GUJARATI PAGE 40

ਸਹਸ ਸਿਆਣਪ ਕਰਿ ਰਹੇ ਮਨਿ ਕੋਰੈ ਰੰਗੁ ਹੋਇ
તપસ્યાવાળી હજારો હોશિયારી જે લોકો કરે છે તેમનું હૃદય પ્રભુના પ્રેમથી ખાલી રહે છે અને જો મન પ્રભુના પ્રેમથી ખાલી રહે, તો નામ રંગ ચડતો નથી

ਕੂੜਿ ਕਪਟਿ ਕਿਨੈ ਪਾਇਓ ਜੋ ਬੀਜੈ ਖਾਵੈ ਸੋਇ ॥੩॥
માયાના મોહમાં ફસાઈને બહારથી હઠીલા કર્મો કરવાના પાખંડથી ક્યારેય કોઈને પરમાત્મા મળ્યા નથી. આ એક નિશ્ચિત નિયમ છે કે જે બીજ વાવે છે, તે જ તે ખાય છે ।।૩।।

ਸਭਨਾ ਤੇਰੀ ਆਸ ਪ੍ਰਭੁ ਸਭ ਜੀਅ ਤੇਰੇ ਤੂੰ ਰਾਸਿ
હે પ્રભુ! વિશ્વના સમુદ્રથી બચવા માટે બધા જીવને તારી સહાયતાની આશા છે, બધા જીવો તારા જ પેદા કરેલા છે, તુ જ બધા જીવની આધ્યાત્મિક મૂડીની રકમ છે

ਪ੍ਰਭ ਤੁਧਹੁ ਖਾਲੀ ਕੋ ਨਹੀ ਦਰਿ ਗੁਰਮੁਖਾ ਨੋ ਸਾਬਾਸਿ
હે પ્રભુ! તમારા ઓટલેથી કોઈ ખાલી જતુ નથી. ગુરુના શરણમાં આવતા લોકોને તમારા ઓટલે  માન મળે છે

ਬਿਖੁ ਭਉਜਲ ਡੁਬਦੇ ਕਢਿ ਲੈ ਜਨ ਨਾਨਕ ਕੀ ਅਰਦਾਸਿ ॥੪॥੧॥੬੫॥
હે પ્રભુ! તમારો સેવક નાનક તમારી સામે વિનંતી કરે છે કે તમે સંસાર સમુદ્રના વિકારોના ઝેરમાં ડૂબતા જીવોને બહાર કાઢો ।।૪।।૧।।૬૫।।

ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ
શ્રી રાગ મહેલ! ૪।।

ਨਾਮੁ ਮਿਲੈ ਮਨੁ ਤ੍ਰਿਪਤੀਐ ਬਿਨੁ ਨਾਮੈ ਧ੍ਰਿਗੁ ਜੀਵਾਸੁ
જે મનુષ્યને પ્રભુનું નામ મળે છે તેનું મન માયાની તૃષ્ણા વતી સંતુષ્ટ થાય છે, નામ વિના જીવન જીવવાથી તિરસ્કાર જ મળે છે

ਕੋਈ ਗੁਰਮੁਖਿ ਸਜਣੁ ਜੇ ਮਿਲੈ ਮੈ ਦਸੇ ਪ੍ਰਭੁ ਗੁਣਤਾਸੁ
જો ગુરુ ની પાસે રહેવા વાળો કોઈ સારો માણસ મને મળી જાય અને મને ગુણોના ખજાના પરમાત્મા વિશે મને જણાવે

ਹਉ ਤਿਸੁ ਵਿਟਹੁ ਚਉ ਖੰਨੀਐ ਮੈ ਨਾਮ ਕਰੇ ਪਰਗਾਸੁ ॥੧॥
હું તેના પર કુરબાન થવા તૈયાર છું ।।૧।।

ਮੇਰੇ ਪ੍ਰੀਤਮਾ ਹਉ ਜੀਵਾ ਨਾਮੁ ਧਿਆਇ
હે મારા પ્રિય પ્રભુ! તમારું નામ યાદ કરીને જ હું આધ્યાત્મિક જીવન જીવી શકું છું

