GUJARATI PAGE 840

ਆਈ ਪੂਤਾ ਇਹੁ ਜਗੁ ਸਾਰਾ ॥
આ આખું જગત જગતમાતાના પુત્ર સમાન છે. 

ਪ੍ਰਭ ਆਦੇਸੁ ਆਦਿ ਰਖਵਾਰਾ ॥
મારો તે પરમાત્માને શત-શત નમન છે, જે આરંભથી જ બધાનો રખેવાળ છે. 

ਆਦਿ ਜੁਗਾਦੀ ਹੈ ਭੀ ਹੋਗੁ ॥
તે યુગ-યુગાંતરોથી છે, વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ તેનું જ અસ્તિત્વ થશે. 

ਓਹੁ ਅਪਰੰਪਰੁ ਕਰਣੈ ਜੋਗੁ ॥੧੧॥
તે અપરંપાર છે અને બધું જ કરવામાં સમર્થ છે ॥૧૧॥ 

ਦਸਮੀ ਨਾਮੁ ਦਾਨੁ ਇਸਨਾਨੁ ॥
દસમી – નામ જપ, દાન કર શરીરની શુદ્ધતા માટે સ્નાન કર. 

ਅਨਦਿਨੁ ਮਜਨੁ ਸਚਾ ਗੁਣ ਗਿਆਨੁ ॥
સત્યના ગુણોનું જ્ઞાન પ્રાપ્ત કરવું રોજ સ્નાન કરવું છે. 

ਸਚਿ ਮੈਲੁ ਨ ਲਾਗੈ ਭ੍ਰਮੁ ਭਉ ਭਾਗੈ ॥ ਬਿਲਮੁ ਨ ਤੂਟਸਿ ਕਾਚੈ ਤਾਗੈ ॥
સત્ય-નામનું સ્મરણ કરવાથી મન વિકારોની ગંદકી લાગતી નથી અને ભ્રમ તેમજ ભય દૂર થઈ જાય છે. કાચા દોરાને તૂટતા કોઈ વાર લાગતી નથી. 

ਜਿਉ ਤਾਗਾ ਜਗੁ ਏਵੈ ਜਾਣਹੁ ॥
જગતને આમ જ જાણ જેમ કાચો દોરો છે. 

ਅਸਥਿਰੁ ਚੀਤੁ ਸਾਚਿ ਰੰਗੁ ਮਾਣਹੁ ॥੧੨॥
પોતાનું મન સ્થિર કરવા માટે રંગમાં લીન રહે ॥૧૨॥

ਏਕਾਦਸੀ ਇਕੁ ਰਿਦੈ ਵਸਾਵੈ ॥
એકાદશી – જે મનુષ્ય પરમાત્માને હૃદયમાં વસાવે છે, 

ਹਿੰਸਾ ਮਮਤਾ ਮੋਹੁ ਚੁਕਾਵੈ ॥
પોતાના મનથી હિંસા, મમતા તેમજ મોહને દૂર કરી દે છે, 

ਫਲੁ ਪਾਵੈ ਬ੍ਰਤੁ ਆਤਮ ਚੀਨੈ ॥
તેને આ વ્રતનું આ જ ફળ મળે છે કે તે પોતાની અંતરાત્માને ઓળખી લે છે. 

ਪਾਖੰਡਿ ਰਾਚਿ ਤਤੁ ਨਹੀ ਬੀਨੈ ॥
પાખંડમાં લીન થઈને મનુષ્ય પરમતત્વને જોઈ શકતો નથી. 

ਨਿਰਮਲੁ ਨਿਰਾਹਾਰੁ ਨਿਹਕੇਵਲੁ ॥
એક તે જ નિર્મળ, નિરાહાર તેમજ વાસના રહિત છે અને 

ਸੂਚੈ ਸਾਚੇ ਨਾ ਲਾਗੈ ਮਲੁ ॥੧੩॥
તે શુદ્ધ તેમજ સત્યસ્વરૂપને વિકારોની કોઈ ગંદકી લાગતી નથી ॥૧૩॥ 

ਜਹ ਦੇਖਉ ਤਹ ਏਕੋ ਏਕਾ ॥
હું જ્યાં પણ જોવ છું, એક પરમાત્મા જ હાજર છે. 

ਹੋਰਿ ਜੀਅ ਉਪਾਏ ਵੇਕੋ ਵੇਕਾ ॥
તેને અલગ-અલગ પ્રકારના અનેક જીવ ઉત્પન્ન કરેલ છે.

ਫਲੋਹਾਰ ਕੀਏ ਫਲੁ ਜਾਇ ॥
ફળોનો આહાર કરવાથી મનુષ્યને કોઈ ફળ મળતું નથી. 

ਰਸ ਕਸ ਖਾਏ ਸਾਦੁ ਗਵਾਇ ॥
તે અનેક સ્વાદોને ગ્રહણ કરે છે, જે તેના વ્રતનો સ્વાદ ગુમાવી દે છે. 

ਕੂੜੈ ਲਾਲਚਿ ਲਪਟੈ ਲਪਟਾਇ ॥
તે અસત્ય લાલચમાં જ ફસાઈ રહે છે.

