GUJARATI PAGE 909

ਏਹੁ ਜੋਗੁ ਨ ਹੋਵੈ ਜੋਗੀ ਜਿ ਕੁਟੰਬੁ ਛੋਡਿ ਪਰਭਵਣੁ ਕਰਹਿ ॥
હે યોગી! આ યોગ નથી કે પોતાના કુટુંબને છોડીને દેશ-દેશાંતર ભટકતો રહે. 

ਗ੍ਰਿਹ ਸਰੀਰ ਮਹਿ ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਗੁਰ ਪਰਸਾਦੀ ਅਪਣਾ ਹਰਿ ਪ੍ਰਭੁ ਲਹਹਿ ॥੮॥
શરીરરૂપી ઘરમાં જ પરમાત્માનું નામ વસી રહ્યું છે અને ગુરુની કૃપાથી પ્રભુ તને મળી શકે છે ॥૮॥ 

ਇਹੁ ਜਗਤੁ ਮਿਟੀ ਕਾ ਪੁਤਲਾ ਜੋਗੀ ਇਸੁ ਮਹਿ ਰੋਗੁ ਵਡਾ ਤ੍ਰਿਸਨਾ ਮਾਇਆ ॥
હે યોગી! આ જગત માટીનું પૂતળું છે અને આમાં માયાની તૃષ્ણાનો ખુબ રોગ લાગેલ છે.

ਅਨੇਕ ਜਤਨ ਭੇਖ ਕਰੇ ਜੋਗੀ ਰੋਗੁ ਨ ਜਾਇ ਗਵਾਇਆ ॥੯
ભલે કોઈ અનેક પ્રયત્ન તેમજ વેશ ધારણ કરે તો પણ આ રોગ દૂર કરી શકાતો નથી ॥૯॥ 

ਹਰਿ ਕਾ ਨਾਮੁ ਅਉਖਧੁ ਹੈ ਜੋਗੀ ਜਿਸ ਨੋ ਮੰਨਿ ਵਸਾਏ ॥
હે યોગી! હરિનું નામ ઔષધ છે, જેને મનમાં નામ વસાવી દે છે, તે આ ઔષધિને સેવન કરીને તૃષ્ણાના રોગોને મટાડી દે છે.

ਗੁਰਮੁਖਿ ਹੋਵੈ ਸੋਈ ਬੂਝੈ ਜੋਗ ਜੁਗਤਿ ਸੋ ਪਾਏ ॥੧੦॥
જે ગુરુમુખ બની જાય છે, તેને આ રહસ્યનું જ્ઞાન થઈ જાય છે અને તે યોગ વિચારને પ્રાપ્ત કરી લે છે ॥૧૦॥

ਜੋਗੈ ਕਾ ਮਾਰਗੁ ਬਿਖਮੁ ਹੈ ਜੋਗੀ ਜਿਸ ਨੋ ਨਦਰਿ ਕਰੇ ਸੋ ਪਾਏ ॥
હે યોગી! સાચા યોગનો રસ્તો ખૂબ સખત છે, આ રસ્તાને તે જ પ્રાપ્ત કરે છે, જેના પર પરમાત્મા કૃપા-દ્રષ્ટિ કરે છે.

ਅੰਤਰਿ ਬਾਹਰਿ ਏਕੋ ਵੇਖੈ ਵਿਚਹੁ ਭਰਮੁ ਚੁਕਾਏ ॥੧੧॥
તે મનથી ભ્રમને દૂર કરી લે છે અને અંદર-બહાર એક પરમેશ્વરને જ જુએ છે ॥૧૧॥ 

ਵਿਣੁ ਵਜਾਈ ਕਿੰਗੁਰੀ ਵਾਜੈ ਜੋਗੀ ਸਾ ਕਿੰਗੁਰੀ ਵਜਾਇ ॥
હે યોગી! એવી વીણા વગાડ, જે વગર વગાડે જ વાગે છે.

ਕਹੈ ਨਾਨਕੁ ਮੁਕਤਿ ਹੋਵਹਿ ਜੋਗੀ ਸਾਚੇ ਰਹਹਿ ਸਮਾਇ ॥੧੨॥੧॥੧੦॥
હે યોગી! નાનક કહે છે કે આ રીતે મુક્તિ થઈ જશે અને તું પોતાનામાં જ જોડાય જઇશ ॥૧૨॥૧॥૧૦॥ 

ਰਾਮਕਲੀ ਮਹਲਾ ੩ ॥
રામકલી મહેલ ૩॥ 

ਭਗਤਿ ਖਜਾਨਾ ਗੁਰਮੁਖਿ ਜਾਤਾ ਸਤਿਗੁਰਿ ਬੂਝਿ ਬੁਝਾਈ ॥੧॥
સદ્દગુરૂએ આ સત્ય-જ્ઞાન બતાવ્યુ છે કે ગુરુમુખે જ ભક્તિનો ખજાનો સમજ્યો છે ॥૧॥ 

