GUJARATI PAGE 1110

ਨਾਨਕ ਅਹਿਨਿਸਿ ਰਾਵੈ ਪ੍ਰੀਤਮੁ ਹਰਿ ਵਰੁ ਥਿਰੁ ਸੋਹਾਗੋ ॥੧੭॥੧॥
ગુરુ નાનકનું કહેવું છે કે તે દિવસ-રાત પ્રિયતમ-પ્રભુની સાથે આનંદ કરે છે અને તેનો પ્રભુરૂપી સુહાગ સ્થિર છે ॥૧૭॥૧॥

ਤੁਖਾਰੀ ਮਹਲਾ ੧ ॥
તુખારિ મહેલ ૧॥

ਪਹਿਲੈ ਪਹਰੈ ਨੈਣ ਸਲੋਨੜੀਏ ਰੈਣਿ ਅੰਧਿਆਰੀ ਰਾਮ ॥
હે સુંદર આંખોવાળી જીવ-સ્ત્રી! જીવનરૂપી પહેલા પ્રહરમાં અજ્ઞાનરૂપી રાતનો અંધકાર બની રહે છે.

ਵਖਰੁ ਰਾਖੁ ਮੁਈਏ ਆਵੈ ਵਾਰੀ ਰਾਮ ॥
જન્મ મળ્યો છે તો વારો આવવા પર અંતે મૃત્યુને પ્રાપ્ત થવાનું છે, તેથી નામરૂપી સૌદો સંભાળી લે

ਵਾਰੀ ਆਵੈ ਕਵਣੁ ਜਗਾਵੈ ਸੂਤੀ ਜਮ ਰਸੁ ਚੂਸਏ ॥
મૃત્યુનો વારો આવવા પર કોણ જગાડે છે, સુતેલ મનુષ્યનો યમ બધું સમાપ્ત કરી દે છે.

ਰੈਣਿ ਅੰਧੇਰੀ ਕਿਆ ਪਤਿ ਤੇਰੀ ਚੋਰੁ ਪੜੈ ਘਰੁ ਮੂਸਏ ॥
અજ્ઞાનરૂપી રાત અંધારી છે, તારી કોઈ પ્રતિષ્ઠા નથી, પાંચ વિકાર લુંટતા રહે છે.

ਰਾਖਣਹਾਰਾ ਅਗਮ ਅਪਾਰਾ ਸੁਣਿ ਬੇਨੰਤੀ ਮੇਰੀਆ ॥
મારી વિનંતી સાંભળ; અગમ્ય-અપાર પરમાત્મા જ રક્ષા કરનાર છે.

ਨਾਨਕ ਮੂਰਖੁ ਕਬਹਿ ਨ ਚੇਤੈ ਕਿਆ ਸੂਝੈ ਰੈਣਿ ਅੰਧੇਰੀਆ ॥੧॥
ગુરુ નાનકનું કહેવું છે કે મૂર્ખ જીવ ક્યારેય જાગૃત થતો નથી અને તેને અજ્ઞાનરૂપી અંધકારનું જ્ઞાન થતું નથી ॥૧॥

ਦੂਜਾ ਪਹਰੁ ਭਇਆ ਜਾਗੁ ਅਚੇਤੀ ਰਾਮ ॥
હે મૂર્ખ! જાગી લે, જીવનનો બીજો પ્રહર આવી ગયો છે.

ਵਖਰੁ ਰਾਖੁ ਮੁਈਏ ਖਾਜੈ ਖੇਤੀ ਰਾਮ ॥
નામરૂપી સૌદાને બચાવીને રાખી લે, કારણ કે ગુણોની ખેતી તો કામાદિક ખાતા જઈ રહ્યા છે.

ਰਾਖਹੁ ਖੇਤੀ ਹਰਿ ਗੁਰ ਹੇਤੀ ਜਾਗਤ ਚੋਰੁ ਨ ਲਾਗੈ ॥
પ્રભુથી પ્રેમ લગાવીને આ ખેતીને બચાવી લે, જાગૃત રહેવાથી કામાદિક પશુરૂપી ચોર નુકસાન પહોંચાડી શકતા નથી.

ਜਮ ਮਗਿ ਨ ਜਾਵਹੁ ਨਾ ਦੁਖੁ ਪਾਵਹੁ ਜਮ ਕਾ ਡਰੁ ਭਉ ਭਾਗੈ ॥
મૃત્યુના રસ્તા પર ન જા, ન તો દુઃખ પ્રાપ્ત કર, આ રીતે યમનો ભય નિવૃત્ત થઈ જશે.

ਰਵਿ ਸਸਿ ਦੀਪਕ ਗੁਰਮਤਿ ਦੁਆਰੈ ਮਨਿ ਸਾਚਾ ਮੁਖਿ ਧਿਆਵਏ ॥
ગુરુ-ઉપદેશ દ્વારા સૂર્ય-ચંદ્રરૂપી જ્ઞાનના દીવા પ્રગટી જશે, તેથી મન તેમજ મુખથી સાચા પ્રભુનું ભજન કર.

