GUJARATI PAGE 125

ਗੁਰਮੁਖਿ ਜੀਵੈ ਮਰੈ ਪਰਵਾਣੁ
ગુરુની સન્મુખ રહેનાર મનુષ્ય આધ્યાત્મિક જીવન પ્રાપ્ત કરી લે છે અને અહંકાર તરફથી મરેલો રહે છે આ રીતે તે પ્રભુની નજરોમાં સ્વીકાર થઈ જાય છે.

ਆਰਜਾ ਛੀਜੈ ਸਬਦੁ ਪਛਾਣੁ
તેની ઉંમર વ્યર્થ જતી નથી, ગુરુનો શબ્દ તેનો જીવન સાથી બની રહે છે.

ਗੁਰਮੁਖਿ ਮਰੈ ਕਾਲੁ ਖਾਏ ਗੁਰਮੁਖਿ ਸਚਿ ਸਮਾਵਣਿਆ ॥੨॥
ગુરુની સન્મુખ રહેનાર મનુષ્ય આધ્યાત્મિક મૌતથી બચેલો રહે છે. આધ્યાત્મિક મૌત તેના પર કોઈ જોર નાખી શકતી નથી. તે હંમેશા સ્થિર પ્રભુની યાદમાં લીન રહે છે. ।।૨।।

ਗੁਰਮੁਖਿ ਹਰਿ ਦਰਿ ਸੋਭਾ ਪਾਏ
ગુરુના આશરે રહેનાર મનુષ્ય પરમાત્માના ઓટલે શોભા પ્રાપ્ત કરે છે.

ਗੁਰਮੁਖਿ ਵਿਚਹੁ ਆਪੁ ਗਵਾਏ
તે પોતાની અંદરથી સ્વયં ભાવ દૂર કરે છે. તે સ્વયં સંસાર સમુદ્રથી પાર થાય છે.

ਆਪਿ ਤਰੈ ਕੁਲ ਸਗਲੇ ਤਾਰੇ ਗੁਰਮੁਖਿ ਜਨਮੁ ਸਵਾਰਣਿਆ ॥੩॥
ગુરુની સન્મુખ રહેનાર મનુષ્ય પોતાનું જીવન સંવારી લે છે અને પોતાના બધા કુળને પણ પાર કરે છે. ।।૩।।

ਗੁਰਮੁਖਿ ਦੁਖੁ ਕਦੇ ਲਗੈ ਸਰੀਰਿ
જે મનુષ્ય ગુરુની શરણ લે છે, તેના શરીરમાં ક્યારેય રોગ નથી લાગતો.

ਗੁਰਮੁਖਿ ਹਉਮੈ ਚੂਕੈ ਪੀਰ
તેની અંદરથી અહંકારની પીડા સમાપ્ત થઇ જાય છે.

ਗੁਰਮੁਖਿ ਮਨੁ ਨਿਰਮਲੁ ਫਿਰਿ ਮੈਲੁ ਲਾਗੈ ਗੁਰਮੁਖਿ ਸਹਜਿ ਸਮਾਵਣਿਆ ॥੪॥
ગુરુની સન્મુખ રહેનાર મનુષ્યનું મન અહંકારની ગંદકીથી સાફ રહે છે, ગુરુનો આશરો લેવાને કારણે તેને પછી અહંકારની ગંદકી લાગતી નથી, તે આધ્યાત્મિક સ્થિરતામાં લીન રહે છે ।।૪।।

ਗੁਰਮੁਖਿ ਨਾਮੁ ਮਿਲੈ ਵਡਿਆਈ
ગુરુની સન્મુખ રહેનાર મનુષ્યને પરમાત્માનું નામ પ્રાપ્ત થઇ જાય છે

ਗੁਰਮੁਖਿ ਗੁਣ ਗਾਵੈ ਸੋਭਾ ਪਾਈ
લોક પરલોકમાં આદર મળે છે. તે પરમાત્માના ગુણ ગાય છે અને બધી જગ્યાએ શોભા કમાય છે.

