GUJARATI PAGE 86

ਮਃ
મહેલ ૩।।

ਸਤਿਗੁਰੁ ਸੇਵਿ ਸੁਖੁ ਪਾਇਆ ਸਚੁ ਨਾਮੁ ਗੁਣਤਾਸੁ
જેને સતગુરુ એ બતાવેલી સેવા કરી છે તેને ગુણોનો ખજાનો સાચું નામ રૂપી સુખ પ્રાપ્ત થાય છે

ਗੁਰਮਤੀ ਆਪੁ ਪਛਾਣਿਆ ਰਾਮ ਨਾਮ ਪਰਗਾਸੁ
ગુરુની બુદ્ધિ  લઈને તે પોતાની ઓળખ કરે છે અને હરિના નામનો તેની અંદર પ્રકાશ થાય છે

ਸਚੋ ਸਚੁ ਕਮਾਵਣਾ ਵਡਿਆਈ ਵਡੇ ਪਾਸਿ
તે ફક્ત હંમેશા સ્થિર નામ જપવાની કમાણી કરે છે, આ કરવાથી પ્રભુના દરબારમાં તેને આદર મળે છે

ਜੀਉ ਪਿੰਡੁ ਸਭੁ ਤਿਸ ਕਾ ਸਿਫਤਿ ਕਰੇ ਅਰਦਾਸਿ
જીવ અને શરીર બધું જ પ્રભુનું જાણીને તે પ્રભુની આગળ વિનંતી અને મહિમા કરે છે

ਸਚੈ ਸਬਦਿ ਸਾਲਾਹਣਾ ਸੁਖੇ ਸੁਖਿ ਨਿਵਾਸੁ
ગુરુનાશબ્દ દ્વારા તે હંમેશા સ્થિર પ્રભુની કીર્તિ કરે છે અને દરેક સમયે આધ્યાત્મિક આનંદમાં લીન રહે છે

ਜਪੁ ਤਪੁ ਸੰਜਮੁ ਮਨੈ ਮਾਹਿ ਬਿਨੁ ਨਾਵੈ ਧ੍ਰਿਗੁ ਜੀਵਾਸੁ
પ્રભુની મહિમા મનમાં વસાવી, એ જ તેના માટે જપ તપ સંયમ છે અને નામ વગરનું જીવન તેને ધિક્કાર યોગ્ય લાગે છે

ਗੁਰਮਤੀ ਨਾਉ ਪਾਈਐ ਮਨਮੁਖ ਮੋਹਿ ਵਿਣਾਸੁ
એ જ નામ ગુરુની બુદ્ધિ પર ચાલવાથી મળે છે. પોતાના મનની પાછળ ચાલવાવાળો મનુષ્ય મોહમાં ફસાઈને નષ્ટ થાય છે

ਜਿਉ ਭਾਵੈ ਤਿਉ ਰਾਖੁ ਤੂੰ ਨਾਨਕੁ ਤੇਰਾ ਦਾਸੁ ॥੨॥
હે પ્રભુ! જેવું તને યોગ્ય લાગે, તેવી સહાયતા કર અને નામનું દાન આપ, નાનક તારો સેવક છે ।।૨।।

ਪਉੜੀ
પગથિયું ।।

ਸਭੁ ਕੋ ਤੇਰਾ ਤੂੰ ਸਭਸੁ ਦਾ ਤੂੰ ਸਭਨਾ ਰਾਸਿ
હે હરિ! દરેક જીવ તારો બનાવેલો છે, તું બધાનો માલિક છે અને બધાનો ખજાનો છે, 

ਸਭਿ ਤੁਧੈ ਪਾਸਹੁ ਮੰਗਦੇ ਨਿਤ ਕਰਿ ਅਰਦਾਸਿ
તેથી જ જીવ હાથ જોડી તારી પાસે જ દાન માંગે છે.

ਜਿਸੁ ਤੂੰ ਦੇਹਿ ਤਿਸੁ ਸਭੁ ਕਿਛੁ ਮਿਲੈ ਇਕਨਾ ਦੂਰਿ ਹੈ ਪਾਸਿ
જેને તું દાન આપે છે, તેને બધું જ મળી જાય છે. પરંતુ, જે બીજા ઓટલા શોધે છે, એની તું નજીક હોવા છતાં પણ તેનાથી દુર લાગે છે

ਤੁਧੁ ਬਾਝਹੁ ਥਾਉ ਕੋ ਨਾਹੀ ਜਿਸੁ ਪਾਸਹੁ ਮੰਗੀਐ ਮਨਿ ਵੇਖਹੁ ਕੋ ਨਿਰਜਾਸਿ
કોઈ પક્ષ પણ મનમાં નિર્ણય કરીને જોઈ લે, હે હરિ! તારા વગર બીજું કોઈ ઠેકાણું નથી, જ્યાંથી કંઈક માંગી શકાય

