਾਥੁ ਦੀਨ ਦੁਖ ਭੰਜਨੁ ਸੋ ਗੁਰ ਪੂਰੇ ਤੇ ਪਾਇਣਾ ॥੩॥
અનાથોનો નાથ, ગરીબોનું દુઃખ નાશ કરનાર તે પ્રભુ તો સંપૂર્ણ ગુરુ દ્વારા જ મેળવી શકાય છે ॥૩॥ 

ਹੋਰੁ ਦੁਆਰਾ ਕੋਇ ਨ ਸੂਝੈ ॥
ગુરુ સિવાય બીજો કોઈ પણ દરવાજો સમજાતો નથી, 

ਤ੍ਰਿਭਵਣ ਧਾਵੈ ਤਾ ਕਿਛੂ ਨ ਬੂਝੈ ॥
જીવ ભલે ત્રણેય લોકમાં દોડતો રહે પરંતુ તેને કંઈ પણ જ્ઞાન હોતું નથી.

ਸਤਿਗੁਰੁ ਸਾਹੁ ਭੰਡਾਰੁ ਨਾਮ ਜਿਸੁ ਇਹੁ ਰਤਨੁ ਤਿਸੈ ਤੇ ਪਾਇਣਾ ॥੪॥
સદ્દગુરુ જ આવો શાહુકાર છે, જેની પાસે નામનો ભંડાર છે, આ નામરૂપી રત્ન તેનાથી જ પ્રાપ્ત થાય છે ॥૪॥ 

ਜਾ ਕੀ ਧੂਰਿ ਕਰੇ ਪੁਨੀਤਾ ॥
જેની ચરણ-ધૂળ જીવોને પવિત્ર કરી દે છે,

ਸੁਰਿ ਨਰ ਦੇਵ ਨ ਪਾਵਹਿ ਮੀਤਾ ॥
તેને દેવતા, મનુષ્ય તેમજ ત્રિદેવ પણ મેળવતા નથી. 

ਸਤਿ ਪੁਰਖੁ ਸਤਿਗੁਰੁ ਪਰਮੇਸਰੁ ਜਿਸੁ ਭੇਟਤ ਪਾਰਿ ਪਰਾਇਣਾ ॥੫॥
સત્યપુરુષ સદ્દગુરુ પરમાત્માનું જ રૂપ છે, જેને મળવાથી જીવ સંસાર-સમુદ્રથી પાર થઈ જાય છે ॥૫॥

ਪਾਰਜਾਤੁ ਲੋੜਹਿ ਮਨ ਪਿਆਰੇ ॥
હે પ્રેમાળ મન! જો તું બધી ઇચ્છાઓ પૂર્ણ કરનાર સ્વર્ગનું પારિજાત વૃક્ષ મેળવવા ઈચ્છે છે, 

ਕਾਮਧੇਨੁ ਸੋਹੀ ਦਰਬਾਰੇ ॥
જો તારી ઇચ્છા છે કે બધી કામના પૂર્ણ કરનાર કામધેનુ તારા દરવાજા પર શોભા આપતી રહે તો 

ਤ੍ਰਿਪਤਿ ਸੰਤੋਖੁ ਸੇਵਾ ਗੁਰ ਪੂਰੇ ਨਾਮੁ ਕਮਾਇ ਰਸਾਇਣਾ ॥੬॥
તું સંપૂર્ણ ગુરૂની સેવામાં લીન રહે, રસાયણ રૂપ નામની સાધના કર, જેનાથી તે તૃપ્તિ તેમજ સંતોષ મળી જશે ॥૬॥ 

ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਮਰਹਿ ਪੰਚ ਧਾਤੂ ॥
ગુરુના શબ્દ દ્વારા કામ, ક્રોધ વગેરે પાંચેય વિકાર મટી જાય છે અને 

ਭੈ ਪਾਰਬ੍ਰਹਮ ਹੋਵਹਿ ਨਿਰਮਲਾ ਤੂ ॥
પરબ્રહ્મના શ્રદ્ધારૂપી ભયથી જીવ નિર્મળ થઈ જાય છે.