ਸਦਾ ਅਨੰਦਿ ਰਹੈ ਦਿਨੁ ਰਾਤੀ ਗੁਰਮੁਖਿ ਸਬਦੁ ਕਰਾਵਣਿਆ ॥੫॥
ગુરુના ઓટલે ટકી રહેવાને કારણે મનુષ્ય હંમેશા દિવસ રાત આધ્યાત્મિક આનંદમાં મગ્ન રહે છે. તે હંમેશા પરમાત્માની મહિમા જ કરતો રહે છે ।।૫।।

ਗੁਰਮੁਖਿ ਅਨਦਿਨੁ ਸਬਦੇ ਰਾਤਾ
ગુરુની સન્મુખ રહેનાર મનુષ્ય દરેક વખતે ગુરુના શબ્દમાં રંગાયેલો રહે છે.

ਗੁਰਮੁਖਿ ਜੁਗ ਚਾਰੇ ਹੈ ਜਾਤਾ
હંમેશા માટે જ આ નિયમ છે કે ગુરુના ઓટલે રહેનાર મનુષ્ય પ્રભુની સાથે ગાઢ સંધિ બનાવી રાખે છે.

ਗੁਰਮੁਖਿ ਗੁਣ ਗਾਵੈ ਸਦਾ ਨਿਰਮਲੁ ਸਬਦੇ ਭਗਤਿ ਕਰਾਵਣਿਆ ॥੬॥
તે હંમેશા પરમાત્માના ગુણ ગાય છે અને પવિત્ર જીવનવાળો બની રહે છે. ગુરુના શબ્દ દ્વારા તે પરમાત્માની ભક્તિ કરે છે. ।।૬।।

ਬਾਝੁ ਗੁਰੂ ਹੈ ਅੰਧ ਅੰਧਾਰਾ
ગુરુની શરણ પડ્યા વગર માયાના મોહનો ઘોર અંધકાર છવાયેલો રહે છે.

ਜਮਕਾਲਿ ਗਰਠੇ ਕਰਹਿ ਪੁਕਾਰਾ
આ અંધકારને કારણે જેને આધ્યાત્મિક મૃત્યુએ જકડી લીધો હોય છે તે દુઃખી થઇ થઈને પુકારતા રહે છે, દુ:ખોની વાતો કરે છે.

ਅਨਦਿਨੁ ਰੋਗੀ ਬਿਸਟਾ ਕੇ ਕੀੜੇ ਬਿਸਟਾ ਮਹਿ ਦੁਖੁ ਪਾਵਣਿਆ ॥੭॥
તે દરેક સમય વિકારોના રોગમાં ફસાયેલા રહે છે અને દુઃખ સહેતા રહે છે. જેમ જિંદગીના કીડા ગંદકીમાં જ બુળ-બુળ કરતા રહે છે ।।૭।।

ਗੁਰਮੁਖਿ ਆਪੇ ਕਰੇ ਕਰਾਏ
તેને પછી આ નિશ્ચય થઇ જાય છે કે પ્રભુ બધા જીવોમાં વ્યાપક થઈને સ્વયં જ બધું કરે છે અને જીવોથી કરાવે છે

ਗੁਰਮੁਖਿ ਹਿਰਦੈ ਵੁਠਾ ਆਪਿ ਆਏ
જે મનુષ્ય ગુરૂની શરણમાં રહે છે, તેના હૃદયમાં પરમાત્મા સ્વયં આવી વસે છે.

ਨਾਨਕ ਨਾਮਿ ਮਿਲੈ ਵਡਿਆਈ ਪੂਰੇ ਗੁਰ ਤੇ ਪਾਵਣਿਆ ॥੮॥੨੫॥੨੬॥
હે નાનક! પરમાત્માના નામમાં જોડાવાથી લોક પરલોકમાં આદર મળે છે અને પ્રભુનું નામ સંપૂર્ણ ગુરૂથી જ મળે છે ।।૮।।૨૫।।૨૬।।

ਮਾਝ ਮਹਲਾ
માઝ મહેલ ૩।।

ਏਕਾ ਜੋਤਿ ਜੋਤਿ ਹੈ ਸਰੀਰਾ
નિશ્ચય કરાવી દે છે કે બધા શરીરોમાં પરમાત્માની જ જ્યોત

ਸਬਦਿ ਦਿਖਾਏ ਸਤਿਗੁਰੁ ਪੂਰਾ
સંપૂર્ણ ગુરુ પોતાના શબ્દમાં જોડીને શરણે આવેલા મનુષ્યને દેખાડી દે છે,

