GUJARATI PAGE 773

ਰਾਗੁ ਸੂਹੀ ਮਹਲਾ ੪ ਛੰਤ ਘਰੁ ੧
રાગ સુહી મહેલ છંદ ઘર ૧ 

ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥
એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે

ਸਤਿਗੁਰੁ ਪੁਰਖੁ ਮਿਲਾਇ ਅਵਗਣ ਵਿਕਣਾ ਗੁਣ ਰਵਾ ਬਲਿ ਰਾਮ ਜੀਉ ॥
હે રામ! હું તારા પર બલિહાર છું, મને મહાપુરુષ સદ્દગુરુથી મળાવી દે, તેથી હું પોતાના અવગુણોને સમાપ્ત કરીને તારું ગુણગાન કરતો રહું. 

ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਧਿਆਇ ਗੁਰਬਾਣੀ ਨਿਤ ਨਿਤ ਚਵਾ ਬਲਿ ਰਾਮ ਜੀਉ ॥
હું હરિ-નામનું ધ્યાન કરતો રહું અને દરરોજ ગુરુ વાણીનું જાપ કરતો રહું.

ਗੁਰਬਾਣੀ ਸਦ ਮੀਠੀ ਲਾਗੀ ਪਾਪ ਵਿਕਾਰ ਗਵਾਇਆ ॥
મને ગુરુ વાણી હંમેશા મીઠી લાગે છે, કારણ કે તેને મારા મનમાંથી પાપ-વિકાર નાશ કરી દીધા છે. 

ਹਉਮੈ ਰੋਗੁ ਗਇਆ ਭਉ ਭਾਗਾ ਸਹਜੇ ਸਹਜਿ ਮਿਲਾਇਆ ॥
મારો અહંકારનો રોગ દૂર થઈ ગયો છે, મારો મૃત્યુનો ભય પણ સમાપ્ત થઈ ગયો છે અને સરળ જ મને મળાવી દીધો છે. 

ਕਾਇਆ ਸੇਜ ਗੁਰ ਸਬਦਿ ਸੁਖਾਲੀ ਗਿਆਨ ਤਤਿ ਕਰਿ ਭੋਗੋ ॥
ગુરુના શબ્દ દ્વારા મારી શરીરરૂપી પથારી સુખદ થઈ ગઈ છે અને જ્ઞાન-તત્વને પોતાનું ભોજન બનાવી લીધું છે. 

ਅਨਦਿਨੁ ਸੁਖਿ ਮਾਣੇ ਨਿਤ ਰਲੀਆ ਨਾਨਕ ਧੁਰਿ ਸੰਜੋਗੋ ॥੧॥
હે નાનક! હું રાત-દિવસ સુખને અનુભવું છું, રોજે આનંદ કરું છું, કારણ કે આરંભથી જ આવો સંયોગ લખેલો હતો ॥૧॥

ਸਤੁ ਸੰਤੋਖੁ ਕਰਿ ਭਾਉ ਕੁੜਮੁ ਕੁੜਮਾਈ ਆਇਆ ਬਲਿ ਰਾਮ ਜੀਉ ॥
હે રામ! હું તારા પર બલિહાર છું, જીવરૂપી કન્યાએ સત્ય, સંતોષ તેમજ પ્રેમને પોતાનો શણગાર બનાવી લીધો છે અને ગુરુરૂપી સંબંધી સગાઈ કરવા આવી ગયા છે. 

ਸੰਤ ਜਨਾ ਕਰਿ ਮੇਲੁ ਗੁਰਬਾਣੀ ਗਾਵਾਈਆ ਬਲਿ ਰਾਮ ਜੀਉ ॥
સંતજનોનો મેળાપ કરીને ગુરુવાણીનું ગાયન કર્યું. 

ਬਾਣੀ ਗੁਰ ਗਾਈ ਪਰਮ ਗਤਿ ਪਾਈ ਪੰਚ ਮਿਲੇ ਸੋਹਾਇਆ ॥
જયારે ગુરુએ વાણીનું ગાયન કર્યું તો પરમગતિ મળી ગઈ. સંતરૂપી પંચ મળીને બેસી ગયા તો સગાઈનું કાર્ય સુંદર બની ગયું. 

ਗਇਆ ਕਰੋਧੁ ਮਮਤਾ ਤਨਿ ਨਾਠੀ ਪਾਖੰਡੁ ਭਰਮੁ ਗਵਾਇਆ ॥
તેના શરીરમાંથી ક્રોધ તેમજ મમતા ભાગી ગઈ છે અને પાખંડ તેમજ ભ્રમનો નાશ થઈ ગયો.

