Gujarati Page 753

ਆਪੇ ਥਾਪਿ ਉਥਾਪਿ ਸਬਦਿ ਨਿਵਾਜਿਆ ॥੫॥
તે જ આ સંસાર ઉત્પન્ન કર્યો છે, તું પોતે જ ઉત્પન્ન કરીને નાશ કરી દે છે અને શબ્દ દ્વારા કેટલાય જીવોને તું સત્કૃત કરે છે ॥૫॥ 

ਦੇਹੀ ਭਸਮ ਰੁਲਾਇ ਨ ਜਾਪੀ ਕਹ ਗਇਆ ॥
ખબર લાગતી નથી કે જીવ પોતાના શરીરને માટીમાં મળાવીને ક્યાંક ચાલ્યો ગયો છે? 

ਆਪੇ ਰਹਿਆ ਸਮਾਇ ਸੋ ਵਿਸਮਾਦੁ ਭਇਆ ॥੬॥
પરમાત્મા પોતે જ બધામાં સમાયેલ છે અને આ ખુબ મોટું આશ્ચર્ય છે ॥૬॥ 

ਤੂੰ ਨਾਹੀ ਪ੍ਰਭ ਦੂਰਿ ਜਾਣਹਿ ਸਭ ਤੂ ਹੈ ॥
હે પ્રભુ! તું ક્યાંય દૂર વસતો નથી, બધા જાણે છે કે એક તુ જ છે. 

ਗੁਰਮੁਖਿ ਵੇਖਿ ਹਦੂਰਿ ਅੰਤਰਿ ਭੀ ਤੂ ਹੈ ॥੭॥
ગુરુમુખ તે પોતાની સમક્ષ જ જોવે છે અને બધાના હૃદયમાં તું જ વસે છે ॥૭॥

ਮੈ ਦੀਜੈ ਨਾਮ ਨਿਵਾਸੁ ਅੰਤਰਿ ਸਾਂਤਿ ਹੋਇ ॥
હે માલિક! મને પોતાના નામમાં નિવાસ આપ કેમ કે મારા મનમાં શાંતિ પ્રાપ્ત થાય. 

ਗੁਣ ਗਾਵੈ ਨਾਨਕ ਦਾਸੁ ਸਤਿਗੁਰੁ ਮਤਿ ਦੇਇ ॥੮॥੩॥੫॥
દાસ નાનક કહે છે કે જો સદ્દગુરુ સદ્ ઉપદેશ આપે તો તે નિરંકારના ગુણગાન કરતો રહે॥૮॥૨॥૫॥ 

ਰਾਗੁ ਸੂਹੀ ਮਹਲਾ ੩ ਘਰੁ ੧ ਅਸਟਪਦੀਆ
રાગ સુહી મહેલ ૩ ઘર ૧ અષ્ટપદ 

ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥
એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે             

ਨਾਮੈ ਹੀ ਤੇ ਸਭੁ ਕਿਛੁ ਹੋਆ ਬਿਨੁ ਸਤਿਗੁਰ ਨਾਮੁ ਨ ਜਾਪੈ ॥
હે ભાઈ! પરમેશ્વરના નામથી જ બધું જ ઉત્પન્ન થયું છે, પરંતુ સદ્દગુરુ વગર નામનું જ્ઞાન થતું નથી. 

ਗੁਰ ਕਾ ਸਬਦੁ ਮਹਾ ਰਸੁ ਮੀਠਾ ਬਿਨੁ ਚਾਖੇ ਸਾਦੁ ਨ ਜਾਪੈ ॥
ગુરુના શબ્દ મીઠું મહારસ છે પરંતુ ચાખ્યા વગર આનો સ્વાદ જણાતો નથી. 

ਕਉਡੀ ਬਦਲੈ ਜਨਮੁ ਗਵਾਇਆ ਚੀਨਸਿ ਨਾਹੀ ਆਪੈ ॥
જે મનુષ્યએ કોડીના ભાવ પોતાનો કિંમતી જન્મ વ્યર્થ જ ગુમાવી લીધો છે, તે પોતાના આત્મસ્વરૂપને જાણતો નથી.

ਗੁਰਮੁਖਿ ਹੋਵੈ ਤਾ ਏਕੋ ਜਾਣੈ ਹਉਮੈ ਦੁਖੁ ਨ ਸੰਤਾਪੈ ॥੧॥
જો તે ગુરુમુખ બની જાય તો તે એક પરમાત્માને જ જાણે અને તેને અહમરુપી દુઃખ પીડિત કરતું નથી ॥૧॥ 

ਬਲਿਹਾਰੀ ਗੁਰ ਅਪਣੇ ਵਿਟਹੁ ਜਿਨਿ ਸਾਚੇ ਸਿਉ ਲਿਵ ਲਾਈ ॥
હું પોતાના ગુરુ પર બલિહાર જાવ છું, જેને સત્ય પ્રભુથી મારી લગન લગાવી દીધી છે. 