ਬਿਨੁ ਨਾਵੈ ਜੀਵਣੁ ਨਾ ਥੀਐ ਮੇਰੇ ਸਤਿਗੁਰ ਨਾਮੁ ਦ੍ਰਿੜਾਇ ॥੧॥ ਰਹਾਉ
હે મારા સદગુરુ! મારા હૃદયમાં પરમાત્માનું નામ મક્કમ બનાવો. કારણ કે પ્રભુના નામ વિના કોઈ આધ્યાત્મિક જીવન બની શકતું નથી ।।૧।। વિરામ।।

ਨਾਮੁ ਅਮੋਲਕੁ ਰਤਨੁ ਹੈ ਪੂਰੇ ਸਤਿਗੁਰ ਪਾਸਿ
પ્રભુનું નામ એક એવું રત્ન છે, તેના જેટલું કીમતી કંઈ જ નથી

ਸਤਿਗੁਰ ਸੇਵੈ ਲਗਿਆ ਕਢਿ ਰਤਨੁ ਦੇਵੈ ਪਰਗਾਸਿ
આ નામ બધા ગુરુ સાથે છે. જો ગુરુ દ્વારા આપવામાં આવતી સેવામાં લાગી જાય, તો તમારા હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ કરીને પોતાના પાસેથી નામ રત્ન કાઢીને આપે છે

ਧੰਨੁ ਵਡਭਾਗੀ ਵਡ ਭਾਗੀਆ ਜੋ ਆਇ ਮਿਲੇ ਗੁਰ ਪਾਸਿ ॥੨॥
આ કારણોસર તે મનુષ્ય ભાગ્યશાળી, પ્રશંસનીય છે, જે આવે છે અને ગુરુના શરણે પડે છે ।।૨।।

ਜਿਨਾ ਸਤਿਗੁਰੁ ਪੁਰਖੁ ਭੇਟਿਓ ਸੇ ਭਾਗਹੀਣ ਵਸਿ ਕਾਲ
પરંતુ જેમને અકાળ-પુરખ  સદગુરુ નું સ્વરૂપ ક્યારેય પ્રાપ્ત થયું નથી, તે કમનસીબ છે, તેઓ આધ્યાત્મિક મૃત્યુ ના વશ માં રહે છે

ਓਇ ਫਿਰਿ ਫਿਰਿ ਜੋਨਿ ਭਵਾਈਅਹਿ ਵਿਚਿ ਵਿਸਟਾ ਕਰਿ ਵਿਕਰਾਲ
તેઓ વિકારોની ગંદકી ને લીધે ભયંકર આધ્યાત્મિક જીવનવાળા બનાવીને તેને વારંવાર જન્મ અને મૃત્યુના ચક્રમાં મુકાય છે

ਓਨਾ ਪਾਸਿ ਦੁਆਸਿ ਭਿਟੀਐ ਜਿਨ ਅੰਤਰਿ ਕ੍ਰੋਧੁ ਚੰਡਾਲ ॥੩॥
હે ભાઈ! નામથી વંચિત જે લોકોમાં ભયંકર ક્રોધ વસે છે તેમની નજીક ક્યારેય ભટકવુ ન જોઈએ ।।૩।।

ਸਤਿਗੁਰੁ ਪੁਰਖੁ ਅੰਮ੍ਰਿਤ ਸਰੁ ਵਡਭਾਗੀ ਨਾਵਹਿ ਆਇ
પણ આ વિકારોની ગંદકી, આ ચાંડાલ ક્રોધ વગેરે ની અસર તીર્થ સ્નાન વગેરેથી દૂર કરી શકાતું નથી, અકાળ-પુરખ નું સ્વરૂપ સદગુરુ જ અમૃતનું તળાવ છે.

