GUJARATI PAGE 153

ਨਾਮ ਸੰਜੋਗੀ ਗੋਇਲਿ ਥਾਟੁ
જેમ મુશ્કેલી આવવા પર સુખની હાલતમાં લોકો દરિયાના કિનારે હરિયાળીવાળી જગ્યામાં થોડા દિવસોનું ઠેકાણું બનાવી લે છે, તેમ જ પ્રભુના નામની સાથે સંધિ મેળવનાર લોકો જગતમાં થોડા-રોજ ઠેકાણાની હકીકતને સમજે છે.

ਕਾਮ ਕ੍ਰੋਧ ਫੂਟੈ ਬਿਖੁ ਮਾਟੁ
તેની અંદરથી કામ-ક્રોધનું ઝેરી મટકુ તૂટી જાય છે.

ਬਿਨੁ ਵਖਰ ਸੂਨੋ ਘਰੁ ਹਾਟੁ
જે મનુષ્ય નામ-વસ્તુથી વંચિત રહે છે તેની હૃદયરૂપી દુકાન ખાલી રહે છે,

ਗੁਰ ਮਿਲਿ ਖੋਲੇ ਬਜਰ ਕਪਾਟ ॥੪॥
તેના ખાલી હૃદય-ઘરને જાણે તાળા લાગેલા રહે છે. ગુરુને મળીને તે કરડાયેલા દરવાજા ખુલી જાય છે ॥૪॥

ਸਾਧੁ ਮਿਲੈ ਪੂਰਬ ਸੰਜੋਗ
જે મનુષ્યોને પૂર્વે કરેલા કર્મોના સંસ્કાર અંકુરિત થવાથી ગુરુ મળે છે.

ਸਚਿ ਰਹਸੇ ਪੂਰੇ ਹਰਿ ਲੋਗ
તે સંપૂર્ણ પુરુષ હંમેશા સ્થિર પ્રભુમાં જોડાઈને ખીલેલા રહે છે.

ਮਨੁ ਤਨੁ ਦੇ ਲੈ ਸਹਜਿ ਸੁਭਾਇ
જે મનુષ્ય, મન ગુરુના હવાલે કરીને, શરીર ગુરુના હવાલે કરીને, સ્થિરતામાં ટકીને, પ્રેમમાં જોડાઈને નામનું દાન ગુરુથી લે છે.

ਨਾਨਕ ਤਿਨ ਕੈ ਲਾਗਉ ਪਾਇ ॥੫॥੬॥
નાનક કહે છે હું તેના ચરણોમાં નતમસ્તક થાવ છું ॥૫॥૬॥

ਗਉੜੀ ਮਹਲਾ
ગૌરી રાગ મહેલ ૧॥

ਕਾਮੁ ਕ੍ਰੋਧੁ ਮਾਇਆ ਮਹਿ ਚੀਤੁ
મારી અંદર કામ પ્રબળ છે. ક્રોધ પ્રબળ છે. મારું મન માયામાં મગ્ન રહે છે.

ਝੂਠ ਵਿਕਾਰਿ ਜਾਗੈ ਹਿਤ ਚੀਤੁ
અસત્ય બોલવાની દુષ્ટતામાં મારુ હિત્ત જાગે છે મારું મન તત્પર થાય છે.

ਪੂੰਜੀ ਪਾਪ ਲੋਭ ਕੀ ਕੀਤੁ
મેં પાપ તેમજ લોભની રાશિ પુંજી એકત્રીત કરેલી છે.

ਤਰੁ ਤਾਰੀ ਮਨਿ ਨਾਮੁ ਸੁਚੀਤੁ ॥੧॥
તારી કૃપાથી જો મારા મનમાં તારું પવિત્ર કરનાર નામ વસી જાય તો આ જ મારા માટે હલેસું છે, નાવડી છે ॥૧॥

ਵਾਹੁ ਵਾਹੁ ਸਾਚੇ ਮੈ ਤੇਰੀ ਟੇਕ
હે હંમેશા કાયમ રહેનાર પ્રભુ! તું આશ્ચર્ય છે તું આશ્ચર્ય છે. તારા જેવું બીજું કોઈ નથી; કામાદિક વિકારોથી બચવા માટે મને ફક્ત તારો જ આશરો છે.