ਛੂਟੈ ਗੁਰਮੁਖਿ ਸਾਚੁ ਕਮਾਇ ॥੧੪॥
પરંતુ તે ત્યારે જ છૂટે છે, જ્યારે ગુરુના માધ્યમથી સત્યની સાધના કરે છે ॥૧૪॥ 

ਦੁਆਦਸਿ ਮੁਦ੍ਰਾ ਮਨੁ ਅਉਧੂਤਾ ॥
બારશ – અવધૂત તે જ છે, જેનું મન વ્યર્થની બાર મુદ્દાઓથી પૃથક થઈ ગયું છે. 

ਅਹਿਨਿਸਿ ਜਾਗਹਿ ਕਬਹਿ ਨ ਸੂਤਾ ॥
તે દિવસ-રાત જાગતો રહે છે અને મોહ-માયાની ઊંઘમાં સૂતો નથી તથા 

ਜਾਗਤੁ ਜਾਗਿ ਰਹੈ ਲਿਵ ਲਾਇ ॥ ਗੁਰ ਪਰਚੈ ਤਿਸੁ ਕਾਲੁ ਨ ਖਾਇ ॥
પરમાત્મામાં જ ધ્યાન લગાવીને રાખે છે. જે ગુરુ પર શ્રદ્ધા રાખે છે, તેને કાળ પણ ખાતો નથી. 

ਅਤੀਤ ਭਏ ਮਾਰੇ ਬੈਰਾਈ ॥
જેને કામાદિક વિકારોને સમાપ્ત કરી લીધા છે, તે ત્યાગી છે.

ਪ੍ਰਣਵਤਿ ਨਾਨਕ ਤਹ ਲਿਵ ਲਾਈ ॥੧੫॥
નાનક વિનંતી કરે છે કે તેને જ પરમાત્મામાં વૃત્તિ લગાવી છે ॥૧૫॥ 

ਦੁਆਦਸੀ ਦਇਆ ਦਾਨੁ ਕਰਿ ਜਾਣੈ ॥
બારસ – જીવો પર દયા તેમજ દાન કરવું જોઈએ. 

ਬਾਹਰਿ ਜਾਤੋ ਭੀਤਰਿ ਆਣੈ ॥
ભટકતા મનને નિયંત્રણમાં કરવું જોઈએ.

ਬਰਤੀ ਬਰਤ ਰਹੈ ਨਿਹਕਾਮ ॥
જે નિષ્કામ રહે છે, તે વ્રત રાખનારનું જ સાચું વ્રત છે. 

ਅਜਪਾ ਜਾਪੁ ਜਪੈ ਮੁਖਿ ਨਾਮ ॥
પોતાના મુખથી નામનો અજપા જાપ જપતું રહેવું જોઈએ.

ਤੀਨਿ ਭਵਣ ਮਹਿ ਏਕੋ ਜਾਣੈ ॥
ત્રણેય લોકમાં એક પરમાત્માને જ જાણ. 

ਸਭਿ ਸੁਚਿ ਸੰਜਮ ਸਾਚੁ ਪਛਾਣੈ ॥੧੬॥
જે સત્યને ઓળખી લે છે, તે જ શુદ્ધિકરણ તેમજ સંયમના બધા પ્રયત્ન કરી રહ્યો છે ॥૧૬॥ 

ਤੇਰਸਿ ਤਰਵਰ ਸਮੁਦ ਕਨਾਰੈ ॥
તેરસ – મનુષ્ય જીવન સમુદ્રના કિનારે ઉભા વૃક્ષ જેવું છે. જેમ સમુદ્રની લહેરો તેને કોઈ પણ સમયે ઉખાડી શકે છે, તેમ જ મૃત્યુ કોઈ પણ સમય સમાપ્ત કરી શકે છે. 

ਅੰਮ੍ਰਿਤੁ ਮੂਲੁ ਸਿਖਰਿ ਲਿਵ ਤਾਰੈ ॥
શરીરનો મૂળ ભાવ જડ મન છે અને તેનું શિખર દસમા દરવાજે છે. પરમાત્માનું નામ અમૃત છે. શરીરનું મૂળ મન અમૃત નામ દ્વારા જીવને પાર કરાવી દે છે.

ਡਰ ਡਰਿ ਮਰੈ ਨ ਬੂਡੈ ਕੋਇ ॥
જો કોઈ પ્રભુ-ડરથી ડરીને મરે છે, તે સંસાર સમુદ્રમાં ડૂબતો નથી. 

ਨਿਡਰੁ ਬੂਡਿ ਮਰੈ ਪਤਿ ਖੋਇ ॥
જે પરમાત્માથી ડરતો નથી, તે સંસાર સમુદ્રમાં ડૂબીને પોતાની પ્રતિષ્ઠા ગુમાવી દે છે.

ਡਰ ਮਹਿ ਘਰੁ ਘਰ ਮਹਿ ਡਰੁ ਜਾਣੈ ॥
જે પ્રભુ-ડરમાં રહેવાને પોતાનું ઘર સમજે છે, તે હૃદય-ઘરમાં પ્રભુનો ડર માને છે. 