ਹਉਮੈ ਪੀਰ ਗਈ ਸੁਖੁ ਪਾਇਆ ਆਰੋਗਤ ਭਏ ਸਰੀਰਾ ॥
તેના મનમાંથી અહંકારની ઇજા નાશ થઈ ગઈ છે, સુખ પ્રાપ્ત થઈ ગયું છે અને શરીર આરોગ્ય થઈ ગયું છે. 

ਗੁਰ ਪਰਸਾਦੀ ਬ੍ਰਹਮੁ ਪਛਾਤਾ ਨਾਨਕ ਗੁਣੀ ਗਹੀਰਾ ॥੨॥
હે નાનક! ગુરુની કૃપાથી તેને બ્રહ્મને ઓળખી લીધો છે, જે ગુણોનો ગાઢ સમુદ્ર છે ॥૨॥ 

ਮਨਮੁਖਿ ਵਿਛੁੜੀ ਦੂਰਿ ਮਹਲੁ ਨ ਪਾਏ ਬਲਿ ਗਈ ਬਲਿ ਰਾਮ ਜੀਉ ॥
હું રામ પર બલિહાર છું. સ્વેચ્છાચારી જીવ-સ્ત્રી પતિ-પ્રભુથી અલગ થઈ ગઈ છે અને તેના ચરણોથી દૂર થઈને તેનો દરવાજો પ્રાપ્ત કરતી નથી પરંતુ તૃષ્ણાની આગમાં સળગી રહી છે. 

ਅੰਤਰਿ ਮਮਤਾ ਕੂਰਿ ਕੂੜੁ ਵਿਹਾਝੇ ਕੂੜਿ ਲਈ ਬਲਿ ਰਾਮ ਜੀਉ ॥
તેના મનમાં અસત્ય ભ્રમતા રહે છે અને તે અસત્ય માયાને ખરીદે છે. અસત્ય માયાએ તેને છેતરી લીધો છે.

ਕੂੜੁ ਕਪਟੁ ਕਮਾਵੈ ਮਹਾ ਦੁਖੁ ਪਾਵੈ ਵਿਣੁ ਸਤਿਗੁਰ ਮਗੁ ਨ ਪਾਇਆ ॥
તે અસત્ય તેમજ કપટ કમાઈને મહાદુઃખ પ્રાપ્ત કરે છે અને સદ્દગુરુ વગર તેને સન્માર્ગે મેળવ્યો નથી. 

ਉਝੜ ਪੰਥਿ ਭ੍ਰਮੈ ਗਾਵਾਰੀ ਖਿਨੁ ਖਿਨੁ ਧਕੇ ਖਾਇਆ ॥
તે મૂર્ખ ઉજ્જડ રસ્તામાં ભટકતી રહે છે અને ક્ષણ-ક્ષણ ઠોકરો ખાતી રહે છે. 

ਆਪੇ ਦਇਆ ਕਰੇ ਪ੍ਰਭੁ ਦਾਤਾ ਸਤਿਗੁਰੁ ਪੁਰਖੁ ਮਿਲਾਏ ॥
જયારે દાતા પ્રભુ પોતે જ દયા કરે છે તો તે મહાપુરુષ સદ્દગુરુથી તેને મળાવી દે છે. 

ਜਨਮ ਜਨਮ ਕੇ ਵਿਛੁੜੇ ਜਨ ਮੇਲੇ ਨਾਨਕ ਸਹਜਿ ਸੁਭਾਏ ॥੩॥
હે નાનક! સદ્દગુરુ જન્મ-જન્માન્તરથી અલગ થયેલા જીવોને સરળ-સ્વભાવ જ પ્રભુથી મળાવી દે છે ॥૩॥ 

ਆਇਆ ਲਗਨੁ ਗਣਾਇ ਹਿਰਦੈ ਧਨ ਓਮਾਹੀਆ ਬਲਿ ਰਾਮ ਜੀਉ ॥
હું રામ પર બલિહાર જાઉં છું. જ્યારે લગ્ન ગણવાથી લગ્નનો નિશ્ચિત સમય આવી ગયો તો જીવ-સ્ત્રીના હૃદયમાં ઈચ્છા ઉત્પન્ન થઈ ગઈ.

ਪੰਡਿਤ ਪਾਧੇ ਆਣਿ ਪਤੀ ਬਹਿ ਵਾਚਾਈਆ ਬਲਿ ਰਾਮ ਜੀਉ ॥
પંડિત, પુરોહિતે પત્રી લાવીને બેસીને ફેરા દેવાના સમયનો વિચાર કર્યો. 