ਸਬਦੁ ਚੀਨੑਿ ਆਤਮੁ ਪਰਗਾਸਿਆ ਸਹਜੇ ਰਹਿਆ ਸਮਾਈ ॥੧॥ ਰਹਾਉ ॥
શબ્દને ઓળખીને મનમાં પ્રકાશ થઈ ગયો અને હું સરળ જ સત્યમાં જોડાય રહું છું ॥૧॥વિરામ॥ 

ਗੁਰਮੁਖਿ ਗਾਵੈ ਗੁਰਮੁਖਿ ਬੂਝੈ ਗੁਰਮੁਖਿ ਸਬਦੁ ਬੀਚਾਰੇ ॥
ગુરુમુખ પરમાત્માનું જ ગુણ ગાતો રહે છે, તે પરમ-સત્યને જ સમજાવે છે અને શબ્દનું જ ચિંતન કરતો રહે છે. 

ਜੀਉ ਪਿੰਡੁ ਸਭੁ ਗੁਰ ਤੇ ਉਪਜੈ ਗੁਰਮੁਖਿ ਕਾਰਜ ਸਵਾਰੇ ॥
પ્રાણ તેમજ શરીર બધું ગુરૂથી જ ઉત્પન્ન થાય છે અને ગુરુમુખ પોતાના કાર્ય સંભાળી લે છે. 

ਮਨਮੁਖਿ ਅੰਧਾ ਅੰਧੁ ਕਮਾਵੈ ਬਿਖੁ ਖਟੇ ਸੰਸਾਰੇ ॥
મનમુખ અંધ મનુષ્ય અંધ કાર્ય જ કરે છે અને તે સંસારમાં માયારૂપી ઝેર જ કમાય છે.

ਮਾਇਆ ਮੋਹਿ ਸਦਾ ਦੁਖੁ ਪਾਏ ਬਿਨੁ ਗੁਰ ਅਤਿ ਪਿਆਰੇ ॥੨॥
ખૂબ પ્રેમાળ ગુરુ વગર તે માયાના મોહમાં ફસાઈને હંમેશા જ દુઃખ પ્રાપ્ત કરે છે ॥૨॥ 

ਸੋਈ ਸੇਵਕੁ ਜੇ ਸਤਿਗੁਰ ਸੇਵੇ ਚਾਲੈ ਸਤਿਗੁਰ ਭਾਏ ॥
તે જ સાચો સેવક છે, જે સદ્દગુરૂની સેવા કરે છે અને ગુરુની રજામાં ચાલે છે. 

ਸਾਚਾ ਸਬਦੁ ਸਿਫਤਿ ਹੈ ਸਾਚੀ ਸਾਚਾ ਮੰਨਿ ਵਸਾਏ ॥
પરમાત્માનું નામ સત્ય છે અને તેની કીર્તિ પણ સત્ય છે, તેથી આ તે સત્યને જ મનમાં વસાવે છે. 

ਸਚੀ ਬਾਣੀ ਗੁਰਮੁਖਿ ਆਖੈ ਹਉਮੈ ਵਿਚਹੁ ਜਾਏ ॥
ગુરુમુખ તો સાચી વાણી જ ઉચ્ચારિત કરે છે અને તેના અંતરમનમાંથી અહંકાર દૂર થઈ જાય છે. 

ਆਪੇ ਦਾਤਾ ਕਰਮੁ ਹੈ ਸਾਚਾ ਸਾਚਾ ਸਬਦੁ ਸੁਣਾਏ ॥੩॥
સદ્દગુરુ પોતે જ દાતા છે અને તેની કૃપા પણ સત્ય છે. તે હંમેશા સાચા શબ્દ જ સંભળાવે છે ॥૩॥ 

ਗੁਰਮੁਖਿ ਘਾਲੇ ਗੁਰਮੁਖਿ ਖਟੇ ਗੁਰਮੁਖਿ ਨਾਮੁ ਜਪਾਏ ॥
ગુરુમુખ નામની સાધના કરે છે, નામ ધન એકત્રિત કરે છે અને બીજાથી પણ પરમાત્માના નામનું જ જાપ કરાવે છે. 