ਆਪੇ ਫਰਕੁ ਕੀਤੋਨੁ ਘਟ ਅੰਤਰਿ ਆਪੇ ਬਣਤ ਬਣਾਵਣਿਆ ॥੧॥
પરમાત્માએ સ્વયં જ બધા જીવોની બનાવટ બનાવી છે, પેદા કર્યા છે અને પોતે જ તેને બધા શરીરોમાં આધ્યાત્મિક જીવનનો તફાવત બનાવ્યો છે ।।૧।।

ਹਉ ਵਾਰੀ ਜੀਉ ਵਾਰੀ ਹਰਿ ਸਚੇ ਕੇ ਗੁਣ ਗਾਵਣਿਆ
હું હંમેશા તે મનુષ્યો પરથી કુરબાન જાવ છું, જે હંમેશા સ્થિર રહેનાર પરમાત્માના ગુણ ગાતા રહે છે, આધ્યાત્મિક સ્થિરતામાં રહીને જ મહિમા કરી શકાય છે,

ਬਾਝੁ ਗੁਰੂ ਕੋ ਸਹਜੁ ਪਾਏ ਗੁਰਮੁਖਿ ਸਹਜਿ ਸਮਾਵਣਿਆ ॥੧॥ ਰਹਾਉ
તથા ગુરુની શરણ વિના કોઈ મનુષ્ય આધ્યાત્મિક સ્થિરતા પ્રાપ્ત કરી શકતો નથી, ગુરુની સન્મુખ રહેનાર મનુષ્ય જ આધ્યાત્મિક સ્થિરતામાં લીન રહે છે ।।૧।। વિરામ।।

ਤੂੰ ਆਪੇ ਸੋਹਹਿ ਆਪੇ ਜਗੁ ਮੋਹਹਿ
હે કર્તાર! તું પોતે જ જગત રચીને જગત રચનાથી પોતાની સુંદરતા દેખાડી રહ્યો છે અને એ સુંદરતાથી તે પોતે જ જગતને મોહિત કરે છે

ਤੂੰ ਆਪੇ ਨਦਰੀ ਜਗਤੁ ਪਰੋਵਹਿ
તું પોતે જ પોતાની કૃપાની નજરથી જગતને પોતાની કાયમની મર્યાદાના દોરામાં પરોવી રાખે છે. 

ਤੂੰ ਆਪੇ ਦੁਖੁ ਸੁਖੁ ਦੇਵਹਿ ਕਰਤੇ ਗੁਰਮੁਖਿ ਹਰਿ ਦੇਖਾਵਣਿਆ ॥੨॥
હે કર્તાર! તું પોતે જ જીવોને દુઃખ આપે છે, પોતે જ જીવોને સુખ આપે છે. હે હરિ! ગુરુની શરણે પડવાવાળા લોકો દરેક જગ્યાએ તારા જ દર્શન કરે છે ।।૨।।

ਆਪੇ ਕਰਤਾ ਕਰੇ ਕਰਾਏ
હે ભાઈ! બધા જીવોમાં વ્યાપક રહીને કર્તાર પોતે જ બધું જ કરી રહ્યો છે અને જીવોથી કરાવી રહ્યો છે.

ਆਪੇ ਸਬਦੁ ਗੁਰ ਮੰਨਿ ਵਸਾਏ
કર્તાર પોતે જ ગુરુના શબ્દ જીવોના મનમાં વસાવે છે. 

ਸਬਦੇ ਉਪਜੈ ਅੰਮ੍ਰਿਤ ਬਾਣੀ ਗੁਰਮੁਖਿ ਆਖਿ ਸੁਣਾਵਣਿਆ ॥੩॥
ગુરુના શબ્દ દ્વારા જ આધ્યાત્મિક જીવન આપનારી મહિમાની વાણીની લગન જીવોના હૃદયમાં પેદા થાય છે. ગુરુની સન્મુખ રહેનાર મનુષ્ય મહિમાની વાણી ઉચારીને બીજા લોકોને પણ સંભળાવે છે ।।૩।।

ਆਪੇ ਕਰਤਾ ਆਪੇ ਭੁਗਤਾ
કર્તાર પોતે જ બધા જીવોને પેદા કરનાર છે. બધા જીવોમાં વ્યાપક થઈને પોતે જ દુનિયાના પદાર્થ ભોગનાર છે.

