GUJARATI PAGE 813

ਦੀਨ ਦਇਆਲ ਕ੍ਰਿਪਾ ਨਿਧੇ ਸਾਸਿ ਸਾਸਿ ਸਮ੍ਹ੍ਹਾਰੈ ॥੨॥
ભક્તજન તે દીનદયાળુ તેમજ કૃપાનિધિને શ્વાસ-શ્વાસથી સ્મરણ કરતો રહે છે ॥૨॥ 

ਕਰਣਹਾਰੁ ਜੋ ਕਰਿ ਰਹਿਆ ਸਾਈ ਵਡਿਆਈ ॥
બધું કરનાર પરમાત્મા જે કંઈ કરી રહ્યો છે, આ જ તેની ઉદારતા છે.

ਗੁਰਿ ਪੂਰੈ ਉਪਦੇਸਿਆ ਸੁਖੁ ਖਸਮ ਰਜਾਈ ॥੩॥
સંપૂર્ણ ગુરુએ આ જ ઉપદેશ આપ્યો છે કે માલિકની ઈચ્છા પ્રમાણે રહેવાથી જ પરમ સુખ પ્રાપ્ત થાય છે ॥૩॥ 

ਚਿੰਤ ਅੰਦੇਸਾ ਗਣਤ ਤਜਿ ਜਨਿ ਹੁਕਮੁ ਪਛਾਤਾ ॥
દાસે ચિંતા, શંકા તેમજ વૃતિઓને ત્યાગીને તેના હુકમને ઓળખી લીધો છે. 

ਨਹ ਬਿਨਸੈ ਨਹ ਛੋਡਿ ਜਾਇ ਨਾਨਕ ਰੰਗਿ ਰਾਤਾ ॥੪॥੧੮॥੪੮॥
હે નાનક! દાસ તો પ્રભુના રંગમાં લીન રહે છે, જે ન ક્યારેય નાશ પામે છે અને ન તો તેને છોડીને જાય છે ॥૪॥૧૮॥૪૮॥

ਬਿਲਾਵਲੁ ਮਹਲਾ ੫ ॥
બિલાવલ મહેલ ૫॥ 

ਮਹਾ ਤਪਤਿ ਤੇ ਭਈ ਸਾਂਤਿ ਪਰਸਤ ਪਾਪ ਨਾਠੇ ॥
સંતોના ચરણ સ્પર્શ કરવાથી બધા પાપ ભાગી ગયા છે અને તૃષ્ણારૂપી જલનથી મનને શાંતિ મળી ગઈ છે. 

ਅੰਧ ਕੂਪ ਮਹਿ ਗਲਤ ਥੇ ਕਾਢੇ ਦੇ ਹਾਥੇ ॥੧॥
અમે જગતરૂપી અંધકુપમાં લીન હતા પરંતુ સંતોએ હાથ આપીને અમને કાઢી લીધા છે ॥૧॥ 

ਓਇ ਹਮਾਰੇ ਸਾਜਨਾ ਹਮ ਉਨ ਕੀ ਰੇਨ ॥
તે જ અમારા સાજન છે અને અમે તેની ચરણ ધૂળ છીએ.

ਜਿਨ ਭੇਟਤ ਹੋਵਤ ਸੁਖੀ ਜੀਅ ਦਾਨੁ ਦੇਨ ॥੧॥ ਰਹਾਉ ॥
જેને મળવાથી હું સુખી થાવ છું, તેણે મને જીવનદાન આપ્યું છે ॥૧॥વિરામ॥ 

ਪਰਾ ਪੂਰਬਲਾ ਲੀਖਿਆ ਮਿਲਿਆ ਅਬ ਆਇ ॥
સંપૂર્ણ જન્મનાં કર્મોને કારણે જે ભાગ્યમાં લખેલું હતું, તે હવે મને મળી ગયું છે. 

ਬਸਤ ਸੰਗਿ ਹਰਿ ਸਾਧ ਕੈ ਪੂਰਨ ਆਸਾਇ ॥੨॥
સંતોની સંગતિમાં રહેવાથી મારી કામનાઓ પૂર્ણ થઈ ગઈ છે ॥૨॥ 

ਭੈ ਬਿਨਸੇ ਤਿਹੁ ਲੋਕ ਕੇ ਪਾਏ ਸੁਖ ਥਾਨ ॥
મારા ત્રણેય લોકના ભય નાશ થઈ ગયા છે અને સુખનું સ્થાન મળી ગયું છે.

