GUJARATI PAGE 1041

ਸਚ ਬਿਨੁ ਭਵਜਲੁ ਜਾਇ ਨ ਤਰਿਆ ॥
સત્ય વગર જગત-સમુદ્રથી પાર થઈ શકાતું નથી, 

ਏਹੁ ਸਮੁੰਦੁ ਅਥਾਹੁ ਮਹਾ ਬਿਖੁ ਭਰਿਆ ॥
આ ઊંડો સમુદ્ર છે, જે મહા ઝેરથી ભરેલ છે. 

ਰਹੈ ਅਤੀਤੁ ਗੁਰਮਤਿ ਲੇ ਊਪਰਿ ਹਰਿ ਨਿਰਭਉ ਕੈ ਘਰਿ ਪਾਇਆ ॥੬॥
જે ગુરુની શિક્ષા લઈને વાસનાઓથી અલુપ્ત રહે છે, તે નિર્ભય પ્રભુના ઘરમાં સ્થાન મેળવી લે છે ॥૬॥ 

ਝੂਠੀ ਜਗ ਹਿਤ ਕੀ ਚਤੁਰਾਈ ॥
દુનિયાના મોહ ની ચતુરાઈ અસત્ય છે, 

ਬਿਲਮ ਨ ਲਾਗੈ ਆਵੈ ਜਾਈ ॥
આનાથી જન્મ-મરણમાં કોઈ વાર લાગતી નથી.

ਨਾਮੁ ਵਿਸਾਰਿ ਚਲਹਿ ਅਭਿਮਾਨੀ ਉਪਜੈ ਬਿਨਸਿ ਖਪਾਇਆ ॥੭॥
અભિમાની મનુષ્ય નામ ભૂલીને જગતથી ચાલ્યો જાય છે, જેના કારણે જન્મ-મરણના ચક્રમાં દુઃખી થાય છે ॥૭॥ 

ਉਪਜਹਿ ਬਿਨਸਹਿ ਬੰਧਨ ਬੰਧੇ ॥
તે જન્મે-મરે છે અને બંધનોમાં જ ફસાઈ રહે છે.

ਹਉਮੈ ਮਾਇਆ ਕੇ ਗਲਿ ਫੰਧੇ ॥
તેના ગળામાં અહં અને મોહ-માયાની ફાંસી પડેલી રહે છે. 

ਜਿਸੁ ਰਾਮ ਨਾਮੁ ਨਾਹੀ ਮਤਿ ਗੁਰਮਤਿ ਸੋ ਜਮ ਪੁਰਿ ਬੰਧਿ ਚਲਾਇਆ ॥੮॥
જેને ગુરુ મત પ્રમાણે રામ નામને વસાવ્યું નથી, તેને બાંધીને યમપુરીમાં મોકલવાયો છે  ॥૮॥

ਗੁਰ ਬਿਨੁ ਮੋਖ ਮੁਕਤਿ ਕਿਉ ਪਾਈਐ ॥
ગુરુ વગર મોક્ષ કઈ રીતે પ્રાપ્ત થઈ શકે છે અને 

ਬਿਨੁ ਗੁਰ ਰਾਮ ਨਾਮੁ ਕਿਉ ਧਿਆਈਐ ॥
ગુરુ વગર રામ નામનું મનન કેવી રીતે કરી શકાય છે. 

ਗੁਰਮਤਿ ਲੇਹੁ ਤਰਹੁ ਭਵ ਦੁਤਰੁ ਮੁਕਤਿ ਭਏ ਸੁਖੁ ਪਾਇਆ ॥੯॥
હે ભાઈ! ગુરુમતને ગ્રહણ કરીને ખરાબ સંસાર સમુદ્રથી પાર થઈ જા, જે મુક્તિ પ્રાપ્ત કરી ગયો છે, તેને સુખ મેળવી લીધું છે ॥૯॥ 

ਗੁਰਮਤਿ ਕ੍ਰਿਸਨਿ ਗੋਵਰਧਨ ਧਾਰੇ ॥
ગુરુ-મત પ્રમાણે શ્રીકૃષ્ણએ ગોવર્ધન પર્વતને આંગળી પર ધારણ કરી લીધો હતો અને 

ਗੁਰਮਤਿ ਸਾਇਰਿ ਪਾਹਣ ਤਾਰੇ ॥
શ્રીરામે સમુદ્ર પર પથ્થર તરાવી દીધા હતા. 