ਉਨ ਜਨਮ ਜਨਮ ਕੀ ਮੈਲੁ ਉਤਰੈ ਨਿਰਮਲ ਨਾਮੁ ਦ੍ਰਿੜਾਇ
જે લોકો આ તીર્થસ્નાન કરે છે તે ખૂબ નસીબદાર હોય છે. ગુરુ ની શરણ માં પડીને પવિત્ર પ્રભુનું નામ હદયમાં મક્કમ બનાવવાના કારણે તેમના ભાગ્યશાલીના જન્મો વિકારોની મલિનતાને દૂર કરે છે

ਜਨ ਨਾਨਕ ਉਤਮ ਪਦੁ ਪਾਇਆ ਸਤਿਗੁਰ ਕੀ ਲਿਵ ਲਾਇ ॥੪॥੨॥੬੬॥
હે દાસ નાનક! સદગુરુના શિક્ષણ તરફ ધ્યાન આપીને તે મનુષ્ય શ્રેષ્ઠ આધ્યાત્મિક જીવન નો દરજ્જો પ્રાપ્ત કરે છે ।।૪।। ૨૨।।૬૬।।

ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ
શ્રી રાગ મહેલ! ૪।।

ਗੁਣ ਗਾਵਾ ਗੁਣ ਵਿਥਰਾ ਗੁਣ ਬੋਲੀ ਮੇਰੀ ਮਾਇ
હે મારી મા! મારું મન ઝંખે છે કે હું પ્રભુના ગુણો ગાવાનું ચાલુ રાખું. ગુણોનું વિસ્તરણ કર્યા રાખુ અને પ્રભુના ગુણોને ઉચ્ચાર્યા રાખુ

ਗੁਰਮੁਖਿ ਸਜਣੁ ਗੁਣਕਾਰੀਆ ਮਿਲਿ ਸਜਣ ਹਰਿ ਗੁਣ ਗਾਇ
ગુરુની સામે રહેતો કોઈ એક સંત મનુષ્ય જ પ્રભુના ગુણો ગાવાની આ ખ્યાતિ પેદા કરી શકે છે. કોઈ ગુરુમુખને મળીને જ પ્રભુના ગુણો ગાઈ શકે છે

ਹੀਰੈ ਹੀਰੁ ਮਿਲਿ ਬੇਧਿਆ ਰੰਗਿ ਚਲੂਲੈ ਨਾਇ ॥੧॥
જે મનુષ્ય પ્રભુના ગુણો ગાય છે, તેનું મન-હીરા, ગુરુ હીરાને મળીને તેમાં મળી જાય છે, પ્રભુના નામમાં મગ્ન થઈને તે પ્રભુના ઘેરા પ્રેમના રંગમાં રંગીન થઈ જાય છે ।।૧।।

ਮੇਰੇ ਗੋਵਿੰਦਾ ਗੁਣ ਗਾਵਾ ਤ੍ਰਿਪਤਿ ਮਨਿ ਹੋਇ
હે મારા ગોવિંદ! કૃપા કરો કે હું તમારા ગુણો ગાતો રહુ. તમારા ગુણો ગાવાથી મનમાં માયાની તૃષ્ણાથી સંતોષ થાય છે

ਅੰਤਰਿ ਪਿਆਸ ਹਰਿ ਨਾਮ ਕੀ ਗੁਰੁ ਤੁਸਿ ਮਿਲਾਵੈ ਸੋਇ ॥੧॥ ਰਹਾਉ
મને તમારા નામની તરસ છે મને એક ગુરુ મળ્યો જે ખુશ થઈને મને તે નામ નો મેળાપ કરાવશે ।।૧।।વિરામ।।

ਮਨੁ ਰੰਗਹੁ ਵਡਭਾਗੀਹੋ ਗੁਰੁ ਤੁਠਾ ਕਰੇ ਪਸਾਉ
હે ઘણા નસીબવાળા! ગુરુનો આશરો લઈને પોતાનું મન પ્રભુના નામ-રંગમા રંગી લો. ગુરુ ખુશ થઈને નામની આ કૃપા કરે છે.