ਦਇਆ ਕਰੀ ਸਮਰਥ ਗੁਰਿ ਬਸਿਆ ਮਨਿ ਨਾਮ ॥੩॥
સમર્થ ગુરુએ દયા કરી છે, જેનાથી મારા મનમાં નામ સ્થિત થઈ ગયું છે ॥૩॥ 

ਨਾਨਕ ਕੀ ਤੂ ਟੇਕ ਪ੍ਰਭ ਤੇਰਾ ਆਧਾਰ ॥
હે પ્રભુ! નાનક કહે છે કે તું જ મારો  સહારો છે અને મને તારો જ સહારો છે. 

ਕਰਣ ਕਾਰਣ ਸਮਰਥ ਪ੍ਰਭ ਹਰਿ ਅਗਮ ਅਪਾਰ ॥੪॥੧੯॥੪੯॥
અગમ્ય અપાર પ્રભુ જ કરવા-કરવામાં સમર્થ છે ॥૪॥૧૯॥૪૯॥ 

ਬਿਲਾਵਲੁ ਮਹਲਾ ੫ ॥
બિલાવલ મહેલ ૫॥ 

ਸੋਈ ਮਲੀਨੁ ਦੀਨੁ ਹੀਨੁ ਜਿਸੁ ਪ੍ਰਭੁ ਬਿਸਰਾਨਾ ॥
જેને પ્રભુને ભુલાવી દીધો છે, તે જ મલિન, ગરીબ અને નીચ છે. 

ਕਰਨੈਹਾਰੁ ਨ ਬੂਝਈ ਆਪੁ ਗਨੈ ਬਿਗਾਨਾ ॥੧॥
આ સર્જનહારને સમજતો નથી, નાસમજ પોતાને ખુબ સમજે છે ॥૧॥ 

ਦੂਖੁ ਤਦੇ ਜਦਿ ਵੀਸਰੈ ਸੁਖੁ ਪ੍ਰਭ ਚਿਤਿ ਆਏ ॥
જીવનમાં મનુષ્ય ત્યારે દુઃખી થાય છે, જયારે તે તેને ભુલાવી દે છે. પરંતુ પ્રભુને યાદ કરવાથી તે સુખી થઈ જાય છે. 

ਸੰਤਨ ਕੈ ਆਨੰਦੁ ਏਹੁ ਨਿਤ ਹਰਿ ਗੁਣ ਗਾਏ ॥੧॥ ਰਹਾਉ ॥
સંતોના મનમાં હંમેશા આનંદ બની રહે છે, કારણ કે આ રોજ પરમાત્માનું ગુણગાન કરતો રહે છે ॥૧॥વિરામ॥ 

ਊਚੇ ਤੇ ਨੀਚਾ ਕਰੈ ਨੀਚ ਖਿਨ ਮਹਿ ਥਾਪੈ ॥
પ્રભુ કોઈને ઊંચા રાજાથી નિમ્ન ભિખારી બનાવી દે છે, જો તેની મરજી હોય તો તે ક્ષણમાં જ નિમ્ન રંકને ઊંચા રાજા સ્થાપિત કરીદે છે.

ਕੀਮਤਿ ਕਹੀ ਨ ਜਾਈਐ ਠਾਕੁਰ ਪਰਤਾਪੈ ॥੨॥
ઠાકોરના પ્રતાપનું મૂલ્યાંકન કરી શકાતું નથી ॥૨॥ 

ਪੇਖਤ ਲੀਲਾ ਰੰਗ ਰੂਪ ਚਲਨੈ ਦਿਨੁ ਆਇਆ ॥
રમત-તમાશો તેમજ રંગ-રૂપ જોતાં જ જીવનો દુનિયાથી વિદાય થવાનો દિવસ આવી ગયો છે. 

ਸੁਪਨੇ ਕਾ ਸੁਪਨਾ ਭਇਆ ਸੰਗਿ ਚਲਿਆ ਕਮਾਇਆ ॥੩॥
આ જીવન એક સપનું છે અને આ સપનું જ બની ગયું છે તથા જીવનું કમાયેલું પુણ્ય તેમજ પાપ જ તેની સાથે ગયું છે ॥૩॥

ਕਰਣ ਕਾਰਣ ਸਮਰਥ ਪ੍ਰਭ ਤੇਰੀ ਸਰਣਾਈ ॥
હે પ્રભુ! તું કરવા તેમજ કરાવવામાં સમર્થ છે, આથી હું તારી શરણમાં આવ્યો છું. 