ਸੰਤਹੁ ਗੁਰਮੁਖਿ ਦੇਇ ਵਡਿਆਈ ॥੧॥ ਰਹਾਉ ॥
હે સજ્જનો! ગરુમુખને જ મોટાઈ મળે છે ॥૧॥વિરામ॥

ਸਚਿ ਰਹਹੁ ਸਦਾ ਸਹਜੁ ਸੁਖੁ ਉਪਜੈ ਕਾਮੁ ਕ੍ਰੋਧੁ ਵਿਚਹੁ ਜਾਈ ॥੨॥
જો હંમેશા જ સત્યમાં લીન રહે તો સરળ જ સુખ ઉત્પન્ન થઈ જાય છે અને અંતર્મનમાંથી કામ-ક્રોધ દૂર થઈ જાય છે ॥૨॥ 

ਆਪੁ ਛੋਡਿ ਨਾਮ ਲਿਵ ਲਾਗੀ ਮਮਤਾ ਸਬਦਿ ਜਲਾਈ ॥੩॥
અહંકારને છોડીને જેના નામમાં લગન લાગી ગઈ છે, તેને શબ્દ દ્વારા મમતાને સળગાવી દીધી છે ॥૩॥ 

ਜਿਸ ਤੇ ਉਪਜੈ ਤਿਸ ਤੇ ਬਿਨਸੈ ਅੰਤੇ ਨਾਮੁ ਸਖਾਈ ॥੪॥
જેનાથી સંસાર ઉત્પન્ન થાય છે, તેનાથી જ નાશ થઈ જાય છે અને અંતમાં નામ જ જીવનો મિત્ર બને છે ॥૪॥ 

ਸਦਾ ਹਜੂਰਿ ਦੂਰਿ ਨਹ ਦੇਖਹੁ ਰਚਨਾ ਜਿਨਿ ਰਚਾਈ ॥੫॥
જે પરમાત્માએ સૃષ્ટિ-રચના કરી છે, તેને પોતાની પાસે જ સમજ તેમજ દૂર ન જો ॥૫॥ 

ਸਚਾ ਸਬਦੁ ਰਵੈ ਘਟ ਅੰਤਰਿ ਸਚੇ ਸਿਉ ਲਿਵ ਲਾਈ ॥੬॥
સાચા શબ્દ હૃદયમાં જ વ્યાપ્ત છે, આથી સત્યમાં જ ધ્યાન લગાવ ॥૬॥ 

ਸਤਸੰਗਤਿ ਮਹਿ ਨਾਮੁ ਨਿਰਮੋਲਕੁ ਵਡੈ ਭਾਗਿ ਪਾਇਆ ਜਾਈ ॥੭॥
સત્સંગતિમાં કીમતી નામ કોઈ ભાગ્યશાળીને જ પ્રાપ્ત થાય છે ॥૭॥ 

ਭਰਮਿ ਨ ਭੂਲਹੁ ਸਤਿਗੁਰੁ ਸੇਵਹੁ ਮਨੁ ਰਾਖਹੁ ਇਕ ਠਾਈ ॥੮॥
ભ્રમમાં ફસાઈને ભૂલ ન કર; પરંતુ શ્રદ્ધાથી સદ્દગુરૂની સેવા કર અને પોતાના મનને નિયંત્રિત કર ॥૮॥ 

ਬਿਨੁ ਨਾਵੈ ਸਭ ਭੂਲੀ ਫਿਰਦੀ ਬਿਰਥਾ ਜਨਮੁ ਗਵਾਈ ॥੯॥
નામ વગર આખી દુનિયા ભટકતી ફરે છે અને પોતાનો જન્મ વ્યર્થ ગુમાવી રહી છે ॥૯॥

ਜੋਗੀ ਜੁਗਤਿ ਗਵਾਈ ਹੰਢੈ ਪਾਖੰਡਿ ਜੋਗੁ ਨ ਪਾਈ ॥੧੦॥
જો ચારે દિશામાં ભટકીને યોગનો વિચાર ગુમાવ્યો તો પાખંડ કરવાથી યોગની પ્રાપ્તિ થતી નથી ॥૧૦॥

ਸਿਵ ਨਗਰੀ ਮਹਿ ਆਸਣਿ ਬੈਸੈ ਗੁਰ ਸਬਦੀ ਜੋਗੁ ਪਾਈ ॥੧੧॥
સત્યખંડ રૂપી સત્સંગમાં ધ્યાન લગાવીને આસન પર બેસીને ગુરુના શબ્દ દ્વારા યોગ્ય-વિચાર પ્રાપ્ત થઈ શકે છે ॥૧૧॥ 