ਹਉ ਪਾਪੀ ਤੂੰ ਨਿਰਮਲੁ ਏਕ ॥੧॥ ਰਹਾਉ
હું પાપી છું, ફક્ત તું જ પવિત્ર કરવા સમર્થ છે. ॥૧॥ વિરામ॥

ਅਗਨਿ ਪਾਣੀ ਬੋਲੈ ਭੜਵਾਉ
જીવની અંદર ક્યારેક આગનું જોર પડી જાય છે ક્યારેક પાણી પ્રબળ થઈ જાય છે આ માટે એ ગરમ-ઠંડા બોલ બોલતો રહે છે.

ਜਿਹਵਾ ਇੰਦ੍ਰੀ ਏਕੁ ਸੁਆਉ
જીભ વગેરે દરેક ઇન્દ્રિયને પોતપોતાનો ચસકો લાગેલો છે.

ਦਿਸਟਿ ਵਿਕਾਰੀ ਨਾਹੀ ਭਉ ਭਾਉ
આંખો વિકારોમાં રહે છે. મનમાં નથી ડર નથી પ્રેમ, આવી હાલતમાં પ્રભુ કઈ રીતે મળે?

ਆਪੁ ਮਾਰੇ ਤਾ ਪਾਏ ਨਾਉ ॥੨॥
જીવ અહંભાવને ઓછું કરે, તો જ પરમાત્માનું નામ પ્રાપ્ત કરી શકે છે ॥૨॥

ਸਬਦਿ ਮਰੈ ਫਿਰਿ ਮਰਣੁ ਹੋਇ
જયારે મનુષ્ય ગુરુના શબ્દમાં જોડાઈને અહંભાવને સમાપ્ત કરે છે, તો તેને આધ્યાત્મિક મૃત્યુ થતી નથી.

ਬਿਨੁ ਮੂਏ ਕਿਉ ਪੂਰਾ ਹੋਇ
સ્વયંભાવના સમાપ્ત થયા વગર મનુષ્ય પૂર્ણ નથી થઇ શકતો.

ਪਰਪੰਚਿ ਵਿਆਪਿ ਰਹਿਆ ਮਨੁ ਦੋਇ
ખામીઓથી બચી શકતો નથી પણ મન માયાના છલના દ્વેતમાં ફસાયેલો રહે છે.

ਥਿਰੁ ਨਾਰਾਇਣੁ ਕਰੇ ਸੁ ਹੋਇ ॥੩॥
જીવનું પણ શું વશ? જેને પરમાત્મા પોતે અડોળ મન કરે છે તે જ થાય છે ॥૩॥

ਬੋਹਿਥਿ ਚੜਉ ਜਾ ਆਵੈ ਵਾਰੁ
હું પ્રભુના નામ જહાજમાં ત્યારે જ ચડી શકું છું, જયારે તેની કૃપાથી મને વારો મળે.

ਠਾਕੇ ਬੋਹਿਥ ਦਰਗਹ ਮਾਰ
જે લોકોને નામ જહાજ પર ચડવાનું નસીબ હોતું નથી, તેને પ્રભુની દરબારમાં નષ્ટતા મળે છે, ધક્કા પડે છે, પ્રભુનું દર્શન નસીબ હોતું નથી.

 ਸਚੁ ਸਾਲਾਹੀ ਧੰਨੁ ਗੁਰਦੁਆਰੁ
વાસ્તવિક વાત એ છે કે ગુરુનો ઓટલો સૌથી શ્રેષ્ઠ છે. ગુરુના ઓટલે રહીને જ હું પરમાત્માની મહિમા કરી શકું છું.

ਨਾਨਕ ਦਰਿ ਘਰਿ ਏਕੰਕਾਰੁ ॥੪॥੭॥
હે નાનક! ગુરુના ઓટલા પર રહેવાથી હૃદયમાં પરમાત્માનાં દર્શન થાય છે ॥૪॥૭॥

ਗਉੜੀ ਮਹਲਾ
ગૌરી રાગ મહેલ ૧॥

ਉਲਟਿਓ ਕਮਲੁ ਬ੍ਰਹਮੁ ਬੀਚਾਰਿ
પરમાત્માની માહિમમાં મન જોડવાથી હ્રદય કમલ માયાના મોહ તરફથી હટી જાય છે.

ਅੰਮ੍ਰਿਤ ਧਾਰ ਗਗਨਿ ਦਸ ਦੁਆਰਿ
મગજમાં પણ મહિમાની કૃપાથી નામ અમૃતની વર્ષા થાય છે અને માયાવાળા તકરારની અશાંતિ મટીને ઠંડી પડી જાય છે.