ਪਾਰਸੁ ਜਬ ਭੇਟੈ ਗੁਰੁ ਪੂਰਾ ਤਾ ਪਾਰਸੁ ਪਰਸਿ ਦਿਖਾਇਣਾ ॥੭॥
જયારે પારસરૂપી સંપૂર્ણ ગુરુ મળી જાય છે તો તેના ચરણ-સ્પર્શથી સાધારણ મનુષ્ય પણ પારસરૂપ દેખાઈ દેવા લાગે છે ॥૭॥ 

ਕਈ ਬੈਕੁੰਠ ਨਾਹੀ ਲਵੈ ਲਾਗੇ ॥
વૈકુંઠના અનેક સુખ પણ તેની સરખામણી કરી શકતા નથી અને 

ਮੁਕਤਿ ਬਪੁੜੀ ਭੀ ਗਿਆਨੀ ਤਿਆਗੇ ॥
જ્ઞાની મનુષ્ય પણ બિચારી મુક્તિને ત્યાગી દે છે અર્થાત તેની લાલચ કરતો નથી.

ਏਕੰਕਾਰੁ ਸਤਿਗੁਰ ਤੇ ਪਾਈਐ ਹਉ ਬਲਿ ਬਲਿ ਗੁਰ ਦਰਸਾਇਣਾ ॥੮॥
એક પરમાત્મા તો સદ્દગુરુ દ્વારા જ મેળવાય છે, તેથી હું ગુરુ-દર્શન પર બલિહાર જાવ છું ॥૮॥ 

ਗੁਰ ਕੀ ਸੇਵ ਨ ਜਾਣੈ ਕੋਈ ॥
ગુરુની સેવાનો તફાવત કોઈ જાણતું નથી, 

ਗੁਰੁ ਪਾਰਬ੍ਰਹਮੁ ਅਗੋਚਰੁ ਸੋਈ ॥
ઈન્દ્રિયાતીત પરબ્રહ્મ જ ગુરુ છે.

ਜਿਸ ਨੋ ਲਾਇ ਲਏ ਸੋ ਸੇਵਕੁ ਜਿਸੁ ਵਡਭਾਗ ਮਥਾਇਣਾ ॥੯॥
તેનો સેવક તે જ છે, જેને તે પોતાની લગનમાં લગાવી લે છે અને જેના માથા પર અતિભાગ્ય હોય છે ॥૯॥ 

ਗੁਰ ਕੀ ਮਹਿਮਾ ਬੇਦ ਨ ਜਾਣਹਿ ॥
ગુરુની મહિમાનું રહસ્ય વેદ પણ જાણતા નથી અને 

ਤੁਛ ਮਾਤ ਸੁਣਿ ਸੁਣਿ ਵਖਾਣਹਿ ॥
સાંભળી-સાંભળીને તુચ્છ માત્ર જ ઉપમા વ્યક્ત કરે છે. 

ਪਾਰਬ੍ਰਹਮ ਅਪਰੰਪਰ ਸਤਿਗੁਰ ਜਿਸੁ ਸਿਮਰਤ ਮਨੁ ਸੀਤਲਾਇਣਾ ॥੧੦॥
સદ્દગુરુ જ અપરંપાર પરબ્રહ્મ છે, જેને સ્મરણ કરવાથી મન શીતળ થઈ જાય છે ॥૧૦॥

ਜਾ ਕੀ ਸੋਇ ਸੁਣੀ ਮਨੁ ਜੀਵੈ ॥
જેની મહિમા સાંભળવાથી મન જીવી રહ્યું છે, 

ਰਿਦੈ ਵਸੈ ਤਾ ਠੰਢਾ ਥੀਵੈ ॥
જેના હૃદયમાં વાસ કરવાથી શાંતિ મળે છે, 

ਗੁਰੁ ਮੁਖਹੁ ਅਲਾਏ ਤਾ ਸੋਭਾ ਪਾਏ ਤਿਸੁ ਜਮ ਕੈ ਪੰਥਿ ਨ ਪਾਇਣਾ ॥੧੧॥
જયારે મનુષ્ય મુખથી ‘ગુરુ ગુરુ’ જપે છે તો જ શોભાનું પાત્ર બને છે અને તેને યમના રસ્તામાં નંખાતો નથી ॥૧૧॥ 

ਸੰਤਨ ਕੀ ਸਰਣਾਈ ਪੜਿਆ ॥
હું સંતજનોની શરણમાં પડી ગયો છું અને

ਜੀਉ ਪ੍ਰਾਣ ਧਨੁ ਆਗੈ ਧਰਿਆ ॥
પોતાનું જીવન, પ્રાણ તેમજ ધન તેની સમક્ષ અર્પણ કરી દીધું છે. 