ਗੁਰੁ ਨਾਮੁ ਦ੍ਰਿੜਾਏ ਰੰਗ ਸਿਉ ਹਉ ਸਤਿਗੁਰ ਕੈ ਬਲਿ ਜਾਉ
ગુરુ પ્રેમથી પરમાત્માનું નામ આશ્રયસ્થાનમાં આવેલા શીખના હૃદયમાં ગાઢ બનાવે છે, આ કારણે હું ગુરુ પર કુરબાન થાઉં છું

ਬਿਨੁ ਸਤਿਗੁਰ ਹਰਿ ਨਾਮੁ ਲਭਈ ਲਖ ਕੋਟੀ ਕਰਮ ਕਮਾਉ ॥੨॥
ભલે હું લાખો કરોડો ધાર્મિક કાર્યો કરું તો પણ સદગુરુ ની શરણ વિના પ્રભુનું નામ પ્રાપ્ત થતું નથી ।।૨।।

ਬਿਨੁ ਭਾਗਾ ਸਤਿਗੁਰੁ ਨਾ ਮਿਲੈ ਘਰਿ ਬੈਠਿਆ ਨਿਕਟਿ ਨਿਤ ਪਾਸਿ
સારા નસીબ વિના કોઈ ગુરુ મળતો નથી અને કોઈ ગુરુ વિના પ્રભુ સાથે મેળાપ થતો નથી, ભલે આપણા હૃદયમાં બેઠેલો આપણો સમય આપણી નજીક હોય, આપણી પાસે હોય

ਅੰਤਰਿ ਅਗਿਆਨ ਦੁਖੁ ਭਰਮੁ ਹੈ ਵਿਚਿ ਪੜਦਾ ਦੂਰਿ ਪਈਆਸਿ
જે જીવની અંદર અજ્ઞાનતાના અંધકારનુ દુઃખ ટકેલું રહે, તેની અંદર પ્રભુથી માયાના મોહનો તે ભટકવાનો પડદો બનેલો રહે છે. તેનો આત્મા અંદર રહેતા પ્રભુથી દૂર રહે છે

ਬਿਨੁ ਸਤਿਗੁਰ ਭੇਟੇ ਕੰਚਨੁ ਨਾ ਥੀਐ ਮਨਮੁਖੁ ਲੋਹੁ ਬੂਡਾ ਬੇੜੀ ਪਾਸਿ ॥੩॥
પોતાના મનની પાછળ ચાલવા વાળો મનુષ્ય જાણે લોખંડ છે, જે ગુરુ પારસ મેળવ્યા વિના સોનાનો ન બની શકે. ગુરુ માનવરૂપી લોખંડની નજીક છે, પરંતુ તે દુર્ગુણોની નદીમાં ડૂબી જાય છે ।।૩।।

ਸਤਿਗੁਰੁ ਬੋਹਿਥੁ ਹਰਿ ਨਾਵ ਹੈ ਕਿਤੁ ਬਿਧਿ ਚੜਿਆ ਜਾਇ
સદગુરુ, પરમાત્મા ના નામનું વહાણ છે પરંતુ તે જહાજ માં ચડવાનો ઉપાય પણ હોવો જોઈએ.

ਸਤਿਗੁਰ ਕੈ ਭਾਣੈ ਜੋ ਚਲੈ ਵਿਚਿ ਬੋਹਿਥ ਬੈਠਾ ਆਇ
કેવી રીતે તે વહાણમાં ચડી શકાય? જે વ્યક્તિ સદગુરુના હુકમમાં ચાલે છે તે આ વહાણમાં સવાર થઈ ગયો એવું સમજો.

ਧੰਨੁ ਧੰਨੁ ਵਡਭਾਗੀ ਨਾਨਕਾ ਜਿਨਾ ਸਤਿਗੁਰੁ ਲਏ ਮਿਲਾਇ ॥੪॥੩॥੬੭॥
હે નાનક! તે મનુષ્ય ખૂબ ભાગ્યશાળી, ધન્ય છે, જેને સદગુરુ પ્રભુના ચરણોમાં જોડે છે ।।૪।।૩।।૬૭।।

error: Content is protected !!