GUJARATI PAGE 1155

ਪ੍ਰਹਲਾਦੁ ਜਨੁ ਚਰਣੀ ਲਾਗਾ ਆਇ ॥੧੧॥
ત્યારબાદ ભક્ત પ્રહલાદ પ્રભુના ચરણોમાં લાગી ગયો ॥૧૧॥

ਸਤਿਗੁਰਿ ਨਾਮੁ ਨਿਧਾਨੁ ਦ੍ਰਿੜਾਇਆ ॥
સદ્દગુરૂએ હરિ-નામરૂપી સુખોનો ભંડાર જ પાકો કરાવ્યો છે.

ਰਾਜੁ ਮਾਲੁ ਝੂਠੀ ਸਭ ਮਾਇਆ ॥
રાજ, સંપત્તિ તેમજ આખી માયા અસત્ય છે,

ਲੋਭੀ ਨਰ ਰਹੇ ਲਪਟਾਇ ॥
પરંતુ લોભી મનુષ્ય આનાથી જ લપટાઈ રહે છે.

ਹਰਿ ਕੇ ਨਾਮ ਬਿਨੁ ਦਰਗਹ ਮਿਲੈ ਸਜਾਇ ॥੧੨॥
હરિ-નામ સ્મરણ વગર દરબારમાં સજા જ મળે છે ॥૧૨॥

ਕਹੈ ਨਾਨਕੁ ਸਭੁ ਕੋ ਕਰੇ ਕਰਾਇਆ ॥
હે નાનક! પ્રભુ જ બધું કરવા તેમજ કરાવનાર છે.

ਸੇ ਪਰਵਾਣੁ ਜਿਨੀ ਹਰਿ ਸਿਉ ਚਿਤੁ ਲਾਇਆ ॥
તે જ મનુષ્ય સ્વીકાર્ય છે, જેને પ્રભુથી મન લગાવ્યું છે.

ਭਗਤਾ ਕਾ ਅੰਗੀਕਾਰੁ ਕਰਦਾ ਆਇਆ ॥
તે હંમેશા ભગતોનો સાથ દેતો આવ્યો છે,

ਕਰਤੈ ਅਪਣਾ ਰੂਪੁ ਦਿਖਾਇਆ ॥੧੩॥੧॥੨॥
તેથી ભક્તો માટે કર્તા-પ્રભુએ પોતાનું રૂપ દેખાડ્યું છે ॥૧૩॥૧॥૨॥

ਭੈਰਉ ਮਹਲਾ ੩ ॥
ભૈરઉ મહેલ ૫॥

ਗੁਰ ਸੇਵਾ ਤੇ ਅੰਮ੍ਰਿਤ ਫਲੁ ਪਾਇਆ ਹਉਮੈ ਤ੍ਰਿਸਨ ਬੁਝਾਈ ॥
ગુરુની સેવાથી અમૃત ફળ મેળવી શકાય છે અને અહં તથા તૃષ્ણા નિવૃત થઈ જાય છે.

ਹਰਿ ਕਾ ਨਾਮੁ ਹ੍ਰਿਦੈ ਮਨਿ ਵਸਿਆ ਮਨਸਾ ਮਨਹਿ ਸਮਾਈ ॥੧॥
પ્રભુનું નામ હૃદયમાં સ્થિત થઈ જાય તો મનની લાલચ દૂર થઈ જાય છે ॥૧॥

ਹਰਿ ਜੀਉ ਕ੍ਰਿਪਾ ਕਰਹੁ ਮੇਰੇ ਪਿਆਰੇ ॥
હે પ્રેમાળ પ્રભુ! કૃપા કર,

ਅਨਦਿਨੁ ਹਰਿ ਗੁਣ ਦੀਨ ਜਨੁ ਮਾਂਗੈ ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਉਧਾਰੇ ॥੧॥ ਰਹਾਉ ॥
ગરીબ સેવક તારાથી તારું ગુણગાન જ ઈચ્છે છે, ગુરુના ઉપદેશથી ઉદ્ધાર કર ॥૧॥વિરામ॥

ਸੰਤ ਜਨਾ ਕਉ ਜਮੁ ਜੋਹਿ ਨ ਸਾਕੈ ਰਤੀ ਅੰਚ ਦੂਖ ਨ ਲਾਈ ॥
સંતજનોની પાસે યમ ભટકતો નથી અને તેને જરાય પણ દુઃખ થતું નથી.