ਸੇਵਾ ਸੁਰਤਿ ਨ ਜਾਣਾ ਕਾਈ ਤੁਮ ਕਰਹੁ ਦਇਆ ਕਿਰਮਾਇਣਾ ॥੧੨॥
હે પરમાત્મા! મને તારી સેવા તેમજ નામ-સ્મરણ કરવાનું કોઈ જ્ઞાન નથી, તેથી મને કીડા પર તું દયા કર ॥૧૨॥ 

ਨਿਰਗੁਣ ਕਉ ਸੰਗਿ ਲੇਹੁ ਰਲਾਏ ॥
મને ગુણવિહીનને પોતાની સાથે મળાવી લે, 

ਕਰਿ ਕਿਰਪਾ ਮੋਹਿ ਟਹਲੈ ਲਾਏ ॥
કૃપા કરીને મને પોતાની સેવામાં જોડી લે.

ਪਖਾ ਫੇਰਉ ਪੀਸਉ ਸੰਤ ਆਗੈ ਚਰਣ ਧੋਇ ਸੁਖੁ ਪਾਇਣਾ ॥੧੩॥
હું તારા સંતોને પંખો કરું છું, તેની આગળ લોટ દળુ છું અને તેના ચરણ ધોઈને સુખને અનુભવું છું ॥૧૩॥ 

ਬਹੁਤੁ ਦੁਆਰੇ ਭ੍ਰਮਿ ਭ੍ਰਮਿ ਆਇਆ ॥
હું ઘણા બધા દરવાજા પર ભટકી-ભટકીને તારી પાસે આવ્યો છું, 

ਤੁਮਰੀ ਕ੍ਰਿਪਾ ਤੇ ਤੁਮ ਸਰਣਾਇਆ ॥
તારી કૃપાથી તારી શરણમાં આવ્યો છું. 

ਸਦਾ ਸਦਾ ਸੰਤਹ ਸੰਗਿ ਰਾਖਹੁ ਏਹੁ ਨਾਮ ਦਾਨੁ ਦੇਵਾਇਣਾ ॥੧੪॥
મને હંમેશા સંતોની સંગતિમાં રાખ અને મને તેનાથી નામનું દાન અપાવી દેજે ॥૧૪॥

ਭਏ ਕ੍ਰਿਪਾਲ ਗੁਸਾਈ ਮੇਰੇ ॥
મારો માલિક જ્યારે કૃપાળુ થઈ ગયો તો જ

ਦਰਸਨੁ ਪਾਇਆ ਸਤਿਗੁਰ ਪੂਰੇ ॥
મને સંપૂર્ણ સદ્દગુરૂના દર્શન પ્રાપ્ત થયા. 

ਸੂਖ ਸਹਜ ਸਦਾ ਆਨੰਦਾ ਨਾਨਕ ਦਾਸ ਦਸਾਇਣਾ ॥੧੫॥੨॥੭॥
હે નાનક! હવે હંમેશા જ મારા મનમાં સરળ-સુખ તેમજ આનંદ બની રહે છે અને પરમાત્માના દાસોનો દાસ બની ગયો છું ॥૧૫॥૨॥૭॥ 

ਮਾਰੂ ਸੋਲਹੇ ਮਹਲਾ ੫
મારુ સોલહે મહેલ ૫ 

ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥
એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે

ਸਿਮਰੈ ਧਰਤੀ ਅਰੁ ਆਕਾਸਾ ॥
ધરતી અને આકાશ પ્રભુનું જ સ્મરણ કરે છે, 

ਸਿਮਰਹਿ ਚੰਦ ਸੂਰਜ ਗੁਣਤਾਸਾ ॥
સૂર્ય-ચાંદ પણ તે ગુણનિધિની પૂજા કરી રહ્યા છે, 

ਪਉਣ ਪਾਣੀ ਬੈਸੰਤਰ ਸਿਮਰਹਿ ਸਿਮਰੈ ਸਗਲ ਉਪਾਰਜਨਾ ॥੧॥
પવન,પાણી તેમજ આગ પણ તેનું ગુણાનુવાદ કરે છે, વાસ્તવમાં આખી સૃષ્ટિ તેને જ સ્મરણ કરી રહી છે ॥૧॥

error: Content is protected !!