ਪਤੀ ਵਾਚਾਈ ਮਨਿ ਵਜੀ ਵਧਾਈ ਜਬ ਸਾਜਨ ਸੁਣੇ ਘਰਿ ਆਏ ॥
જીવ-સ્ત્રીના મનમાં ખુશી ઉત્પન્ન થઈ ગઈ જ્યારે તેણે સાંભળ્યું કે તેનો સાજણ પ્રભુ તેના હૃદય-ઘરમાં આવી ગયો છે. 

ਗੁਣੀ ਗਿਆਨੀ ਬਹਿ ਮਤਾ ਪਕਾਇਆ ਫੇਰੇ ਤਤੁ ਦਿਵਾਏ ॥
ગુણવાન તેમજ જ્ઞાનીઓએ બેસીને સલાહ કરી લીધી અને તરત જ તેના ફેરા અપાવ્યા. 

ਵਰੁ ਪਾਇਆ ਪੁਰਖੁ ਅਗੰਮੁ ਅਗੋਚਰੁ ਸਦ ਨਵਤਨੁ ਬਾਲ ਸਖਾਈ ॥
જીવ-સ્ત્રીએ સર્વશક્તિમાન, અગમ્ય, અગોચર, હંમેશા નવીન તેમજ બાળમિત્ર પોતાના વરરુપી પરમાત્માને મેળવી લીધો છે.

ਨਾਨਕ ਕਿਰਪਾ ਕਰਿ ਕੈ ਮੇਲੇ ਵਿਛੁੜਿ ਕਦੇ ਨ ਜਾਈ ॥੪॥੧॥
હે નાનક! જે જીવાત્માને પ્રભુ પોતાની કૃપા કરીને પોતાની સાથે મળાવી લે છે, તે ક્યારેય પણ તેનાથી અલગ થઈ નથી ॥૪॥૧॥ 

ਸੂਹੀ ਮਹਲਾ ੪ ॥
સુહી મહેલ ૪॥

ਹਰਿ ਪਹਿਲੜੀ ਲਾਵ ਪਰਵਿਰਤੀ ਕਰਮ ਦ੍ਰਿੜਾਇਆ ਬਲਿ ਰਾਮ ਜੀਉ ॥
હે રામ! હું તારા પર બલિહાર જાઉં છું. જ્યારે હરિના લગ્નનો પહેલો ફેરો કરાવ્યો તો જીવ-સ્ત્રીને પ્રવૃત્તિ કર્મ અર્થાત ગૃહસ્થ રસ્તો દ્રઢ કરાવ્યો

ਬਾਣੀ ਬ੍ਰਹਮਾ ਵੇਦੁ ਧਰਮੁ ਦ੍ਰਿੜਹੁ ਪਾਪ ਤਜਾਇਆ ਬਲਿ ਰਾਮ ਜੀਉ ॥
ગુરુની વાણી જ બ્રહ્મા તેમજ તેની રચના વેદ છે, આથી આ જ જીવ માટે ધર્મ છે, જેને ધારણ કરવાથી પાપ મટી જાય છે. 

ਧਰਮੁ ਦ੍ਰਿੜਹੁ ਹਰਿ ਨਾਮੁ ਧਿਆਵਹੁ ਸਿਮ੍ਰਿਤਿ ਨਾਮੁ ਦ੍ਰਿੜਾਇਆ ॥
આ ધર્મનુ પાલન કર તેમજ હરિ નામનું ધ્યાન કર. સ્મૃતિઓએ પણ નામ સ્મરણ જ દ્રઢ કરાવ્યું છે. 

ਸਤਿਗੁਰੁ ਗੁਰੁ ਪੂਰਾ ਆਰਾਧਹੁ ਸਭਿ ਕਿਲਵਿਖ ਪਾਪ ਗਵਾਇਆ ॥
સંપૂર્ણ ગુરુની પ્રાર્થના કર, જેને બધા કરોડો પાપ નાશ કરી દીધા છે. 

ਸਹਜ ਅਨੰਦੁ ਹੋਆ ਵਡਭਾਗੀ ਮਨਿ ਹਰਿ ਹਰਿ ਮੀਠਾ ਲਾਇਆ ॥
જેના મનમાં હરિ-નામ મીઠું લાગે છે, તે ભાગ્યશાળીને સરળ જ આનંદ પ્રાપ્ત થઈ ગયો છે.

error: Content is protected !!