ਗੁਰਮਤਿ ਲੇਹੁ ਪਰਮ ਪਦੁ ਪਾਈਐ ਨਾਨਕ ਗੁਰਿ ਭਰਮੁ ਚੁਕਾਇਆ ॥੧੦॥
હે નાનક! ગુરુનો મત ગ્રહણ કરવાથી પરમ પદ પ્રાપ્ત થાય છે. ગુરુ જ ભ્રમ મટાડનાર છે ॥૧૦॥ 

ਗੁਰਮਤਿ ਲੇਹੁ ਤਰਹੁ ਸਚੁ ਤਾਰੀ ॥ 
ગુરુની શિક્ષા પ્રાપ્ત કર અને સત્ય દ્વારા સંસાર સમુદ્રથી પાર થઈ જા. 

ਆਤਮ ਚੀਨਹੁ ਰਿਦੈ ਮੁਰਾਰੀ ॥
આત્મા તેમજ હૃદયમાં પ્રભુને ઓળખી લે. 

ਜਮ ਕੇ ਫਾਹੇ ਕਾਟਹਿ ਹਰਿ ਜਪਿ ਅਕੁਲ ਨਿਰੰਜਨੁ ਪਾਇਆ ॥੧੧॥
પરમાત્માનું જાપ કરવાથી યમની ફાંસી કપાઈ જાય છે અને માયાતીતની પ્રાપ્તિ થઈ જાય છે ॥૧૧॥ 

ਗੁਰਮਤਿ ਪੰਚ ਸਖੇ ਗੁਰ ਭਾਈ ॥
ગુરુમત દ્વારા જ સંત-મિત્ર તેમજ ગુરુભાઈનો પરસ્પર સંબંધ હોય છે.

ਗੁਰਮਤਿ ਅਗਨਿ ਨਿਵਾਰਿ ਸਮਾਈ ॥
ગુરુની બુદ્ધિ તૃષ્ણાગ્નિને નિવૃત્ત કરી દે છે. 

ਮਨਿ ਮੁਖਿ ਨਾਮੁ ਜਪਹੁ ਜਗਜੀਵਨ ਰਿਦ ਅੰਤਰਿ ਅਲਖੁ ਲਖਾਇਆ ॥੧੨॥
પોતાના મન તેમજ મુખથી જીવનદાતા પ્રભુનું નામ જપ; આ રીતે હૃદયમાં જ અદ્રશ્ય પ્રભુના દર્શન થઈ જાય છે ॥૧૨॥

ਗੁਰਮੁਖਿ ਬੂਝੈ ਸਬਦਿ ਪਤੀਜੈ ॥
ગુરુમુખ આ સત્યને સમજી લે છે અને નામ દ્વારા સંતુષ્ટ થઈ જાય છે, 

ਉਸਤਤਿ ਨਿੰਦਾ ਕਿਸ ਕੀ ਕੀਜੈ ॥
પછી કોના વખાણ તેમજ નિંદા કરાય.

ਚੀਨਹੁ ਆਪੁ ਜਪਹੁ ਜਗਦੀਸਰੁ ਹਰਿ ਜਗੰਨਾਥੁ ਮਨਿ ਭਾਇਆ ॥੧੩॥
પોતાની જાત ઓળખ, જગદીશ્વરનું નામ જપ, સંસારનો સ્વામી હરિ જ મનને ગમ્યો છે ॥૧૩॥ 

ਜੋ ਬ੍ਰਹਮੰਡਿ ਖੰਡਿ ਸੋ ਜਾਣਹੁ ॥
જે ખણ્ડ-બ્રહ્માંડમાં સમાયેલ છે, તેને જાણ.

ਗੁਰਮੁਖਿ ਬੂਝਹੁ ਸਬਦਿ ਪਛਾਣਹੁ ॥
ગુરુની હાજરીમાં સત્ય સમજો, શબ્દને ઓળખો 

ਘਟਿ ਘਟਿ ਭੋਗੇ ਭੋਗਣਹਾਰਾ ਰਹੈ ਅਤੀਤੁ ਸਬਾਇਆ ॥੧੪॥
તે ભોગનાર પ્રભુ દરેક શરીરમાં વ્યાપ્ત થઈને બધા પદાર્થ ભોગવી રહ્યો છે, પરંતુ તો પણ બધાથી અલુપ્ત રહે છે ॥૧૪॥ 

ਗੁਰਮਤਿ ਬੋਲਹੁ ਹਰਿ ਜਸੁ ਸੂਚਾ ॥
ગુરુ-મત પ્રમાણે પવિત્ર હરિ-યશ બોલ, 

ਗੁਰਮਤਿ ਆਖੀ ਦੇਖਹੁ ਊਚਾ ॥
ગુરુ-મત પ્રમાણે આંખોથી પ્રભુને જો. 

