GUJARATI PAGE 1311

ਪੰਕਜ ਮੋਹ ਨਿਘਰਤੁ ਹੈ ਪ੍ਰਾਨੀ ਗੁਰੁ ਨਿਘਰਤ ਕਾਢਿ ਕਢਾਵੈਗੋ ॥
જ્યારે કોઈ પ્રાણી મોહના કાદવમાં પડે છે, ત્યારે ગુરુ તેને બહાર કાઢે છે.

ਤ੍ਰਾਹਿ ਤ੍ਰਾਹਿ ਸਰਨਿ ਜਨ ਆਏ ਗੁਰੁ ਹਾਥੀ ਦੇ ਨਿਕਲਾਵੈਗੋ ॥੪॥
‘બચાવો બચાવો ‘ ની પ્રાર્થના કરતા જીવો આશ્રયસ્થાને આવે છે અને ગુરુ તેમને હાથ આપીને બચાવે છે || ૪ ||

ਸੁਪਨੰਤਰੁ ਸੰਸਾਰੁ ਸਭੁ ਬਾਜੀ ਸਭੁ ਬਾਜੀ ਖੇਲੁ ਖਿਲਾਵੈਗੋ ॥
આખી દુનિયા સપનાની રમત છે અને પ્રભુ જીવનની રમત રમાડે છે.

ਲਾਹਾ ਨਾਮੁ ਗੁਰਮਤਿ ਲੈ ਚਾਲਹੁ ਹਰਿ ਦਰਗਹ ਪੈਧਾ ਜਾਵੈਗੋ ॥੫॥
ગુરુની સૂચના મુજબ હરીનામ સંકીર્તનનો લાભ મેળવો અને આદરપૂર્વક પ્રભુના દરબારમાં જાઓ || ૫ ||

ਹਉਮੈ ਕਰੈ ਕਰਾਵੈ ਹਉਮੈ ਪਾਪ ਕੋਇਲੇ ਆਨਿ ਜਮਾਵੈਗੋ ॥
માણસ બધું અભિમાનમાં કરે છે અને કરાવે છે અને પાપોનો કોલસો જમા કરે છે.

ਆਇਆ ਕਾਲੁ ਦੁਖਦਾਈ ਹੋਏ ਜੋ ਬੀਜੇ ਸੋ ਖਵਲਾਵੈਗੋ ॥੬॥
દુ:ખનો સમય આવે ત્યારે જે વાવ્યું હોય તેનું ફળ ખાવું પડે છે || ૬ ||

ਸੰਤਹੁ ਰਾਮ ਨਾਮੁ ਧਨੁ ਸੰਚਹੁ ਲੈ ਖਰਚੁ ਚਲੇ ਪਤਿ ਪਾਵੈਗੋ ॥
ઓ સજ્જનો! રામનામ રૂપી સંપત્તિ ભેગી કરો, તેનો ઉપયોગ કરીને તમને પ્રતિષ્ઠા મળે છે.

ਖਾਇ ਖਰਚਿ ਦੇਵਹਿ ਬਹੁਤੇਰਾ ਹਰਿ ਦੇਦੇ ਤੋਟਿ ਨ ਆਵੈਗੋ ॥੭॥
નામ રૂપી ધનને જેટલો ઉપયોગ તેમજ ખર્ચો કરશો, ઈશ્વર આપતા રહેશે અને કોઈ વસ્તુની કમી નથી આવતી || ૭ ||

ਰਾਮ ਨਾਮ ਧਨੁ ਹੈ ਰਿਦ ਅੰਤਰਿ ਧਨੁ ਗੁਰ ਸਰਣਾਈ ਪਾਵੈਗੋ ॥
રામનામ સ્વરૂપની સંપત્તિ હૃદયમાં છે અને આ સંપત્તિ ગુરુના શરણમાં જ મળે છે.

