GUJARATI PAGE 112

ਅਨਦਿਨੁ ਜਲਦੀ ਫਿਰੈ ਦਿਨੁ ਰਾਤੀ ਬਿਨੁ ਪਿਰ ਬਹੁ ਦੁਖੁ ਪਾਵਣਿਆ ॥੨॥
માયાના મોહને કારણે જીવ દરેક સમય દિવસ રાત સળગતો તેમજ ભટકતો રહે છે. પ્રભુ પતિના મેળાપ વગર ખુબ જ દુ:ખ સહે છે. ।।૨।।

ਦੇਹੀ ਜਾਤਿ ਆਗੈ ਜਾਏ
પ્રભુની હાજરીમાં મનુષ્યનું શરીર નથી જઈ શકતું, ઊંચી જાતિ પણ નથી પહોંચી શકતી, જેનું મનુષ્ય આટલું અભિમાન કરે છે.

ਜਿਥੈ ਲੇਖਾ ਮੰਗੀਐ ਤਿਥੈ ਛੁਟੈ ਸਚੁ ਕਮਾਏ
જ્યાં પરલોકમાં દરેક મનુષ્યથી તેના દ્વારા કરેલા કર્મોના હિસાબ માંગવામાં આવે છે. ત્યાં તો હંમેશા સ્થિર પ્રભુના નામ જપવાની કમાણી કરીને સ્વતંત્ર થાય છે.

ਸਤਿਗੁਰੁ ਸੇਵਨਿ ਸੇ ਧਨਵੰਤੇ ਐਥੈ ਓਥੈ ਨਾਮਿ ਸਮਾਵਣਿਆ ॥੩॥
જે મનુષ્ય ગુરુએ બતાવેલી સેવા કરે છે, તે પ્રભુના નામ ધનથી ધનવાન બની જાય છે. તે આ લોકમાં પણ અને પરલોકમાં પણ હંમેશા પ્રભુના નામમાં જ લીન રહે છે. ।।૩।।

ਭੈ ਭਾਇ ਸੀਗਾਰੁ ਬਣਾਏ
જે મનુષ્ય પ્રભુના ડર અદબમાં રહીને પ્રભુના પ્રેમમાં મગ્ન થઈને પ્રભુના નામને પોતાના જીવનનું ઘરેણું બનાવે છે, તે ગુરુની કૃપાથી પ્રભુ ચરણોમાં જગ્યા બનાવી લે છે.

ਗੁਰ ਪਰਸਾਦੀ ਮਹਲੁ ਘਰੁ ਪਾਏ
પ્રભુ ચરણોમાં ઘર પ્રાપ્ત કરી લે છે.

ਅਨਦਿਨੁ ਸਦਾ ਰਵੈ ਦਿਨੁ ਰਾਤੀ ਮਜੀਠੈ ਰੰਗੁ ਬਣਾਵਣਿਆ ॥੪॥
તે દરરોજ દિવસ રાત પરમાત્માનું નામ સ્મરણ કરે છે તે પોતાના જીવને કેસૂડાં જેવો પ્રભુના નામનો પાકો રંગ ચડાવી દે છે ।।૪।।

ਸਭਨਾ ਪਿਰੁ ਵਸੈ ਸਦਾ ਨਾਲੇ
હે ભાઈ! પ્રભુ પતિ હંમેશા બધા જીવો સાથે બધાની અંદર વસે છે.

ਗੁਰ ਪਰਸਾਦੀ ਕੋ ਨਦਰਿ ਨਿਹਾਲੇ
પરંતુ કોઈ દુર્લભ જીવ ગુરુની કૃપાથી તેને દરેક જગ્યાએ પોતાની આંખોથી જોવે છે.

