ਪਾਪ ਪਥਰ ਤਰਣੁ ਨ ਜਾਈ ॥
હે ભાઈ! પાપ રૂપી પથ્થરોથી ભરેલી નાવડી દ્વારા સંસાર સમુદ્રથી પાર થઈ શકાતું નથી
ਭਉ ਬੇੜਾ ਜੀਉ ਚੜਾਊ ॥
શ્રદ્ધા-ભક્તિ રૂપી નાવડીથી જ સંસાર સમુદ્રથી પાર થવાય છે
ਕਹੁ ਨਾਨਕ ਦੇਵੈ ਕਾਹੂ ॥੪॥੨॥
હે નાનક! આ શ્રદ્ધા-ભક્તિ રૂપી નાવડી પરમાત્મા કોઈ દુર્લભને જ આપે છે ॥૪॥૨॥
ਮਾਰੂ ਮਹਲਾ ੧ ਘਰੁ ੧ ॥
મારુ મહેલ ૧ ઘર ૧॥
ਕਰਣੀ ਕਾਗਦੁ ਮਨੁ ਮਸਵਾਣੀ ਬੁਰਾ ਭਲਾ ਦੁਇ ਲੇਖ ਪਏ ॥
આચરણ કાગળ તેમજ મન શાહીનો ખડીઓ છે અને સારું ખરાબ બંને પ્રકારના કર્મ તકદીરમાં લખેલા પડ્યા છે
ਜਿਉ ਜਿਉ ਕਿਰਤੁ ਚਲਾਏ ਤਿਉ ਚਲੀਐ ਤਉ ਗੁਣ ਨਾਹੀ ਅੰਤੁ ਹਰੇ ॥੧॥
હે પરમાત્મા! તારા ગુણોનો તો કોઈ અંત નથી જેવા-જેવા કાર્ય કરાવે છે ॥૧॥
ਚਿਤ ਚੇਤਸਿ ਕੀ ਨਹੀ ਬਾਵਰਿਆ ॥
હે મૂર્ખ મન! મનમાં પરમાત્માને યાદ શા માટે કરતો નથી?
ਹਰਿ ਬਿਸਰਤ ਤੇਰੇ ਗੁਣ ਗਲਿਆ ॥੧॥ ਰਹਾਉ ॥
પ્રભુને ભુલવાથી તારા ગુણ ક્ષીણ થઈ જાય છે ॥૧॥વિરામ॥
ਜਾਲੀ ਰੈਨਿ ਜਾਲੁ ਦਿਨੁ ਹੂਆ ਜੇਤੀ ਘੜੀ ਫਾਹੀ ਤੇਤੀ ॥
હે મન! તને ફસાવવા માટે રાત જાળી અને દિવસ જાળ બનેલું છે જેટલી ઘડીઓ છે તેટલી જ મુશ્કેલી છે
ਰਸਿ ਰਸਿ ਚੋਗ ਚੁਗਹਿ ਨਿਤ ਫਾਸਹਿ ਛੂਟਸਿ ਮੂੜੇ ਕਵਨ ਗੁਣੀ ॥੨॥
તું દરરોજ સ્વાદ લઈ લઈને વિષય-વિકાર રૂપી દાણા ચણતો રહે છે અને ફસાતો રહે છે હે મૂર્ખ! ક્યાં ગુણથી તારો છુટકારો થઈ શકે છે ॥૨॥
ਕਾਇਆ ਆਰਣੁ ਮਨੁ ਵਿਚਿ ਲੋਹਾ ਪੰਚ ਅਗਨਿ ਤਿਤੁ ਲਾਗਿ ਰਹੀ ॥
શરીર એક ભઠ્ઠી બનેલું છે જેમાં મન લોઢા સમાન છે અને વાસના, ક્રોધ, મોહ, લોભ અને અહંકાર રૂપી પંચાગ્નિ તેને સળગાવી રહી છે
ਕੋਇਲੇ ਪਾਪ ਪੜੇ ਤਿਸੁ ਊਪਰਿ ਮਨੁ ਜਲਿਆ ਸੰਨੑੀ ਚਿੰਤ ਭਈ ॥੩॥
પાપ રૂપી કોલસા તેની પર પડેલા છે આ મન સળગી રહ્યું છે અને તારી ચિંતા નેનો ચીપિયો બનેલી છે ॥૩॥
ਭਇਆ ਮਨੂਰੁ ਕੰਚਨੁ ਫਿਰਿ ਹੋਵੈ ਜੇ ਗੁਰੁ ਮਿਲੈ ਤਿਨੇਹਾ ॥