ਨਾਨਕ ਦਇਆ ਦਇਆ ਕਰਿ ਦੀਨੀ ਦੁਖੁ ਦਾਲਦੁ ਭੰਜਿ ਸਮਾਵੈਗੋ ॥੮॥੫॥
નાનકે કહ્યું છે કે ઈશ્વરે દયા કરી છે, જેનાથી બધા દુ:ખ અને દરિદ્રતા દૂર થાય છે ||૮||૫||

ਕਾਨੜਾ ਮਹਲਾ ੪ ॥
કાનડા મહલા ૪ ||

ਮਨੁ ਸਤਿਗੁਰ ਸਰਨਿ ਧਿਆਵੈਗੋ ॥
હે મન! સદગુરુના શરણનું ધ્યાન કરો,

ਲੋਹਾ ਹਿਰਨੁ ਹੋਵੈ ਸੰਗਿ ਪਾਰਸ ਗੁਨੁ ਪਾਰਸ ਕੋ ਹੋਇ ਆਵੈਗੋ ॥੧॥ ਰਹਾਉ ॥
જેમ પારસના સ્પર્શથી લોખંડ સોનું બની જાય છે, તે જ રીતે ગુરુ રૂપી પારસથી, એવા જ ગુણ પ્રાપ્ત થાય છે.||૧||વિરામ||

ਸਤਿਗੁਰੁ ਮਹਾ ਪੁਰਖੁ ਹੈ ਪਾਰਸੁ ਜੋ ਲਾਗੈ ਸੋ ਫਲੁ ਪਾਵੈਗੋ ॥
મહાપુરુષ સદગુરુ એવા પારસ છે, જેમના ચરણોમાં ઇચ્છિત ફળ મળે છે.

ਜਿਉ ਗੁਰ ਉਪਦੇਸਿ ਤਰੇ ਪ੍ਰਹਿਲਾਦਾ ਗੁਰੁ ਸੇਵਕ ਪੈਜ ਰਖਾਵੈਗੋ ॥੧॥
જેમ ભક્ત પ્રહલાદ ગુરુના ઉપદેશથી સંસાર-સમુદ્રને પાર કરે છે, તેવી જ રીતે ગુરુ પોતાના શિષ્યોનું સન્માન રાખે છે. ||૧||

ਸਤਿਗੁਰ ਬਚਨੁ ਬਚਨੁ ਹੈ ਨੀਕੋ ਗੁਰ ਬਚਨੀ ਅੰਮ੍ਰਿਤੁ ਪਾਵੈਗੋ ॥
સદ્દગુરુના શબ્દો સારા હોય છે અને ગુરુના શબ્દોથી અમૃત મળે છે.

ਜਿਉ ਅੰਬਰੀਕਿ ਅਮਰਾ ਪਦ ਪਾਏ ਸਤਿਗੁਰ ਮੁਖ ਬਚਨ ਧਿਆਵੈਗੋ ॥੨॥
જેમ અંબરીશે સદ્દગુરુના શબ્દોનું ધ્યાન કરીને અમરત્વ પ્રાપ્ત કર્યું, તેમ આપણે પણ ગુરુના શબ્દોનું ધ્યાન કરીને અમરપદ પ્રાપ્ત કરીશું. ||૨||

ਸਤਿਗੁਰ ਸਰਨਿ ਸਰਨਿ ਮਨਿ ਭਾਈ ਸੁਧਾ ਸੁਧਾ ਕਰਿ ਧਿਆਵੈਗੋ ॥
જેનું મન સદ્દગુરુના શરણમાં રહેવાનું પસંદ કરે છે, તે હરિનામના અમૃતનું જ ધ્યાન કરે છે.

ਦਇਆਲ ਦੀਨ ਭਏ ਹੈ ਸਤਿਗੁਰ ਹਰਿ ਮਾਰਗੁ ਪੰਥੁ ਦਿਖਾਵੈਗੋ ॥੩॥
સદ્દગુરુ નમ્ર લોકો માટે દયાળુ છે અને પ્રભુના મિલન માટે માર્ગદર્શન આપે છે. || ૩ ||

ਸਤਿਗੁਰ ਸਰਨਿ ਪਏ ਸੇ ਥਾਪੇ ਤਿਨ ਰਾਖਨ ਕਉ ਪ੍ਰਭੁ ਆਵੈਗੋ ॥
જેઓ સદ્દગુરુનું શરણ લે છે, તેઓ સ્થાપિત થાય છે અને પ્રભુ તેમની રક્ષા કરવા આવે છે.