ਬੰਧਨ ਤੋੜੇ ਸਦਾ ਹੈ ਮੁਕਤਾ
કર્તાર પોતે જ બધાના જીવોના માયાના બંધન તોડે છે. તે પોતે જ હંમેશા બંધનોથી મુક્ત છે.

ਸਦਾ ਮੁਕਤੁ ਆਪੇ ਹੈ ਸਚਾ ਆਪੇ ਅਲਖੁ ਲਖਾਵਣਿਆ ॥੪॥
હંમેશા સ્થિર રહેનાર કર્તાર પોતે જ હંમેશા નિર્લિપ છે. પોતે જ અદ્દશ્ય પણ છે અને પોતે જ પોતાનું સ્વરૂપ જીવોને દેખાડનાર છે ।।૪।।

ਆਪੇ ਮਾਇਆ ਆਪੇ ਛਾਇਆ
હે ભાઈ! કર્તારે પોતે જ માયા ઉત્પન્ન કરી છે. તેણે પોતે જ માયાનો પ્રભાવ ઉત્પન્ન કરેલો છે.

ਆਪੇ ਮੋਹੁ ਸਭੁ ਜਗਤੁ ਉਪਾਇਆ
કર્તારે પોતે જ માયાનો મોહ પેદા કરેલો છે અને પોતે જ આખું જગત પેદા કરેલું છે.

ਆਪੇ ਗੁਣਦਾਤਾ ਗੁਣ ਗਾਵੈ ਆਪੇ ਆਖਿ ਸੁਣਾਵਣਿਆ ॥੫॥
કર્તાર પોતે જ પોતાના ગુણોનું દાન જીવોને આપનાર છે, પોતે જ પોતાના ગુણ જીવોમાં વ્યાપક થઈને ગાય છે. પોતે જ પોતાના ગુણ ઉચારીને બીજા લોકોને સંભળાવે છે ।।૫।।

ਆਪੇ ਕਰੇ ਕਰਾਏ ਆਪੇ
હે ભાઈ! બધા જીવોમાં વ્યાપક થઈને કર્તાર પોતે જ બધું કરી રહ્યો છે અને પોતે જ જીવોથી કરાવી રહ્યો છે.

ਆਪੇ ਥਾਪਿ ਉਥਾਪੇ ਆਪੇ
કર્તાર પોતે જ જગતની રચના કરીને પોતે જ જગતનો નાશ કરે છે.

ਤੁਝ ਤੇ ਬਾਹਰਿ ਕਛੂ ਹੋਵੈ ਤੂੰ ਆਪੇ ਕਾਰੈ ਲਾਵਣਿਆ ॥੬॥
હે પ્રભુ! જે કંઈ જગતમાં થઇ રહ્યું છે તે તારા હુકમથી બહાર કંઈ થતું નથી, તું પોતે જ બધા જીવોને કામમાં લગાવી રહ્યો છે ।।૬।।

ਆਪੇ ਮਾਰੇ ਆਪਿ ਜੀਵਾਏ
હે ભાઈ! પરમાત્મા પોતે જ કોઈ જીવને આધ્યાત્મિક મૃત્યુ દઈ રહ્યો છે, કોઈને આધ્યાત્મિક  જીવન આપી રહ્યો છે.

ਆਪੇ ਮੇਲੇ ਮੇਲਿ ਮਿਲਾਏ
પ્રભુ પોતે જ જીવોને ગુરુ સાથે મળાવે છે અને ગુરુને મિલાવીને પોતાના ચરણોમાં જોડે છે.

ਸੇਵਾ ਤੇ ਸਦਾ ਸੁਖੁ ਪਾਇਆ ਗੁਰਮੁਖਿ ਸਹਜਿ ਸਮਾਵਣਿਆ ॥੭॥
ગુરુએ બતાવેલી સેવા કરનારે હંમેશા આધ્યાત્મિક આનંદ મેળવ્યો છે. ગુરુની સન્મુખ રહેનાર મનુષ્ય આધ્યાત્મિક સ્થિરતામાં લીન રહે છે ।।૭।।

error: Content is protected !!