જો ગુરુ મળી જાય તો લોઢા રૂપી મન સોનુ થઈ શકે છે
ਏਕੁ ਨਾਮੁ ਅੰਮ੍ਰਿਤੁ ਓਹੁ ਦੇਵੈ ਤਉ ਨਾਨਕ ਤ੍ਰਿਸਟਸਿ ਦੇਹਾ ॥੪॥੩॥
હે નાનક! જો તે તને નામ અમૃત આપે તો તારા શરીરમાં રહેનાર મન સ્થિર થઈ શકે છે ॥૪॥૩॥
ਮਾਰੂ ਮਹਲਾ ੧ ॥
મારુ મહેલ ૧॥
ਬਿਮਲ ਮਝਾਰਿ ਬਸਸਿ ਨਿਰਮਲ ਜਲ ਪਦਮਨਿ ਜਾਵਲ ਰੇ ॥
કમળનું ફૂલ તેમજ શેવાળ આ બંને જ સરોવરના નિર્મળ જળમાં રહે છે
ਪਦਮਨਿ ਜਾਵਲ ਜਲ ਰਸ ਸੰਗਤਿ ਸੰਗਿ ਦੋਖ ਨਹੀ ਰੇ ॥੧॥
કમળનું ફૂલ શેવાળ તેમજ અમૃતમય પાણી આ બંને ની સંગતિમાં રહે છે પરંતુ તેને તેની સંગતિ કરવાથી કોઈ દોષ લાગતો નથો ॥૧॥
ਦਾਦਰ ਤੂ ਕਬਹਿ ਨ ਜਾਨਸਿ ਰੇ ॥
હે દેડકા! તું ક્યારેય સમજતો નથી
ਭਖਸਿ ਸਿਬਾਲੁ ਬਸਸਿ ਨਿਰਮਲ ਜਲ ਅੰਮ੍ਰਿਤੁ ਨ ਲਖਸਿ ਰੇ ॥੧॥ ਰਹਾਉ ॥
તું નિર્મળ પાણીમાં રહે છે પરંતુ શેવાળને ખાતો રહે છે તું અમૃત રૂપી પાણીના મહત્વને જાણતો નથી ॥૧॥વિરામ॥
ਬਸੁ ਜਲ ਨਿਤ ਨ ਵਸਤ ਅਲੀਅਲ ਮੇਰ ਚਚਾ ਗੁਨ ਰੇ ॥
ભલે તું દરરોજ પાણીમાં જ રહે છે ભમરો પાણીમાં રહેતો નથી પરંતુ તે ફૂલનો રસ ઉપરથી ચુસતો રહે છે
ਚੰਦ ਕੁਮੁਦਨੀ ਦੂਰਹੁ ਨਿਵਸਸਿ ਅਨਭਉ ਕਾਰਨਿ ਰੇ ॥੨॥
પોતાના મનના જ્ઞાનને કારણે રાતરાણી ચંદ્રને જોઈને પોતાનું માથું નમાવી દે છે ॥૨॥
ਅੰਮ੍ਰਿਤ ਖੰਡੁ ਦੂਧਿ ਮਧੁ ਸੰਚਸਿ ਤੂ ਬਨ ਚਾਤੁਰ ਰੇ ॥
હે દેડકા! તું બુદ્ધિમાન બની જ તને જ્ઞાન નથી કે ખાંડ, દૂધ તેમજ મધ થી મધુર અમૃતમયી રસ પદાર્થ બની જાય છે
ਅਪਨਾ ਆਪੁ ਤੂ ਕਬਹੁ ਨ ਛੋਡਸਿ ਪਿਸਨ ਪ੍ਰੀਤਿ ਜਿਉ ਰੇ ॥੩॥
જેમ આંચળને ચોંટીને જળો દૂધને બદલે લોહી ચૂસે છે, તેમ તમે પણ કાદવની ગંદકી ખાવાનો તમારો સ્વભાવ ક્યારેય છોડશો નહીં.॥૩॥
ਪੰਡਿਤ ਸੰਗਿ ਵਸਹਿ ਜਨ ਮੂਰਖ ਆਗਮ ਸਾਸ ਸੁਨੇ ॥
જેમ મનુષ્ય વિદ્વાન પંડિતોથી વેદ-શાસ્ત્ર સાંભળે છે પરંતુ શિક્ષાને ગ્રહણ ન કરવાના કારણે તો પણ તે જ્ઞાનહીન જ બની રહે છે
ਅਪਨਾ ਆਪੁ ਤੂ ਕਬਹੁ ਨ ਛੋਡਸਿ ਸੁਆਨ ਪੂਛਿ ਜਿਉ ਰੇ ॥੪॥