ਮੇਰਾ ਪ੍ਰਭੁ ਅਤਿ ਊਚੋ ਊਚਾ ਕਰਿ ਕਿਰਪਾ ਆਪਿ ਮਿਲਾਵਣਿਆ ॥੫॥
હે ભાઈ! પ્રેમાળ પ્રભુ ખુબ જ ઊંચો છે, અનંત ઊંચા આધ્યાત્મિક જીવનનો માલિક છે અને અમે જીવ નીચ-જીવનના છીએ, તે પોતે જ કૃપા કરીને જીવોને પોતાના ચરણોમાં મળાવે છે ।।૫।।

ਮਾਇਆ ਮੋਹਿ ਇਹੁ ਜਗੁ ਸੁਤਾ
આ જગત માયાના મોહમાં ફસાઈને સુતેલું છે, આધ્યાત્મિક જીવન તરફથી બેદરકાર થઈ રહ્યું છે

ਨਾਮੁ ਵਿਸਾਰਿ ਅੰਤਿ ਵਿਗੁਤਾ
પરમાત્માનું નામ ભુલાવીને અંતે નષ્ટ જ થાય છે, તો પણ તે આ ઊંઘમાંથી જાગતો નથી. જાગે પણ કેવી રીતે?

ਜਿਸ ਤੇ ਸੁਤਾ ਸੋ ਜਾਗਾਏ ਗੁਰਮਤਿ ਸੋਝੀ ਪਾਵਣਿਆ ॥੬॥
આના પહોંચની વાત નથી, જેના હુકમ અનુસાર જગત માયાના મોહની ઊંઘમાં સુતેલું છે, તે જ આને જગાવે છે, તે પ્રભુ પોતે જ આને ગુરુની મતિ પર ચલાવીને આધ્યાત્મિક જીવનની સમજ બક્ષે છે ।।૬।।

ਅਪਿਉ ਪੀਐ ਸੋ ਭਰਮੁ ਗਵਾਏ
જે મનુષ્ય આધ્યાત્મિક જીવન આપનાર નામ જળ પીવે છે. તે માયાના મોહવાળી ભટકણ દૂર કરી લે છે.

ਗੁਰ ਪਰਸਾਦਿ ਮੁਕਤਿ ਗਤਿ ਪਾਏ
ગુરુની કૃપાથી તે માયાના મોહથી છુટકારો મેળવી લે છે. તે ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરી લે છે.

ਭਗਤੀ ਰਤਾ ਸਦਾ ਬੈਰਾਗੀ ਆਪੁ ਮਾਰਿ ਮਿਲਾਵਣਿਆ ॥੭॥
તે મનુષ્ય પરમાત્માની ભક્તિના રંગમાં રંગાય જાય છે, તેની કૃપાથી જ  તે માયાના મોહથી નિર્લિપ રહે છે અને સ્વયં ભાવ મારીને તે પોતાની જાતને પ્રભુ ચરણોમાં મળાવી દે છે ।।૭।।

ਆਪਿ ਉਪਾਏ ਧੰਧੈ ਲਾਏ
હે નાનક! પ્રભુ પોતે જ જીવોને પેદા કરે છે અને પોતે જ માયાની દોડ ભાગમાં જોડી દે છે.

ਲਖ ਚਉਰਾਸੀ ਰਿਜਕੁ ਆਪਿ ਅਪੜਾਏ
ચોર્યાસી લાખ યોનીઓના જીવોને આજીવિકા પણ પ્રભુ સ્વયં પહોંચાડે છે.

ਨਾਨਕ ਨਾਮੁ ਧਿਆਇ ਸਚਿ ਰਾਤੇ ਜੋ ਤਿਸੁ ਭਾਵੈ ਸੁ ਕਾਰ ਕਰਾਵਣਿਆ ॥੮॥੪॥੫॥
પરંતુ, જે મનુષ્ય પરમાત્માનું નામ સ્મરણ કરીને તે હંમેશા સ્થિર પ્રભુના નામ રંગમાં રંગાયેલા રહે છે. તે તે જ કાર્ય કરે છે જે તે પરમાત્માને સ્વીકાર હોય છે ।।૮।।૪।।૫।।

ਮਾਝ ਮਹਲਾ
માઝ મહેલ ૩।।

ਅੰਦਰਿ ਹੀਰਾ ਲਾਲੁ ਬਣਾਇਆ
પરમાત્માએ દરેકના શરીરની અંદર પોતાનો જ્યોતિરૂપી હીરો ટકાવ્યો છે.

ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਪਰਖਿ ਪਰਖਾਇਆ
પરંતુ, પસંદ કરેલા ભાગ્યશાળીઓને ગુરુના શબ્દ દ્વારા તે હીરાની પરખ કરીને સાધુ-સંગતમાં પરખ કરાવી છે.