ਤ੍ਰਿਭਵਣੁ ਬੇਧਿਆ ਆਪਿ ਮੁਰਾਰਿ ॥੧॥
પછી હૃદયને અને મગજને પણ વિશ્વાસ આવી જાય છે કે પ્રભુ પોતે આખા જગતના જરે-જરેમાં હાજર છે ॥૧॥

ਰੇ ਮਨ ਮੇਰੇ ਭਰਮੁ ਕੀਜੈ
હે મન! માયા માટે ભટકવાનું છોડી દે અને પ્રભુની માહિમમાં જોડા.

 ਮਨਿ ਮਾਨਿਐ ਅੰਮ੍ਰਿਤ ਰਸੁ ਪੀਜੈ ॥੧॥ ਰਹਾਉ
હે ભાઈ! જયારે મનને પરમાત્માની મહિમા સારી લાગવા લાગે છે. ત્યારે આ મહિમાનો સ્વાદ લેવા લાગે છે ॥૧॥વિરામ॥

ਜਨਮੁ ਜੀਤਿ ਮਰਣਿ ਮਨੁ ਮਾਨਿਆ
મહિમામાં જોડાવાથી જન્મ ઉદેશ્ય પ્રાપ્ત કરીને મનને સ્વાર્થનું સમાપ્ત થઈ જવું પસંદ આવી જાય છે.

ਆਪਿ ਮੂਆ ਮਨੁ ਮਨ ਤੇ ਜਾਨਿਆ
આ વાતની સમજ મનની અંદર જ પડી જાય છે કે સ્વયંભાવ સમાપ્ત થઇ ગયો છે.

ਨਜਰਿ ਭਈ ਘਰੁ ਘਰ ਤੇ ਜਾਨਿਆ ॥੨॥
જયારે પ્રભુની કૃપાની નજર હોય છે તો હૃદયમાં જ આ અનુભવ થઇ જાય છે કે ધ્યાન પ્રભુ ચરણોમાં જોડાયેલું છે ॥૨॥

ਜਤੁ ਸਤੁ ਤੀਰਥੁ ਮਜਨੁ ਨਾਮਿ
પરમાત્માના નામમાં જોડાવું જ જપ, સત્ય તેમજ તીર્થ સ્નાનનું ઉદ્યમ છે.

ਅਧਿਕ ਬਿਥਾਰੁ ਕਰਉ ਕਿਸੁ ਕਾਮਿ
હું જપ-સત્ય વગેરે વાળું ખુબ ફેલાવ પણ શા માટે ફેલાવું?

ਨਰ ਨਾਰਾਇਣ ਅੰਤਰਜਾਮਿ ॥੩॥
આ બધા ઉદ્યમ તો લોક-દેખાવના જ છે, અને પરમાત્મા દરેકના હૃદયને જાણે છે ॥૩॥

ਆਨ ਮਨਉ ਤਉ ਪਰ ਘਰ ਜਾਉ
માયાવાળી ભટકણ દૂર કરવા માટે પ્રભુ ઓટલા વગર બીજી કોઈ જગ્યા નથી, તો હું ત્યારે જ કોઈ બીજી જગ્યાએ જાઉં જો હું પ્રભુ વગર કોઈ બીજી જગ્યા માની જ લઉં.

ਕਿਸੁ ਜਾਚਉ ਨਾਹੀ ਕੋ ਥਾਉ
કોઈ બીજી જગ્યા છે જ નહિ, હું કોની પાસે આ માંગ માંગુ કે મારુ મન ભટકવાથી દૂર થઈ જાય?

ਨਾਨਕ ਗੁਰਮਤਿ ਸਹਜਿ ਸਮਾਉ ॥੪॥੮॥
હે નાનક! મને વિશ્વાસ છે કે ગુરુનો ઉપદેશ હ્રદયમાં વસાવીને તે આદ્યાત્મિક સ્થિતિમાં લીન રહી શકાય છે જ્યાં માયાવાળી ભટકનનું અસ્તિત્વ નથી જ્યાં સ્થિરતા છે ॥૪॥૮॥

ਗਉੜੀ ਮਹਲਾ
ગૌરી રાગ મહેલ ૧॥

ਸਤਿਗੁਰੁ ਮਿਲੈ ਸੁ ਮਰਣੁ ਦਿਖਾਏ
જે મનુષ્યને ગુરુ મળી જાય છે તેને તે મૃત્યુ દેખાડી દે છે તેની જીવનશૈલીમાં વિકારોની મૃત્યુ થઇ જાય છે

ਮਰਣ ਰਹਣ ਰਸੁ ਅੰਤਰਿ ਭਾਏ
જે મૃત્યુનો આનંદ અને તેનાથી પેદા થયેલો સદાકાળનો આધ્યાત્મિક જીવન આનંદ તે મનુષ્યને પોતાના હૃદયમાં પ્રેમાળ લાગવા લાગે છે.