ਨਾਨਕ ਮੂਰਖੁ ਅਜਹੁ ਨ ਚੇਤੈ ਕਿਵ ਦੂਜੈ ਸੁਖੁ ਪਾਵਏ ॥੨॥
હે મૂર્ખ! ગુરુ નાનકનું કહેવું છે કે હજી સુધી તો તું સાવધાન થયો નથી, પછી જીવનના આગળ હિસ્સામાં કેવી રીતે સુખ પ્રાપ્ત થશે ॥૨॥

ਤੀਜਾ ਪਹਰੁ ਭਇਆ ਨੀਦ ਵਿਆਪੀ ਰਾਮ ॥
જીવનના ત્રીજા પ્રહરમાં મોહની ઊંઘ બની રહે છે.

ਮਾਇਆ ਸੁਤ ਦਾਰਾ ਦੂਖਿ ਸੰਤਾਪੀ ਰਾਮ ॥
પુત્ર-પત્ની દ્વારા માયા દુઃખ-ગુસ્સો આપે છે.

ਮਾਇਆ ਸੁਤ ਦਾਰਾ ਜਗਤ ਪਿਆਰਾ ਚੋਗ ਚੁਗੈ ਨਿਤ ਫਾਸੈ ॥
પુત્ર-પત્ની, સાંસારિક પ્રેમમાં જીવ દાણા ચણે છે અને રોજ માયા-જાળમાં ફસાઈ છે.

ਨਾਮੁ ਧਿਆਵੈ ਤਾ ਸੁਖੁ ਪਾਵੈ ਗੁਰਮਤਿ ਕਾਲੁ ਨ ਗ੍ਰਾਸੈ ॥
જો હરિનામનું ભજન કરાય તો સુખ પ્રાપ્ત થઈ શકે છે, ગુરુ-ઉપદેશ પ્રમાણે જીવન પસાર કરનારને કાળ પોતાનો ખોરાક બનાવતો નથી.

ਜੰਮਣੁ ਮਰਣੁ ਕਾਲੁ ਨਹੀ ਛੋਡੈ ਵਿਣੁ ਨਾਵੈ ਸੰਤਾਪੀ ॥
હરિનામ વગર જીવ દુઃખ-સમસ્યા ભોગવે છે, કાળ તેને છોડતો નથી અને તે જન્મ-મરણમાં પડી રહે છે.

ਨਾਨਕ ਤੀਜੈ ਤ੍ਰਿਬਿਧਿ ਲੋਕਾ ਮਾਇਆ ਮੋਹਿ ਵਿਆਪੀ ॥੩॥
ગુરુ નાનકનું કહેવું છે કે જીવનના ત્રીજા પ્રહરમાં લોકો ત્રિગુણાત્મક માયાના મોહમાં વ્યાપ્ત રહે છે ॥૩॥

ਚਉਥਾ ਪਹਰੁ ਭਇਆ ਦਉਤੁ ਬਿਹਾਗੈ ਰਾਮ ॥
જીવનના ચોથા પ્રહરમાં સૂર્યોદય થઈ ગયો અર્થાત્ ગઢપણ આવી ગયું, જીવન-ઉમર સમાપ્ત થઈ ગઈ.

ਤਿਨ ਘਰੁ ਰਾਖਿਅੜਾ ਜੋੁ ਅਨਦਿਨੁ ਜਾਗੈ ਰਾਮ ॥
જે દિવસ-રાત સાવધાન રહ્યો, તેને પોતાના ઘરને બચાવી લીધું.

ਗੁਰ ਪੂਛਿ ਜਾਗੇ ਨਾਮਿ ਲਾਗੇ ਤਿਨਾ ਰੈਣਿ ਸੁਹੇਲੀਆ ॥
જે ગુરુની સલાહ પ્રમાણે સાવધાન થઈને હરિનામનું ભજન કરે છે, તેની જીવનરૂપી રાત સુખમય થઈ જાય છે.

ਗੁਰ ਸਬਦੁ ਕਮਾਵਹਿ ਜਨਮਿ ਨ ਆਵਹਿ ਤਿਨਾ ਹਰਿ ਪ੍ਰਭੁ ਬੇਲੀਆ ॥
તે શબ્દ-ગુરુ પ્રમાણે આચરણ કરે છે, જીવન-મૃત્યુના બંધનથી છૂટી જાય છે અને પ્રભુ જ તેનો સાચો મિત્ર બને છે.

ਕਰ ਕੰਪਿ ਚਰਣ ਸਰੀਰੁ ਕੰਪੈ ਨੈਣ ਅੰਧੁਲੇ ਤਨੁ ਭਸਮ ਸੇ ॥
નહીતર આ ઉંમરમાં હાથ-પગ થર-થર ધ્રૂજે છે, શરીર તેમજ પગ પણ ધ્રુજવા લાગી જાય છે, આંખોનો પ્રકાશ ઓછો થઈ જાય છે અને છેવટે શરીરે રાખ થઈ જાય છે.