ਜਿਨ ਸਚੁ ਪਲੈ ਸਚੁ ਵਖਾਣਹਿ ਸਚੁ ਕਸਵਟੀ ਲਾਵਣਿਆ ॥੧॥
જેના હૃદયમાં હંમેશા સ્થિર પ્રભુનું નામ-હીરો વસી ગયો, તે હંમેશા નામ સ્મરણ કરે છે. તે પોતાના આધ્યાત્મિક જીવનની પરખ માટે હંમેશા સ્થિર નામને જ કસોટીની જેમ ઉપયોગ કરે છે ।।૧।।

ਹਉ ਵਾਰੀ ਜੀਉ ਵਾਰੀ ਗੁਰ ਕੀ ਬਾਣੀ ਮੰਨਿ ਵਸਾਵਣਿਆ
હું હંમેશા તેનાથી કુરબાન જાવ છું, જે ગુરુની વાણીને પોતાના મનમાં વસાવે છે.

ਅੰਜਨ ਮਾਹਿ ਨਿਰੰਜਨੁ ਪਾਇਆ ਜੋਤੀ ਜੋਤਿ ਮਿਲਾਵਣਿਆ ॥੧॥ ਰਹਾਉ
તેને માયામાં વિચરણ કરતા કરતા જ આ વાણીની કૃપાથી નિરંજન પ્રભુને શોધી લીધા છે, તે પોતાના ધ્યાનને પ્રભુની જ્યોતિમાં મળાવી રાખે છે ।।૧।।વિરામ।।

ਇਸੁ ਕਾਇਆ ਅੰਦਰਿ ਬਹੁਤੁ ਪਸਾਰਾ
એક તરફ આ મનુષ્ય શરીરમાં માયાની રમત પથરાયેલી છે.

ਨਾਮੁ ਨਿਰੰਜਨੁ ਅਤਿ ਅਗਮ ਅਪਾਰਾ
બીજી બાજુ પ્રભુ માયાના પ્રભાવથી ઉપર છે, અગમ્ય પહોંચથી ઉપર છે, અનંત છે. તેનું નામ મનુષ્યને કઈ રીતે પ્રાપ્ત થાય?

ਗੁਰਮੁਖਿ ਹੋਵੈ ਸੋਈ ਪਾਏ ਆਪੇ ਬਖਸਿ ਮਿਲਾਵਣਿਆ ॥੨॥
જે મનુષ્ય ગુરુની સાથે હોય છે, તે જ નિરંજનના નામને પ્રાપ્ત કરે છે. પ્રભુ પોતે જ કૃપા કરીને તેને પોતાના ચરણોમાં મળાવી લે છે. ।।૨।।

ਮੇਰਾ ਠਾਕੁਰੁ ਸਚੁ ਦ੍ਰਿੜਾਏ
પાલનહાર પ્રેમાળ પ્રભુ જે મનુષ્યના હૃદયમાં પોતાનું હંમેશા સ્થિર નામ દ્રઢ કરે છે.

ਗੁਰ ਪਰਸਾਦੀ ਸਚਿ ਚਿਤੁ ਲਾਏ
તે મનુષ્ય ગુરુની કૃપાથી હંમેશા સ્થિર પ્રભુમાં પોતાનું મન જોડે છે.

ਸਚੋ ਸਚੁ ਵਰਤੈ ਸਭਨੀ ਥਾਈ ਸਚੇ ਸਚਿ ਸਮਾਵਣਿਆ ॥੩॥
તેને વિશ્વાસ બની જાય છે કે હંમેશા સ્થિર રહેનાર પરમાત્મા જ બધી જ જગ્યાએ હાજર છે, તે હંમેશા કાયમ રહેનાર પરમાત્મામાં લીન રહે છે ।।૩।।

ਵੇਪਰਵਾਹੁ ਸਚੁ ਮੇਰਾ ਪਿਆਰਾ
હે ભાઈ! મારો પ્રેમાળ પ્રભુ હંમેશા કાયમ રહેનાર છે, તેને કોઈ પણ પ્રકારની ચિંતા પણ નથી.

ਕਿਲਵਿਖ ਅਵਗਣ ਕਾਟਣਹਾਰਾ
તે બધા જીવોના પાપ અને અવગુણ દૂર કરવાની તાકાત રાખે છે. પ્રેમ, સ્નેહથી તેનું ધ્યાન ધરવું જોઈએ.