ਸ੍ਰਵਣੀ ਨਾਮੁ ਸੁਣੈ ਹਰਿ ਬਾਣੀ ਨਾਨਕ ਹਰਿ ਰੰਗਿ ਰੰਗਾਇਆ ॥੧੫॥੩॥੨੦॥
હે નાનક! જે કાનોથી હરિ-નામ તેમજ વાણી સંભળાવે છે, તે તેના પ્રેમ-રંગમાં જ રંગાઈ ગયો છે ॥૧૫॥૩॥૨૦॥ 

ਮਾਰੂ ਮਹਲਾ ੧ ॥
મારુ મહેલ ૧॥

ਕਾਮੁ ਕ੍ਰੋਧੁ ਪਰਹਰੁ ਪਰ ਨਿੰਦਾ ॥
હે મનુષ્ય જીવો! કામ, ક્રોધ તેમજ પારકી નિંદાને છોડી દે; 

ਲਬੁ ਲੋਭੁ ਤਜਿ ਹੋਹੁ ਨਿਚਿੰਦਾ ॥
લાલચ, લોભને ત્યાગીને નિશ્ચિત થઈ જા. 

ਭ੍ਰਮ ਕਾ ਸੰਗਲੁ ਤੋੜਿ ਨਿਰਾਲਾ ਹਰਿ ਅੰਤਰਿ ਹਰਿ ਰਸੁ ਪਾਇਆ ॥੧॥
જે ભ્રમની સાંકળ તોડીને નિર્લિપ્ત થઈ ગયો છે, તેના અંતર્મનમાં જ હરિ-રસ મેળવી લીધો છે ॥૧॥ 

ਨਿਸਿ ਦਾਮਨਿ ਜਿਉ ਚਮਕਿ ਚੰਦਾਇਣੁ ਦੇਖੈ ॥ 
જેમ કોઈ વ્યક્તિ રાત્રે વીજળીના ચમકારા જેવો પ્રકાશ જુએ છે,

ਅਹਿਨਿਸਿ ਜੋਤਿ ਨਿਰੰਤਰਿ ਪੇਖੈ ॥
તેમ જ હું દરરોજ પ્રભુ-પ્રકાશને નિરંતર જોવ છું.

ਆਨੰਦ ਰੂਪੁ ਅਨੂਪੁ ਸਰੂਪਾ ਗੁਰਿ ਪੂਰੈ ਦੇਖਾਇਆ ॥੨॥
સંપૂર્ણ ગુરુએ આનંદ-સ્વરૂપ તેમજ અનુપમ સ્વરૂપ પ્રભુના દર્શન કરાવ્યાં છે ॥૨॥ 

ਸਤਿਗੁਰ ਮਿਲਹੁ ਆਪੇ ਪ੍ਰਭੁ ਤਾਰੇ ॥
સદ્દગુરુથી સાક્ષાત્કાર થવા પર પ્રભુ પોતે જ જગત-સાગરથી પાર ઉતારી દે છે.

ਸਸਿ ਘਰਿ ਸੂਰੁ ਦੀਪਕੁ ਗੈਣਾਰੇ ॥
હૃદયરૂપી ઘરમાં એમ અજવાળું થઈ જાય છે, જેમ આકાશમાં દીવારૂપી સૂર્યોદય થાય છે.

ਦੇਖਿ ਅਦਿਸਟੁ ਰਹਹੁ ਲਿਵ ਲਾਗੀ ਸਭੁ ਤ੍ਰਿਭਵਣਿ ਬ੍ਰਹਮੁ ਸਬਾਇਆ ॥੩॥
તે અદ્રશ્ય પ્રભુને બધે જોઈને તેમાં લગન લગાવ, ત્રણેય લોકમાં બ્રહ્મનો જ ફેલાવ છે ॥૩॥ 

ਅੰਮ੍ਰਿਤ ਰਸੁ ਪਾਏ ਤ੍ਰਿਸਨਾ ਭਉ ਜਾਏ ॥
હરિ-નામરૂપી અમૃત-રસને મેળવવાથી તૃષ્ણા તેમજ ભયનું નિવારણ થઈ જાય છે.

ਅਨਭਉ ਪਦੁ ਪਾਵੈ ਆਪੁ ਗਵਾਏ ॥
જે અહંને મટાડી દે છે, તેને મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે. 

ਊਚੀ ਪਦਵੀ ਊਚੋ ਊਚਾ ਨਿਰਮਲ ਸਬਦੁ ਕਮਾਇਆ ॥੪॥
જેને નિર્મળ શબ્દની સાધના કરી છે, તેને સર્વોચ્ચ પદ મેળવી લીધું છે અને તે સર્વશ્રેષ્ઠ બની ગયો છે ॥૪॥

ਅਦ੍ਰਿਸਟ ਅਗੋਚਰੁ ਨਾਮੁ ਅਪਾਰਾ ॥
પ્રભુનું નામ અદ્રશ્ય તેમજ ઈન્દ્રિયાતીત છે અને

error: Content is protected !!