ਨਾਨਕ ਦੁਖੀਆ ਜੁਗ ਚਾਰੇ ਬਿਨੁ ਨਾਮ ਹਰਿ ਕੇ ਮਨਿ ਵਸੇ ॥੪॥
ગુરુ નાનકનું કહેવું છે કે મનમાં હરિનામ વસાવ્યા વગર ચારેય યુગ ફક્ત દુઃખ જ મળે છે ॥૪॥

ਖੂਲੀ ਗੰਠਿ ਉਠੋ ਲਿਖਿਆ ਆਇਆ ਰਾਮ ॥
આ રીતે મૃત્યુનો પોકાર આવી ગયો, કર્મોનો હિસાબ-કિતાબ થયો.

ਰਸ ਕਸ ਸੁਖ ਠਾਕੇ ਬੰਧਿ ਚਲਾਇਆ ਰਾਮ ॥
સ્વાદ તેમજ સુખોની સમાપ્તિ થઈ અને મૃત્યુએ બાંધીને સાથે લઇ લીધો.

ਬੰਧਿ ਚਲਾਇਆ ਜਾ ਪ੍ਰਭ ਭਾਇਆ ਨਾ ਦੀਸੈ ਨਾ ਸੁਣੀਐ ॥
જયારે પ્રભુને સ્વીકાર થાય છે તો જીવ બંધાઈને ચાલ્યો જાય છે, આ હુકમ સાંભળી તેમજ દેખાય દેતો નથી.

ਆਪਣ ਵਾਰੀ ਸਭਸੈ ਆਵੈ ਪਕੀ ਖੇਤੀ ਲੁਣੀਐ ॥
દરેક જીવ પોતાનો વારો આવવા પર આવી જાય છે અને પોતાના શુભાશુભ કર્મોનું ફળ ભોગવે છે.

ਘੜੀ ਚਸੇ ਕਾ ਲੇਖਾ ਲੀਜੈ ਬੁਰਾ ਭਲਾ ਸਹੁ ਜੀਆ ॥
પછી ક્ષણ-પળના કર્મોનો હિસાબ લેવાય છે અને બધા જીવોને ખરાબ-સારું સહન કરવું પડે છે.

ਨਾਨਕ ਸੁਰਿ ਨਰ ਸਬਦਿ ਮਿਲਾਏ ਤਿਨਿ ਪ੍ਰਭਿ ਕਾਰਣੁ ਕੀਆ ॥੫॥੨॥
ગુરુ નાનકનું કહેવું છે કે શબ્દ દ્વારા પ્રભુએ પોતે જ સંત-મનુષ્યોને પોતાની સાથે જોડ્યા છે અને પ્રભુએ પોતે જ કારણ બનાવ્યું છે ॥૫॥૨॥

ਤੁਖਾਰੀ ਮਹਲਾ ੧ ॥
તુખારિ મહેલ ૧॥

ਤਾਰਾ ਚੜਿਆ ਲੰਮਾ ਕਿਉ ਨਦਰਿ ਨਿਹਾਲਿਆ ਰਾਮ ॥
જેના પર પરમાત્માની કૃપા-દ્રષ્ટિ થઈ જાય છે, તેના જીવનરૂપી અંધકારમાં જ્ઞાનનો લાંબો તારો ચડી રહે છે.

ਸੇਵਕ ਪੂਰ ਕਰੰਮਾ ਸਤਿਗੁਰਿ ਸਬਦਿ ਦਿਖਾਲਿਆ ਰਾਮ ॥
પૂર્ણ ભાગ્યશાળી સેવકને સદ્દગુરૂએ શબ્દ દ્વારા જ્ઞાનનો તારો દેખાડી દીધો છે.

ਗੁਰ ਸਬਦਿ ਦਿਖਾਲਿਆ ਸਚੁ ਸਮਾਲਿਆ ਅਹਿਨਿਸਿ ਦੇਖਿ ਬੀਚਾਰਿਆ ॥
શબ્દ-ગુરુએ જ્ઞાનનો તારો દેખાડ્યો તો સત્યને સ્મરણ કરી દિવસ-રાત તેને તેનું જ મનન કર્યું.

ਧਾਵਤ ਪੰਚ ਰਹੇ ਘਰੁ ਜਾਣਿਆ ਕਾਮੁ ਕ੍ਰੋਧੁ ਬਿਖੁ ਮਾਰਿਆ ॥
તેના હૃદય-ઘરમાંથી પાંચ વિકારોનો છુટકારો થઈ ગયો અને કામ-ક્રોધરૂપી ઝેરનો અંત થઈ ગયો.

ਅੰਤਰਿ ਜੋਤਿ ਭਈ ਗੁਰ ਸਾਖੀ ਚੀਨੇ ਰਾਮ ਕਰੰਮਾ ॥
ગુરુની શિક્ષાથી અંતરમનમાં સત્યનો પ્રકાશ પ્રકાશિત થઈ ગયો અને તેને પ્રભુની લીલાને ઓળખી લીધી.

error: Content is protected !!