ਸਭਿ ਤੁਧੈ ਨੋ ਸਾਲਾਹਦੇ ਦਰਿ ਗੁਰਮੁਖਾ ਨੋ ਪਰਗਾਸਿ ॥੯॥
આમ તો બધા જીવ તારી જ ઉપમા કરી રહ્યા છે, પરંતુ જે જીવ ગુરુની સાથે રહે છે એને તુ પોતાના દરબારમાં પ્રગટ કરે છે ।।૯।।

ਸਲੋਕ ਮਃ
શ્લોક મહેલ ૩।।

ਪੰਡਿਤੁ ਪੜਿ ਪੜਿ ਉਚਾ ਕੂਕਦਾ ਮਾਇਆ ਮੋਹਿ ਪਿਆਰੁ
વાંચી વાંચીને પંડિત જીભથી વેદ વગેરેનું ઊંચા સ્વરથી ઉચ્ચારણ કરે છે પરંતુ માયાની મોહનો પ્રેમ તેને વ્યાપી રહ્યો છે

ਅੰਤਰਿ ਬ੍ਰਹਮੁ ਚੀਨਈ ਮਨਿ ਮੂਰਖੁ ਗਾਵਾਰੁ
તે હૃદયમાં ઈશ્વરની તલાશ કરતો નથી, આ કરવાથી મનથી મૂર્ખ અને અનપઢ જ છે

ਦੂਜੈ ਭਾਇ ਜਗਤੁ ਪਰਬੋਧਦਾ ਨਾ ਬੂਝੈ ਬੀਚਾਰੁ
માયાના પ્રેમમાં તેને પોતાને તો સમજમાં આવતું નથી અને સંસારને ઉદેશ્ય આપે છે

ਬਿਰਥਾ ਜਨਮੁ ਗਵਾਇਆ ਮਰਿ ਜੰਮੈ ਵਾਰੋ ਵਾਰ ॥੧॥
આવો પંડિત મનુષ્ય જન્મ વ્યર્થ ગુમાવે છે, અને જન્મ મરણના ચક્કરમાં પડી જાય છે ।।૧।।

ਮਃ
મહેલ ૩।।

ਜਿਨੀ ਸਤਿਗੁਰੁ ਸੇਵਿਆ ਤਿਨੀ ਨਾਉ ਪਾਇਆ ਬੂਝਹੁ ਕਰਿ ਬੀਚਾਰੁ
વિચાર કરીને સમજી લો, જેને સતગુરુ દ્વારા દર્શાવેલા કાર્યો કર્યા છે તેને જ નામની પ્રાપ્તિ થઇ છે

ਸਦਾ ਸਾਂਤਿ ਸੁਖੁ ਮਨਿ ਵਸੈ ਚੂਕੈ ਕੂਕ ਪੁਕਾਰ
તેના હૃદયમાં હંમેશા શાંતિ અને સુખ વસે છે અને વ્યાકુળતા સમાપ્ત થઇ જાય છે

ਆਪੈ ਨੋ ਆਪੁ ਖਾਇ ਮਨੁ ਨਿਰਮਲੁ ਹੋਵੈ ਗੁਰ ਸਬਦੀ ਵੀਚਾਰੁ
“પોતાની જાતને ખાઈ જાય,તો મન સાફ હોય છે” – આ વિચાર પણ સતગુરુના શબ્દથી જ ઉપજે છે.

ਨਾਨਕ ਸਬਦਿ ਰਤੇ ਸੇ ਮੁਕਤੁ ਹੈ ਹਰਿ ਜੀਉ ਹੇਤਿ ਪਿਆਰੁ ॥੨॥
હે નાનક! જે મનુષ્ય સતગુરુના શબ્દમાં રંગાયેલા છે, તે મુક્ત છે, કારણ કે પ્રભુનાં પ્રેમમાં તેનું ધ્યાન જોડાયેલું છે ।।૨।।

ਪਉੜੀ
પગથિયું ।।

ਹਰਿ ਕੀ ਸੇਵਾ ਸਫਲ ਹੈ ਗੁਰਮੁਖਿ ਪਾਵੈ ਥਾਇ
પ્રભુની પ્રાર્થના આમ તો દરેક માટે સફળ છે, પરંતુ સ્વિકાર તેનો જ થાય છે જે સતગુરુની સાથે રહે છે

ਜਿਸੁ ਹਰਿ ਭਾਵੈ ਤਿਸੁ ਗੁਰੁ ਮਿਲੈ ਸੋ ਹਰਿ ਨਾਮੁ ਧਿਆਇ
તે મનુષ્યને જ સતગુરુ મળે છે, જેના પર પ્રભુ કૃપાળુ હોય છે અને તે જ હરિ નામનું સ્મરણ કરે છે

ਗੁਰ ਸਬਦੀ ਹਰਿ ਪਾਈਐ ਹਰਿ ਪਾਰਿ ਲਘਾਇ
જીવોને સંસાર-સમુદ્રમાંથી જે પ્રભુ પાર પાડે છે તે મળે જ સતગુરુના શબ્દ દ્વારા છે