ਜੇ ਕੋ ਸਰੁ ਸੰਧੈ ਜਨ ਊਪਰਿ ਫਿਰਿ ਉਲਟੋ ਤਿਸੈ ਲਗਾਵੈਗੋ ॥੪॥
જો કોઈ ભક્તો પર નિંદાનું તીર મારે તો તેનાથી વિપરીત જ લાગે છે || ૪ ||

ਹਰਿ ਹਰਿ ਹਰਿ ਹਰਿ ਹਰਿ ਸਰੁ ਸੇਵਹਿ ਤਿਨ ਦਰਗਹ ਮਾਨੁ ਦਿਵਾਵੈਗੋ ॥
પરમાત્માની ભક્તિ કરનારને જ સાચા દરબારમાં માન મળે છે.

ਗੁਰਮਤਿ ਗੁਰਮਤਿ ਗੁਰਮਤਿ ਧਿਆਵਹਿ ਹਰਿ ਗਲਿ ਮਿਲਿ ਮੇਲਿ ਮਿਲਾਵੈਗੋ ॥੫॥
જે વ્યક્તિ ગુરુના ઉપદેશો અનુસાર પરમાત્માનું ધ્યાન કરે છે, તે એને ગળે લગાવીને મેળવી લે છે ||૫||

ਗੁਰਮੁਖਿ ਨਾਦੁ ਬੇਦੁ ਹੈ ਗੁਰਮੁਖਿ ਗੁਰ ਪਰਚੈ ਨਾਮੁ ਧਿਆਵੈਗੋ ॥
ગુરુના મુખમાંથી જે શબ્દ નીકળે છે તે વેદ છે અને ગુરુના પ્રસન્નતામાં નામ-ધ્યાન છે.

ਹਰਿ ਹਰਿ ਰੂਪੁ ਹਰਿ ਰੂਪੋ ਹੋਵੈ ਹਰਿ ਜਨ ਕਉ ਪੂਜ ਕਰਾਵੈਗੋ ॥੬॥
હરિની આરાધના કરતાં ભક્તો હરિનું સ્વરૂપ બની જાય છે. ||૬||

ਸਾਕਤ ਨਰ ਸਤਿਗੁਰੁ ਨਹੀ ਕੀਆ ਤੇ ਬੇਮੁਖ ਹਰਿ ਭਰਮਾਵੈਗੋ ॥
નાસ્તિક વ્યક્તિ ગુરુ ધારણ કરતો નથી, પરમાત્મા આવા મોહભંગ વ્યક્તિનેભુલભુલામણીમાં રાખે છે.

ਲੋਭ ਲਹਰਿ ਸੁਆਨ ਕੀ ਸੰਗਤਿ ਬਿਖੁ ਮਾਇਆ ਕਰੰਗਿ ਲਗਾਵੈਗੋ ॥੭॥
લોભ રૂપી કૂતરાની સંગતમાં માયા માણસને મરેલા પ્રાણી ની હાડપિંજર જેવો બનાવી દે છે ||૭||

ਰਾਮ ਨਾਮੁ ਸਭ ਜਗ ਕਾ ਤਾਰਕੁ ਲਗਿ ਸੰਗਤਿ ਨਾਮੁ ਧਿਆਵੈਗੋ ॥
પરમાત્માનું નામ આખા જગતનો ઉદ્ધારક છે, માટે સારા સંગતમાં પ્રભુના નામની ભક્તિ કરો.

ਨਾਨਕ ਰਾਖੁ ਰਾਖੁ ਪ੍ਰਭ ਮੇਰੇ ਸਤਸੰਗਤਿ ਰਾਖਿ ਸਮਾਵੈਗੋ ॥੮॥੬॥ ਛਕਾ ੧ ॥
નાનક વિનંતી કરે છે કે હે પ્રભુ! મને સંતોના સંગમાં રાખો ||૮||૬|| છ શન્બ્દોની જોડી ૧||

error: Content is protected !!