ਧਾਤੁਰ ਬਾਜੀ ਸਬਦਿ ਨਿਵਾਰੇ ਨਾਮੁ ਵਸੈ ਮਨਿ ਆਈ ॥੧੨॥
શબ્દ-ગુરુ દ્વારા અહીં-તહીની ભટકણ મટાડાય તો મનમાં નામનો નિવાસ થઈ જાય છે ॥૧૨॥ 

ਏਹੁ ਸਰੀਰੁ ਸਰਵਰੁ ਹੈ ਸੰਤਹੁ ਇਸਨਾਨੁ ਕਰੇ ਲਿਵ ਲਾਈ ॥੧੩॥
હે સજ્જનો! આ મનુષ્ય-શરીર પવિત્ર સરોવર છે, જે આમાં સ્નાન કરે છે, તેનું જ પરમાત્મામાં ધ્યાન લાગે છે ॥૧૩॥

ਨਾਮਿ ਇਸਨਾਨੁ ਕਰਹਿ ਸੇ ਜਨ ਨਿਰਮਲ ਸਬਦੇ ਮੈਲੁ ਗਵਾਈ ॥੧੪॥
જે મનુષ્ય નામરૂપી સરોવરમાં સ્નાન કરે છે, તેનું મન નિર્મળ થઈ જાય છે અને શબ્દ દ્વારા તેની ગંદકી દૂર થઈ જાય છે ॥૧૪॥ 

ਤ੍ਰੈ ਗੁਣ ਅਚੇਤ ਨਾਮੁ ਚੇਤਹਿ ਨਾਹੀ ਬਿਨੁ ਨਾਵੈ ਬਿਨਸਿ ਜਾਈ ॥੧੫॥
ત્રણ ગુણોમાં લીન જીવ જ્ઞાનહીન હોય છે, આથી તે નામ-સ્મરણ કરતા નથી અને નામ વગર તે નાશ થઈ જાય છે ॥૧૫॥ 

ਬ੍ਰਹਮਾ ਬਿਸਨੁ ਮਹੇਸੁ ਤ੍ਰੈ ਮੂਰਤਿ ਤ੍ਰਿਗੁਣਿ ਭਰਮਿ ਭੁਲਾਈ ॥੧੬॥
બ્રહ્મા, વિષ્ણુ તેમજ મહેશ જેવી ત્રિમૂર્તિ પણ ત્રણ ગુણોને કારણે ભ્રમમાં ભુલાયેલી છે ॥૧૬॥ 

ਗੁਰ ਪਰਸਾਦੀ ਤ੍ਰਿਕੁਟੀ ਛੂਟੈ ਚਉਥੈ ਪਦਿ ਲਿਵ ਲਾਈ ॥੧੭॥
ગુરુની કૃપાથી જ્યારે ત્રણ ગુણોથી છુટકારો થઈ જાય છે તો તુરીયા સ્થિતિ પ્રાપ્ત થઈ જાય છે અને પરમાત્મામાં ધ્યાન લાગી જાય છે ॥૧૭॥

ਪੰਡਿਤ ਪੜਹਿ ਪੜਿ ਵਾਦੁ ਵਖਾਣਹਿ ਤਿੰਨਾ ਬੂਝ ਨ ਪਾਈ ॥੧੮॥
પંડિત ગ્રંથોને વાંચી-વાંચીને વાદ-વિવાદ જ કરે છે અને તેને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થતું નથી ॥૧૮॥ 

ਬਿਖਿਆ ਮਾਤੇ ਭਰਮਿ ਭੁਲਾਏ ਉਪਦੇਸੁ ਕਹਹਿ ਕਿਸੁ ਭਾਈ ॥੧੯॥
હે ભાઈ! જે માયારૂપી ઝેરના નશામાં મસ્ત થઈને ભ્રમમાં ભુલાયેલ છે, તેને ઉપદેશ આપવાનો કોઈ લાભ નથી ॥૧૯॥ 

ਭਗਤ ਜਨਾ ਕੀ ਊਤਮ ਬਾਣੀ ਜੁਗਿ ਜੁਗਿ ਰਹੀ ਸਮਾਈ ॥੨੦॥
ભક્તજનોની ઉત્તમ વાણી યુગ-યુગાંતરોથી પ્રગટ થઈ રહી છે ॥૨૦॥

ਬਾਣੀ ਲਾਗੈ ਸੋ ਗਤਿ ਪਾਏ ਸਬਦੇ ਸਚਿ ਸਮਾਈ ॥੨੧॥
જે વાણીમાં લગન લગાવે છે, તેની ગતિ થઈ જાય છે અને શબ્દો દ્વારા સત્યમાં થઈ જાય છે ॥૨૧॥

error: Content is protected !!