ਮਨਹਠਿ ਕਿਨੈ ਪਾਇਓ ਪੁਛਹੁ ਵੇਦਾ ਜਾਇ
વેદ વગેરે ધાર્મિક પુસ્તકોને પણ જઈને પૂછીને જોઈ લે કે પોતાના મનના હઠથી કોઈએ પ્રભુને મેળવ્યો નથી, આ ગુરુ દ્વારા જ મળે છે

ਨਾਨਕ ਹਰਿ ਕੀ ਸੇਵਾ ਸੋ ਕਰੇ ਜਿਸੁ ਲਏ ਹਰਿ ਲਾਇ ॥੧੦॥
હે નાનક! હરિની સેવા તે જીવ કરે છે જેને ગુરુ મેળવીને પ્રભુ પોતે સેવામાં લગાવે ।।૧૦।।

ਸਲੋਕ ਮਃ
શ્લોક મહેલ ૩।।

ਨਾਨਕ ਸੋ ਸੂਰਾ ਵਰੀਆਮੁ ਜਿਨਿ ਵਿਚਹੁ ਦੁਸਟੁ ਅਹੰਕਰਣੁ ਮਾਰਿਆ
હે નાનક! તે મનુષ્ય બહાદુર શૂરવીર છે જેને મનમાંથી દુષ્ટ અહંકારને દૂર કર્યો છે 

ਗੁਰਮੁਖਿ ਨਾਮੁ ਸਾਲਾਹਿ ਜਨਮੁ ਸਵਾਰਿਆ
અને ગુરુની સાથે રહીને પ્રભુના નામની મહિમા કરીને જન્મ સફળ કર્યો છે

ਆਪਿ ਹੋਆ ਸਦਾ ਮੁਕਤੁ ਸਭੁ ਕੁਲੁ ਨਿਸਤਾਰਿਆ
તે શૂરવીર સ્વયં હંમેશા માટે વિકારોથી છૂટી જાય છે અને સાથે આખા કુળને પણ તારી લે છે

ਸੋਹਨਿ ਸਚਿ ਦੁਆਰਿ ਨਾਮੁ ਪਿਆਰਿਆ
નામથી પ્રેમ કરનાર લોકો સાચા હરીના દરબારમાં શોભા મેળવે છે

ਮਨਮੁਖ ਮਰਹਿ ਅਹੰਕਾਰਿ ਮਰਣੁ ਵਿਗਾੜਿਆ
પરંતુ, મનમુખ અહંકારમાં સળગે છે અને દુખી થઈને મરે છે

ਸਭੋ ਵਰਤੈ ਹੁਕਮੁ ਕਿਆ ਕਰਹਿ ਵਿਚਾਰਿਆ
આ બિચારાઓના વશમાં પણ શું? બધું જ પ્રભુનું કરેલું છે.

ਆਪਹੁ ਦੂਜੈ ਲਗਿ ਖਸਮੁ ਵਿਸਾਰਿਆ
મનમુખ પોતાની શોધ છોડીને માયામાં મન જોડે છે અને પ્રભુ પતિને ભુલાવે છે

ਨਾਨਕ ਬਿਨੁ ਨਾਵੈ ਸਭੁ ਦੁਖੁ ਸੁਖੁ ਵਿਸਾਰਿਆ ॥੧॥
હે નાનક! નામથી હિન થઈને તેને હંમેશા દુઃખ મળે છે, સુખ તેને ભૂલી જ જાય છે ।।૧।।

ਮਃ
મહેલ ૩।।

ਗੁਰਿ ਪੂਰੈ ਹਰਿ ਨਾਮੁ ਦਿੜਾਇਆ ਤਿਨਿ ਵਿਚਹੁ ਭਰਮੁ ਚੁਕਾਇਆ
જેના હૃદયમાં સંપૂર્ણ સતગુરુએ હરિ નામ દૃઢ કરી લીધું છે, તેની અંદરથી ભટકવાનું દૂર કરી દીધું છે

ਰਾਮ ਨਾਮੁ ਹਰਿ ਕੀਰਤਿ ਗਾਈ ਕਰਿ ਚਾਨਣੁ ਮਗੁ ਦਿਖਾਇਆ
તે હરિ નામની ઉપમા કરે છે, અને આ મહીમાને પ્રકાશ બનાવીને સાચો માર્ગ તેને દેખાવા લાગે છે

ਹਉਮੈ ਮਾਰਿ ਏਕ ਲਿਵ ਲਾਗੀ ਅੰਤਰਿ ਨਾਮੁ ਵਸਾਇਆ
તે અહંકાર દૂર કરીને એકની સાથે સંવાદ લગાવે છે અને હૃદયમાં નામ વસાવે છે

error: Content is protected !!