ਗਰਬੁ ਨਿਵਾਰਿ ਗਗਨ ਪੁਰੁ ਪਾਏ ॥੧॥
તે મનુષ્ય શરીર વગેરેનો અહંકાર દૂર કરીને તે આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત કરી લે છે જ્યાં ધ્યાન ઉંચી ઉડાન લગાવે છે ॥૧॥

ਮਰਣੁ ਲਿਖਾਇ ਆਏ ਨਹੀ ਰਹਣਾ
હે ભાઈ! બધા જીવ શારીરિક મૃત્યુરૂપી હુકમ પ્રભુની હાજરીમાંથી લખાવીને પેદા થાય છે. તો, અહીં શારીરિક રીતે કોઈને હંમેશા ટકી રહેવાનું નથી.

ਹਰਿ ਜਪਿ ਜਾਪਿ ਰਹਣੁ ਹਰਿ ਸਰਣਾ ॥੧॥ ਰਹਾਉ
હા, પ્રભુની મહિમા કરીને, પ્રભુની શરણમાં રહીને સદેવી આદ્યાત્મિક જીવન મળી જાય છે ॥૧॥વિરામ॥

ਸਤਿਗੁਰੁ ਮਿਲੈ ਦੁਬਿਧਾ ਭਾਗੈ
જો સતગુરુ મળી જાય, તો મનુષ્યની અનિયમિતતા દૂર થઈ જાય છે.

ਕਮਲੁ ਬਿਗਾਸਿ ਮਨੁ ਹਰਿ ਪ੍ਰਭ ਲਾਗੈ
હૃદયનું કમળફુલ ખીલીને તેનું મન પ્રભુના ચરણોમાં જોડાયેલું રહે છે.

ਜੀਵਤੁ ਮਰੈ ਮਹਾ ਰਸੁ ਆਗੈ ॥੨॥
મનુષ્ય દુનિયાના કીર્ત-કાર્ય કરતો હોવા છતાં માયાના મોહથી ઊંચો રહે છે. તેને પ્રત્યક્ષ રીતે પરમાત્માના સ્મરણનો મહા આનંદ અનુભવ થાય છે ॥૨॥

ਸਤਿਗੁਰਿ ਮਿਲਿਐ ਸਚ ਸੰਜਮਿ ਸੂਚਾ
જો ગુરુ મળી જાય, તો મનુષ્ય નામ જપવાના સંયોગમાં રહીને પવિત્ર આત્મા બની જાય છે.

ਗੁਰ ਕੀ ਪਉੜੀ ਊਚੋ ਊਚਾ
ગુરુની બતાવેલી સીડીના સહારે આદ્યાત્મિક જીવનમાં ઊંચો જ ઊંચો થતો જાય છે.

ਕਰਮਿ ਮਿਲੈ ਜਮ ਕਾ ਭਉ ਮੂਚਾ ॥੩॥
પરંતુ, આ સ્મરણ પ્રભુની કૃપાથી મળે છે, જેને મળે છે તેનો મૃત્યુનો ડર ઉતરી જાય છે ॥૩॥

ਗੁਰਿ ਮਿਲਿਐ ਮਿਲਿ ਅੰਕਿ ਸਮਾਇਆ
જો ગુરુ મળી જાય તો મનુષ્ય પ્રભુની યાદમાં જોડાઈને પ્રભુના ચરણોમાં લિન થયેલો રહે છે.

ਕਰਿ ਕਿਰਪਾ ਘਰੁ ਮਹਲੁ ਦਿਖਾਇਆ
ગુરૂ કૃપા કરીને તેને તે આધ્યાત્મિક અવસ્થા બતાવી દે છે જ્યાં પ્રભુનો મેળાપ થયેલો રહે.

ਨਾਨਕ ਹਉਮੈ ਮਾਰਿ ਮਿਲਾਇਆ ॥੪॥੯॥
હે નાનક! તે મનુષ્યના અહંકારને દૂર કરીને ગુરુ તેને પ્રભુથી એક-મેક કરી દે છે ॥૪॥૯॥

error: Content is protected !!