ਤਖਤਿ ਨਿਵਾਸੁ ਸਚੁ ਮਨਿ ਭਾਣੈ ॥੧੭॥
તે પ્રભુના ચરણોમાં નિવાસ મેળવી લે છે અને તેને સત્ય જ ગમે છે ॥૧૭॥ 

ਚਉਦਸਿ ਚਉਥੇ ਥਾਵਹਿ ਲਹਿ ਪਾਵੈ ॥
ચૌદશ – જ્યારે મનુષ્ય તુરીયા સ્થિતિ પ્રાપ્ત કરી લે છે તો 

ਰਾਜਸ ਤਾਮਸ ਸਤ ਕਾਲ ਸਮਾਵੈ ॥
રજો, તમો તેમજ સતોગુણ કાળમાં જ સમાઈ જાય છે અને

ਸਸੀਅਰ ਕੈ ਘਰਿ ਸੂਰੁ ਸਮਾਵੈ ॥
ચંદ્રના ઘરમાં સૂર્ય સમાઈ જાય છે. 

ਜੋਗ ਜੁਗਤਿ ਕੀ ਕੀਮਤਿ ਪਾਵੈ ॥
તે મનુષ્ય યોગ-ભક્તિનું મૂલ્ય મેળવી લે છે. 

ਚਉਦਸਿ ਭਵਨ ਪਾਤਾਲ ਸਮਾਏ ॥ ਖੰਡ ਬ੍ਰਹਮੰਡ ਰਹਿਆ ਲਿਵ ਲਾਏ ॥੧੮॥
જે પરમાત્મા ચૌદ લોક, પાતળો, ખંડો-બ્રહ્માંડોમાં સમાયેલ છે આવો મનુષ્ય તે પરમાત્મામાં લગન લગાવીને રાખે છે ॥૧૮॥ 

ਅਮਾਵਸਿਆ ਚੰਦੁ ਗੁਪਤੁ ਗੈਣਾਰਿ ॥
અમાસ-અમાસની રાતે ચંદ્ર આકાશમાં લુપ્ત રહે છે.

ਬੂਝਹੁ ਗਿਆਨੀ ਸਬਦੁ ਬੀਚਾਰਿ ॥
હે જ્ઞાની! આ સત્યને શબ્દના ચિંતન દ્વારા સમજ. 

ਸਸੀਅਰੁ ਗਗਨਿ ਜੋਤਿ ਤਿਹੁ ਲੋਈ ॥
જેમ ચાંદ આકાશમાં હોય છે પરંતુ તેનો આલોક ત્રણેય લોકમાં થાય છે. 

ਕਰਿ ਕਰਿ ਵੇਖੈ ਕਰਤਾ ਸੋਈ ॥
તેમ જ પરમાત્માનો પ્રકાશ બધામાં સમાયેલ છે તે રચયિતા સૃષ્ટિ-રચના કરી કરીને તેની સંભાળ કરતો રહે છે. 

ਗੁਰ ਤੇ ਦੀਸੈ ਸੋ ਤਿਸ ਹੀ ਮਾਹਿ ॥
જે ગુરુ દ્વારા આને સમજે છે તે તેમાં સમાઈ જાય છે 

ਮਨਮੁਖਿ ਭੂਲੇ ਆਵਹਿ ਜਾਹਿ ॥੧੯॥
પરંતુ સ્વેચ્છાચારી જીવ ભ્રમમાં ફસાઈને જન્મતો-મરતો રહે છે ॥૧૯॥ 

ਘਰੁ ਦਰੁ ਥਾਪਿ ਥਿਰੁ ਥਾਨਿ ਸੁਹਾਵੈ ॥
જે મનુષ્ય પ્રભુ ચરણોમાં સ્થિર નિવાસ બનાવી લે છે, 

ਆਪੁ ਪਛਾਣੈ ਜਾ ਸਤਿਗੁਰੁ ਪਾਵੈ ॥
તે આત્મસ્વરૂપને ઓળખીને સદ્દગુરુને મેળવી લે છે.

ਜਹ ਆਸਾ ਤਹ ਬਿਨਸਿ ਬਿਨਾਸਾ ॥
જેની બધી ઇચ્છાઓ મટી જાય છે, 

ਫੂਟੈ ਖਪਰੁ ਦੁਬਿਧਾ ਮਨਸਾ ॥
તેના મનની મુશ્કેલી તેમજ લાલચવાળું હૃદયરૂપી વાસણ પણ ફૂટી જાય છે. 

ਮਮਤਾ ਜਾਲ ਤੇ ਰਹੈ ਉਦਾਸਾ ॥
તેનું મન મમતા જાળથી દૂર રહે છે.

ਪ੍ਰਣਵਤਿ ਨਾਨਕ ਹਮ ਤਾ ਕੇ ਦਾਸਾ ॥੨੦॥੧॥
નાનક પ્રાર્થના કરે છે કે અમે તે જીવના દાસ છીએ ॥૨૦॥૧॥

error: Content is protected !!