ਆਪਿ ਤਰਹਿ ਸਗਲੇ ਕੁਲ ਤਾਰਹਿ ਜੋ ਤੇਰੀ ਸਰਣਾਈ ॥੨॥
જે તારી શરણમાં આવી જાય છે, તે પોતે તો સંસાર-સમુદ્રથી મુક્ત થાય જ છે, પોતાની આખી વંશાવલીને પણ મુક્ત કરાવે છે ॥૨॥

ਭਗਤਾ ਕੀ ਪੈਜ ਰਖਹਿ ਤੂ ਆਪੇ ਏਹ ਤੇਰੀ ਵਡਿਆਈ ॥
આ તારી ઉદારતા છે કે તું પોતે ભક્તોની લાજ રાખે છે,

ਜਨਮ ਜਨਮ ਕੇ ਕਿਲਵਿਖ ਦੁਖ ਕਾਟਹਿ ਦੁਬਿਧਾ ਰਤੀ ਨ ਰਾਈ ॥੩॥
તું જન્મ-જન્માંતરના પાપ-દુઃખ કાપી દે છે અને તેમાં જરા પણ મુશ્કેલી રહેતી નથી ॥૩॥

ਹਮ ਮੂੜ ਮੁਗਧ ਕਿਛੁ ਬੂਝਹਿ ਨਾਹੀ ਤੂ ਆਪੇ ਦੇਹਿ ਬੁਝਾਈ ॥
અમે મૂર્ખ-પાગલ તો કંઈ પણ સમજતા નથી, તું પોતે જ સમજાવી દે.

ਜੋ ਤੁਧੁ ਭਾਵੈ ਸੋਈ ਕਰਸੀ ਅਵਰੁ ਨ ਕਰਣਾ ਜਾਈ ॥੪॥
જે તું ઇચ્છે છે, તે જ કરે છે અને બીજું કાંઇ થઈ શકતું નથી ॥૪॥

ਜਗਤੁ ਉਪਾਇ ਤੁਧੁ ਧੰਧੈ ਲਾਇਆ ਭੂੰਡੀ ਕਾਰ ਕਮਾਈ ॥
જગતને ઉત્પન્ન કરી તે કામ-ધંધામાં લગાવી દીધું, પરંતુ લોકો મંદ કામ કરતા રહે છે.

ਜਨਮੁ ਪਦਾਰਥੁ ਜੂਐ ਹਾਰਿਆ ਸਬਦੈ ਸੁਰਤਿ ਨ ਪਾਈ ॥੫॥
લોકોએ કીમતી જીવનને જુગારમાં હારી દીધું અને શબ્દને અંતર્મનમાં વસાવ્યા નથી ॥૫॥

ਮਨਮੁਖਿ ਮਰਹਿ ਤਿਨ ਕਿਛੂ ਨ ਸੂਝੈ ਦੁਰਮਤਿ ਅਗਿਆਨ ਅੰਧਾਰਾ ॥
સ્વેચ્છાચારી મરી જાય છે અને દુર્બુદ્ધિ તેમજ અજ્ઞાન અંધકારને કારણે કોઈ સમજ થતી નથી.

ਭਵਜਲੁ ਪਾਰਿ ਨ ਪਾਵਹਿ ਕਬ ਹੀ ਡੂਬਿ ਮੁਏ ਬਿਨੁ ਗੁਰ ਸਿਰਿ ਭਾਰਾ ॥੬॥
તે સંસાર-સમુદ્રથી પાર ઉતરતો નથી અને ગુરુ વગર પાપોનો ભાર લઈને ડુબી મરે છે ॥૬॥

ਸਾਚੈ ਸਬਦਿ ਰਤੇ ਜਨ ਸਾਚੇ ਹਰਿ ਪ੍ਰਭਿ ਆਪਿ ਮਿਲਾਏ ॥
સાચા શબ્દમાં લીન મનુષ્ય જ સત્યનિષ્ઠ છે અને પ્રભુ પોતે જ તેને મળાવી લે છે.