ਹਰਿ ਦਿਨਸੁ ਰੈਣਿ ਨਾਨਕੁ ਜਪੈ ਸਦ ਸਦ ਬਲਿ ਜਾਈ ॥੪॥੨੦॥੫੦॥
નાનક દિવસ-રાત પરમાત્માને જ જપતો રહે છે અને તેના પર હંમેશા બલિહાર જાય છે ॥૪॥૨૦॥૫૦॥ 

ਬਿਲਾਵਲੁ ਮਹਲਾ ੫ ॥
બિલાવલ મહેલ ૫॥

ਜਲੁ ਢੋਵਉ ਇਹ ਸੀਸ ਕਰਿ ਕਰ ਪਗ ਪਖਲਾਵਉ ॥
હું પોતાના આ માથાથી સંતો માટે પાણી આપું છું અને હાથોથી તેના ચરણ ધોવ છું. 

ਬਾਰਿ ਜਾਉ ਲਖ ਬੇਰੀਆ ਦਰਸੁ ਪੇਖਿ ਜੀਵਾਵਉ ॥੧॥
હું લાખ વાર તેના પર બલિહાર જાવ છું અને તેના દર્શન કરવાથી જીવન મળી રહ્યું છે ॥૧॥ 

ਕਰਉ ਮਨੋਰਥ ਮਨੈ ਮਾਹਿ ਅਪਨੇ ਪ੍ਰਭ ਤੇ ਪਾਵਉ ॥
હું જે ઇચ્છા મનમાં કરું છું, તે પ્રભુથી મેળવી લઉં છું.

ਦੇਉ ਸੂਹਨੀ ਸਾਧ ਕੈ ਬੀਜਨੁ ਢੋਲਾਵਉ ॥੧॥ ਰਹਾਉ ॥
હું સંતોના નિવાસ પર સાવરણી આપું છું અને તેને પંખો કરું છું ॥૧॥વિરામ॥ 

ਅੰਮ੍ਰਿਤ ਗੁਣ ਸੰਤ ਬੋਲਤੇ ਸੁਣਿ ਮਨਹਿ ਪੀਲਾਵਉ ॥
સંત જે પણ અમૃત ગુણ બોલે છે, હું તેને સાંભળીને પોતાના મનને પીવડાવું છું.

ਉਆ ਰਸ ਮਹਿ ਸਾਂਤਿ ਤ੍ਰਿਪਤਿ ਹੋਇ ਬਿਖੈ ਜਲਨਿ ਬੁਝਾਵਉ ॥੨॥
તે અમૃત રસથી હું શાંતિ પ્રાપ્ત કરું છું, તૃપ્ત થઈ જાવ છું અને ઝેરરૂપી તૃષ્ણાની જલનથી ઠારુ છું ॥૨॥ 

ਜਬ ਭਗਤਿ ਕਰਹਿ ਸੰਤ ਮੰਡਲੀ ਤਿਨੑ ਮਿਲਿ ਹਰਿ ਗਾਵਉ ॥
જયારે સંતોનું મંડળ ભક્તિ કરે છે તો હું પણ તેની સાથે મળીને પરમાત્માના ગુણ ગાવ છું. 

ਕਰਉ ਨਮਸਕਾਰ ਭਗਤ ਜਨ ਧੂਰਿ ਮੁਖਿ ਲਾਵਉ ॥੩॥
હું ભક્તજનોને પ્રણામ કરું છું અને તેની ચરણ-ધૂળ પોતાના મુખ પર લગાવું છું ॥૩॥

ਊਠਤ ਬੈਠਤ ਜਪਉ ਨਾਮੁ ਇਹੁ ਕਰਮੁ ਕਮਾਵਉ ॥
હું આ જ કર્મ કરું છું કે ઉઠતા-બેસતા પરમાત્માનું નામ જપતો રહું છું. 

ਨਾਨਕ ਕੀ ਪ੍ਰਭ ਬੇਨਤੀ ਹਰਿ ਸਰਨਿ ਸਮਾਵਉ ॥੪॥੨੧॥੫੧॥
નાનકની પ્રભુથી આ વિનંતી છે કે હું તારી શરણમાં જોડાઈ રહું ॥૪॥૨૧॥૫૧॥

ਬਿਲਾਵਲੁ ਮਹਲਾ ੫ ॥
બિલાવલ મહેલ ૫॥ 

ਇਹੁ ਸਾਗਰੁ ਸੋਈ ਤਰੈ ਜੋ ਹਰਿ ਗੁਣ ਗਾਏ ॥
આ સંસાર-સમુદ્રમાંથી તે જ પાર થાય છે, જે પરમાત્માનું ગુણ ગાય છે. 

ਸਾਧਸੰਗਤਿ ਕੈ ਸੰਗਿ ਵਸੈ ਵਡਭਾਗੀ ਪਾਏ ॥੧॥
સંતોની સંગતિમાં રહીને કોઈ ભાગ્યશાળી જ પ્રભુને મેળવે છે ॥૧॥

error: Content is protected !!