ਪ੍ਰੇਮ ਪ੍ਰੀਤਿ ਸਦਾ ਧਿਆਈਐ ਭੈ ਭਾਇ ਭਗਤਿ ਦ੍ਰਿੜਾਵਣਿਆ ॥੪॥
તેના ડર અદબમાં રહીને પ્રેમથી તેની ભક્તિ પોતાના હૃદયમાં પાકી કરવી જોઈએ ।।૪।।

ਤੇਰੀ ਭਗਤਿ ਸਚੀ ਜੇ ਸਚੇ ਭਾਵੈ
હે હંમેશા સ્થિર પ્રભુ! તારી ભક્તિનું દાન જીવને ત્યારે જ મળે છે જો તારી રજા હોય.

ਆਪੇ ਦੇਇ ਪਛੋਤਾਵੈ
હે ભાઈ! ભક્તિ તેમજ અન્ય સાંસારિક પદાર્થોનું દાન પ્રભુ પોતે જ જીવોને આપે છે. આપી આપીને તે પસ્તાવો પણ કરતો નથી.

ਸਭਨਾ ਜੀਆ ਕਾ ਏਕੋ ਦਾਤਾ ਸਬਦੇ ਮਾਰਿ ਜੀਵਾਵਣਿਆ ॥੫॥
કારણ કે બધા જીવોને દાન આપનાર તે પોતે જ પોતે છે. ગુરુના શબ્દથી જીવોને વિકારો તરફથી મારીને સ્વયં જ આધ્યાત્મિક જીવન આપનાર છે ।।૫।।

ਹਰਿ ਤੁਧੁ ਬਾਝਹੁ ਮੈ ਕੋਈ ਨਾਹੀ
હે હરિ! તારા વિના મને મારો કોઈ બીજો સહારો નથી.

ਹਰਿ ਤੁਧੈ ਸੇਵੀ ਤੈ ਤੁਧੁ ਸਾਲਾਹੀ
હે હરિ! હું તારી જ સેવા ભક્તિ કરું છું. હું તારી જ મહિમા કરું છું.

ਆਪੇ ਮੇਲਿ ਲੈਹੁ ਪ੍ਰਭ ਸਾਚੇ ਪੂਰੈ ਕਰਮਿ ਤੂੰ ਪਾਵਣਿਆ ॥੬॥
હે હંમેશા કાયમ રહેનાર પ્રભુ! તું સ્વયં જ મને પોતાના ચરણોથી જોડી રાખ. તારી સંપૂર્ણ કૃપાથી જ તને મળી શકીએ છીએ ।।૬।।

ਮੈ ਹੋਰੁ ਕੋਈ ਤੁਧੈ ਜੇਹਾ
હે પ્રભુ! તારા જેવું મને બીજું કોઈ દેખાતું નથી.

ਤੇਰੀ ਨਦਰੀ ਸੀਝਸਿ ਦੇਹਾ
તારી કૃપાની નજરથી જ જો તારી ભક્તિનું દાન મળે તો તારું આ શરીર સફળ થઈ શકે છે.

ਅਨਦਿਨੁ ਸਾਰਿ ਸਮਾਲਿ ਹਰਿ ਰਾਖਹਿ ਗੁਰਮੁਖਿ ਸਹਜਿ ਸਮਾਵਣਿਆ ॥੭॥
હે હરિ! તું સ્વયં જ દરેક સમય જીવોની સંભાળ કરીને વિકારોથી રક્ષા કરે છે. તારી કૃપાથી જે લોકો ગુરુની શરણે પડે છે, તે આધ્યાત્મિક સ્થિરતામાં લીન રહે છે ।।૭।।

ਤੁਧੁ ਜੇਵਡੁ ਮੈ ਹੋਰੁ ਕੋਈ
હે પ્રભુ! તારી બરાબરનો મને બીજો કોઈ દેખાતો નથી.

ਤੁਧੁ ਆਪੇ ਸਿਰਜੀ ਆਪੇ ਗੋਈ
તે પોતે જ રચના રચી છે અને તું પોતે જ તેનો નાશ કરે છે.

error: Content is protected !!