જેમ કૂતરાની પૂંછડી હંમેશા વાંકી જ રહે છે તેમ જ તું પણ પોતાનો સ્વભાવ છોડતો નથી ॥૪॥
ਇਕਿ ਪਾਖੰਡੀ ਨਾਮਿ ਨ ਰਾਚਹਿ ਇਕਿ ਹਰਿ ਹਰਿ ਚਰਣੀ ਰੇ ॥
પાખંડી લોકો પરમાત્માનું નામ જપતા નથી પરંતુ ભક્તજન પરમાત્માના ચરણોમાં જ લીન રહે છે
ਪੂਰਬਿ ਲਿਖਿਆ ਪਾਵਸਿ ਨਾਨਕ ਰਸਨਾ ਨਾਮੁ ਜਪਿ ਰੇ ॥੫॥੪॥
હે નાનક! પ્રત્યેક જીવ પૂર્વ જન્મમાં કરેલા કર્મોનું ફળ પ્રાપ્ત કરે છે પરંતુ પોતાની જીભથી હરિ-નામનો જાપ કરતા રહે છે ॥૫॥૪॥
ਮਾਰੂ ਮਹਲਾ ੧ ॥
મારુ મહેલ ૧॥
ਸਲੋਕੁ ॥
શ્લોક
ਪਤਿਤ ਪੁਨੀਤ ਅਸੰਖ ਹੋਹਿ ਹਰਿ ਚਰਨੀ ਮਨੁ ਲਾਗ ॥
પરમાત્માના ચરણોમાં મન લગાડવાથી અસંખ્ય પાપી જીવ પાવન થઈ ગયા છે
ਅਠਸਠਿ ਤੀਰਥ ਨਾਮੁ ਪ੍ਰਭ ਨਾਨਕ ਜਿਸੁ ਮਸਤਕਿ ਭਾਗ ॥੧॥
હે નાનક! પ્રભુનું નામ અડસઠ તીર્થનાં પુણ્ય-ફળ સમાન છે જેનું ઉત્તમ ભાગ્ય છે તેને જ આ મળે છે ॥૧॥
ਸਬਦੁ ॥
શબ્દ॥
ਸਖੀ ਸਹੇਲੀ ਗਰਬਿ ਗਹੇਲੀ ॥
હે અભિમાની સખી
ਸੁਣਿ ਸਹ ਕੀ ਇਕ ਬਾਤ ਸੁਹੇਲੀ ॥੧॥
માલિકની સુખદાયક વાત સાંભળ ॥૧॥
ਜੋ ਮੈ ਬੇਦਨ ਸਾ ਕਿਸੁ ਆਖਾ ਮਾਈ ॥
હે માતા! પોતાના મનની વેદના હું કોને કહીને સાંભળવું
ਹਰਿ ਬਿਨੁ ਜੀਉ ਨ ਰਹੈ ਕੈਸੇ ਰਾਖਾ ਮਾਈ ॥੧॥ ਰਹਾਉ ॥
હરિ વગર હું રહી શકતી નથી પછી આ પ્રાણોને કેવી રીતે બચાવું ॥૧॥વિરામ॥
ਹਉ ਦੋਹਾਗਣਿ ਖਰੀ ਰੰਞਾਣੀ ॥
હું કમનસીબ જીવ-સ્ત્રી ખૂબ દુઃખી છું
ਗਇਆ ਸੁ ਜੋਬਨੁ ਧਨ ਪਛੁਤਾਣੀ ॥੨॥
જ્યારે જીવ સ્ત્રીની જુવાની વીતી જાય છે તો તેને ખબૂ પસ્તાવો થાય છે ॥૨॥
ਤੂ ਦਾਨਾ ਸਾਹਿਬੁ ਸਿਰਿ ਮੇਰਾ ॥
હે પરમાત્મા! તું મારો ચતુર માલિક છે હું તારો સેવક છું
ਖਿਜਮਤਿ ਕਰੀ ਜਨੁ ਬੰਦਾ ਤੇਰਾ ॥੩॥
તેથી તારી જ સેવા કરું છું ॥૩॥
ਭਣਤਿ ਨਾਨਕੁ ਅੰਦੇਸਾ ਏਹੀ ॥
નાનક કહે છે કે મને આ એક જ ચિંતા છે કે
ਬਿਨੁ ਦਰਸਨ ਕੈਸੇ ਰਵਉ ਸਨੇਹੀ ॥੪॥੫॥
પ્રભુ દર્શન વગર કેવી રીતે આનંદ પ્રાપ્ત કરું ॥૪॥૫॥