ਸਦਾ ਅਲਿਪਤੁ ਸਾਚੈ ਰੰਗਿ ਰਾਤਾ ਗੁਰ ਕੈ ਸਹਜਿ ਸੁਭਾਏ ॥
તે હંમેશા માયાથી નિર્લિપ્ત રહીને સત્યના રંગમાં રંગાઈ રહે છે અને ગુરુના પ્રેમ દ્વારા સરળ સ્થિતિમાં લીન રહે છે. 

ਮਨਮੁਖੁ ਸਦ ਹੀ ਕੂੜੋ ਬੋਲੈ ਬਿਖੁ ਬੀਜੈ ਬਿਖੁ ਖਾਏ ॥
પરંતુ મનમુખી હંમેશા અસત્ય જ બોલે છે, માયારૂપી ઝેર વાવે છે અને તે ઝેરને જ ખાય છે. 

ਜਮਕਾਲਿ ਬਾਧਾ ਤ੍ਰਿਸਨਾ ਦਾਧਾ ਬਿਨੁ ਗੁਰ ਕਵਣੁ ਛਡਾਏ ॥੪॥
આ મૃત્યુના બંધનમાં ફસાઈને તૃષ્ણાની આગમાં જ સળગતો રહે છે. ગુરુ વગર તેને મૃત્યુથી કોણ છોડાવી શકે છે ॥૪॥ 

ਸਚਾ ਤੀਰਥੁ ਜਿਤੁ ਸਤ ਸਰਿ ਨਾਵਣੁ ਗੁਰਮੁਖਿ ਆਪਿ ਬੁਝਾਏ ॥
સદ્દગુરુ જ તીર્થ છે, જ્યાં સત્યનામરૂપી સરોવરમાં સ્નાન થાય છે પરંતુ ગુરુ પોતે જ આ સમજ દે છે.

ਅਠਸਠਿ ਤੀਰਥ ਗੁਰ ਸਬਦਿ ਦਿਖਾਏ ਤਿਤੁ ਨਾਤੈ ਮਲੁ ਜਾਏ ॥
ગુરુના શબ્દએ જ અડસઠ તીર્થ દેખાડી દીધા છે, જ્યાં સ્નાન કરવાથી અહંકારરૂપી ગંદકી દૂર થઈ જાય છે. 

ਸਚਾ ਸਬਦੁ ਸਚਾ ਹੈ ਨਿਰਮਲੁ ਨਾ ਮਲੁ ਲਗੈ ਨ ਲਾਏ ॥
શબ્દ-ગુરુ શાશ્વત છે અને તે નિર્મળ તીર્થ છે, જેને કોઈ ગંદકી લાગતી નથી અને ના તો માયા તેને ગંદકી લગાવે છે. 

ਸਚੀ ਸਿਫਤਿ ਸਚੀ ਸਾਲਾਹ ਪੂਰੇ ਗੁਰ ਤੇ ਪਾਏ ॥੫॥
સાચી મહિમા-સ્તુતિ સંપૂર્ણ ગુરૂથી જ પ્રાપ્ત થાય છે ॥૫॥

ਤਨੁ ਮਨੁ ਸਭੁ ਕਿਛੁ ਹਰਿ ਤਿਸੁ ਕੇਰਾ ਦੁਰਮਤਿ ਕਹਣੁ ਨ ਜਾਏ ॥
આ શરીર તેમજ મન બધું જ તે પરમાત્માનું આપેલું છે પરંતુ દુર્બુદ્ધિવાળા મનુષ્યથી આ કહી શકાતું નથી.

ਹੁਕਮੁ ਹੋਵੈ ਤਾ ਨਿਰਮਲੁ ਹੋਵੈ ਹਉਮੈ ਵਿਚਹੁ ਜਾਏ ॥
જયારે પ્રભુનો હુકમ હોય છે તો તેની બુદ્ધિ નિર્મળ થઈ જાય છે તેમજ તેના મનમાંથી અહંકાર દૂર થઈ જાય છે. 

ਗੁਰ ਕੀ ਸਾਖੀ ਸਹਜੇ ਚਾਖੀ ਤ੍ਰਿਸਨਾ ਅਗਨਿ ਬੁਝਾਏ ॥
જે મનુષ્યએ ગુરુની શિક્ષા સરળ જ ધારણ કરી છે, તેની તૃષ્ણાઅગ્નિ ઠરી ગઈ છે. 

ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਰਾਤਾ ਸਹਜੇ ਮਾਤਾ ਸਹਜੇ ਰਹਿਆ ਸਮਾਏ ॥੬॥
તે ગુરુના શબ્દ દ્વારા પ્રભુ-પ્રેમમાં મગ્ન થયેલા તે તેમાં સરળતાથી સમાઈ જાય છે.॥૬॥

error: Content is protected !!