ਗੁਰ ਕੀ ਬਾਣੀ ਸਬਦਿ ਪਛਾਤੀ ਸਾਚਿ ਰਹੇ ਲਿਵ ਲਾਏ ॥੭॥
ગુરુની વાણી દ્વારા શબ્દ રહસ્યને જાણીને તે સત્યમાં લગન લગાવી રાખે છે ॥૭॥

ਤੂੰ ਆਪਿ ਨਿਰਮਲੁ ਤੇਰੇ ਜਨ ਹੈ ਨਿਰਮਲ ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਵੀਚਾਰੇ ॥
તું પોતે તો નિર્મળ જ છે, તારા સેવક પણ નિર્મળ છે, ગુરુના ઉપદેશ દ્વારા આ વિચાર કર્યો છે.

ਨਾਨਕੁ ਤਿਨ ਕੈ ਸਦ ਬਲਿਹਾਰੈ ਰਾਮ ਨਾਮੁ ਉਰਿ ਧਾਰੇ ॥੮॥੨॥੩॥
નાનક તેના પર હંમેશા બલિહાર જાય છે, જેને રામ નામનો મનમાં ધારણ કરી લીધું છે ॥૮॥૨॥૩॥

ਭੈਰਉ ਮਹਲਾ ੫ ਅਸਟਪਦੀਆ ਘਰੁ ੨
ભૈરઉ મહેલ ૫ અષ્ટપદ ઘર ૨

ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥
એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે

ਜਿਸੁ ਨਾਮੁ ਰਿਦੈ ਸੋਈ ਵਡ ਰਾਜਾ ॥
જેના હૃદયમાં હરિ-નામ છે, તે જ સૌથી મોટો બાદશાહ છે,

ਜਿਸੁ ਨਾਮੁ ਰਿਦੈ ਤਿਸੁ ਪੂਰੇ ਕਾਜਾ ॥
જેના હૃદયમાં નામ છે, તેના બધા કાર્ય પૂર્ણ થઈ જાય છે.

ਜਿਸੁ ਨਾਮੁ ਰਿਦੈ ਤਿਨਿ ਕੋਟਿ ਧਨ ਪਾਏ ॥
જેના હૃદયમાં રામ નામ છે, તે કરોડો ધન મેળવે છે,

ਨਾਮ ਬਿਨਾ ਜਨਮੁ ਬਿਰਥਾ ਜਾਏ ॥੧॥
પરંતુ પ્રભુ-નામ વગર જીવન વ્યર્થ જ જાય છે ॥૧॥

ਤਿਸੁ ਸਾਲਾਹੀ ਜਿਸੁ ਹਰਿ ਧਨੁ ਰਾਸਿ ॥
જેની પાસે પ્રભુ-નામરૂપી ધન રાશિ છે, તેના જ વખાણ કરું છું.

ਸੋ ਵਡਭਾਗੀ ਜਿਸੁ ਗੁਰ ਮਸਤਕਿ ਹਾਥੁ ॥੧॥ ਰਹਾਉ ॥
તે જ ભાગ્યશાળી છે, જેના માથા પર ગુરુના હાથ છે ॥૧॥વિરામ॥

ਜਿਸੁ ਨਾਮੁ ਰਿਦੈ ਤਿਸੁ ਕੋਟ ਕਈ ਸੈਨਾ ॥
જેના હૃદયમાં રામ નામ છે, તેની પાસે અનેક કિલ્લા તેમજ અગણિત સેના છે.

ਜਿਸੁ ਨਾਮੁ ਰਿਦੈ ਤਿਸੁ ਸਹਜ ਸੁਖੈਨਾ ॥
જેના હૃદયમાં નામ છે, તે જ પરમ સુખી છે.

error: Content is protected !!